મીડિયાથી દુર રહેતા રાધાકિશન દામાણી આ અઠવાડિયામાં મીડિયામાં ભારે ચર્ચામાં રહ્યાં છે. કારણ કે રાધાકિશન દામાણી ભારતના બીજા નંબરના સૌથી ધનવાન વ્યક્તિ બની ગયા છે. તેમણે અદાણી, ઉદય કોટક અને અઝીમ પ્રેમજીને પાછળ છોડી દીધા છે.
દામાણી ભારતના બીજા શ્રીમંત વ્યક્તિ બની ગયા છે
દામાણીની સંપતિમાં 800 કરોડ રૂપિયાનો વધારો થયો છે
શેરના ભાવમાં 290 ટકાનો વધારો થઈ ગયો છે
એવન્યુ સુપર માર્કેટના માલિક રાધાકૃષ્ણ દામાણી દેશના બીજા સૌથી શ્રીમંત વ્યક્તિ બની ગયા છે. શુક્રવારે દામાણીની સંપતિ 1.27 લાખ કરોડે પહોંચી ગઈ હતી જો કે હવે કંપની શેર વેલ્યુ વધતાં સાથે તેમની અંગત સંપતિમાં પણ વધારો થયો છે. છેલ્લા ત્રણ દિવસમાં તેમના શેરની કિંમત 10 હજાર કરોડ રૂપિયા સુધી વધી છે. દામાણીની સંપતિમાં 800 કરોડ રૂપિયાનો વધારો થયો છે. દામાણી હવે દેશના બીજા શ્રીમંત વ્યક્તિ બની ગયા છે.
એવન્યુ સુપર માર્કેટ 21 માર્ચ 2017ના રોજ લિસ્ટ થઈ હતી. ત્યારે કંપનીની કુલ મૂડી 40 હજાર કરોડ રૂપિયા હતી. અત્યાર સુધીમાં તેના શેરના ભાવમાં 290 ટકાનો વધારો થઈ ગયો છે.
રિટેલ બજારમાં ઉતરતા પહેલા દામાણીની ઓળખ શેરબજારના દિગ્ગજ રોકાણકાર તરીકે થતી હતી. આજે પણ છે. પરંતુ શરૂઆતથી તેઓ સાદાઈપૂર્વક જીવન જીવે છે. શેરબજાર બાદ તેઓ રિટેલ સ્ટોરના બિઝનેસમાં આવ્યા અને 2017માં કંપનીને લિસ્ટિંગ કરી તેમના શેર બહાર પાડ્યા. અને ત્યારબાદ દામાણી એક પછી એક આઉટલેટ બનાવતાં ગયાં. હાલ ડી-માર્ટના 200થી વધારે આઉટલેટ છે. હાલ તેમણે સંપતિના મામલે અદાણી, ઉદય કોટક અને શિવ નાદરને પાછળ છોડી દીધા છે.