ગત મહીનાની 18 તારીખે રાષ્ટ્રીય એનસીએલએટીએ ટાટા સન્સના ચેરમેન પદથી સાઇરસ મિસ્ત્રિને હટાવવાને ગેરકાયદેસર ગણાવ્યું હતું. અને તેમને આ પદ પર ફરીથી નિમણૂક કરવાનો આદેશ આપ્યો હતો. તેની સાથે જ એનસીએલએટીએ એન ચંદ્રશેખરને કાર્યકારી ચેરમેન બનાવવાના મેનેજમેન્ટના નિર્ણયને પણ ગેરકાયદેસર ગણાવ્યો હતો.
ટાટા સંસના ચેરમેન બનવાથી સાઇરસ મિસ્ત્રીનો ઇન્કાર કર્યો
સાઇરસ મિસ્ત્રીએ કહ્યું કે, કંપનીની કોઇપણ ભૂમિકામાં તેમની કોઇ રુચી નથી
ટાટા સન્સે સુપ્રીમ કોર્ટમાં એનસીએલએટીના નિર્ણયે પડકાર્યો છે
ટાટા સંસના ચેરમેન બનવાથી સાઇરસ મિસ્ત્રીનો ઇન્કાર
આ દરમિયાન રવિવારે ટાટા સન્સના પૂર્વ ચેરમેન સાઇરસ મિસ્ત્રીનું મોટુ નિવેદન આવ્યું છે. તેઓએ કહ્યું કે NCLAT દ્વારા પોતાના પક્ષમાં નિર્ણય આવવા છતા તેઓ કંપનીના ચેરમેન પદ પર ફરીથી સ્થાપિત નહીં થાય. સાઇરસ મિસ્ત્રીનું આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે, જ્યારે ટાટા સન્સે સુપ્રીમ કોર્ટમાં એનસીએલએટીના નિર્ણયે પડકાર્યો છે.
સાઇરસ મિસ્ત્રીનું નિવેદન
પોતાના નિવેદનમાં સાઇરસ મિસ્ત્રીએ કહ્યું કે, એનસીએલએટીના નિર્ણય બાદ ટાટા સમૂહમાં પાછા ફરવાને લઇને સાઇરસ મિસ્ત્રીએ કહ્યું છે કે, કંપનીની કોઇપણ ભૂમિકામાં તેની કોઇ રુચી નથી. તેઓએ કહ્યું, હું એનસીએલએટીના નિર્ણયનું સન્માન કરુ છું, જેણે મામલાની યોગ્ય તપાસ કર્યા બાદ મારી કંપનીથી બરતરફને ગેરકાયદેસર ગણાવી, રતન ટાટા અને અન્ય ટ્રસ્ટીઓને દમનકારી અને પક્ષપાતપૂર્ણ વલણ અપનાવામાં દોષિત જોવા મળ્યા.
સાઇરસ મિસ્ત્રીએ સ્પષ્ટ કહ્યું છે કે, એનસીએલએટીનો આદેશ મારા પક્ષમાં આવ્યા છતા હું ટાટા સન્સના એગ્ઝિક્યૂટિવ ચેરમેન અથવા ટીસીએસ, ટાટા ટેલીસર્વિસેઝ અથવા ટાટા ઇન્ડસ્ટ્રીઝના ડિરેક્ટરના પદને ફરીથી નહીં અપનાવું. જોકે, તેઓેએ કહ્યું છે કે, માઇનૉરિટી શેયરહોલ્ડર્સના રૂપે પોતાના અધિકારોની રક્ષા અને ટાટા સન્સના બોર્ડમાં એક બેઠક મેળવવા અને ટાટા સન્સમાં ગવર્નન્સ અને પારદર્શિતાના ઉચ્ચ માપદંડોને પુનસ્થાપિત કરવા માટે હું દરેક પ્રકારના વિકલ્પ પર વિચાર કરીશ.
સુપ્રીમ કોર્ટમાં મામલો
નોંધનીય છે કે, નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલ (NCLAT)ના નિર્ણય બાદ ટાટા સન્સ અને ટીસીએસ દેશની સુપ્રીમ કોર્ટ પહોંચી છે. રતન ટાટાએ પણ સુપ્રીમ કોર્ટમાં નિર્ણયને પડકારતી અરજી દાખલ કરી છે. તેઓએ એનસીએલએટીના નિર્ણયને મામલાના રિકોર્ડના પ્રતિકૂળ, ખોટુ અને અશુદ્ધ બતાવ્યો.