હવામાન વિભાગની આગાહી આપતા સ્કાયમેટના અનુસાર અરબ સાગર પર વાવાઝોડું 'મહા' આવનારા 24 કલાક સુધી પ્રભાવ પાડી શકે છે. આ સમયે તે પોરબંદરમાં આફતના રૂપે ત્રાટકી શકે છે. ઉત્તર-પશ્ચિમ દિશામાં સાંજ સુધીમાં આગળ વધવાની શક્યતા છે. આ સમયે 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને સાથે જ મધ્યમ વરસાદની પણ સંભાવના છે.
5 નવેમ્બરે 'મહા' બદલશે દિશા
આવનારા 24 કલાક સુધી રહેશે પ્રભાવ
7 નવેમ્બરની આસપાસ પહોંચશે પોરબંદર
5 નવેમ્બરે બદલાઈ શકે છે દિશા
સ્કાઈમેટના હવામાન નિષ્ણાતોના આધારે આજે સાંજથી જ તેની દિશામાં બદલાવ આવે અને તે ઉત્તર દિશામાં આગળ વધે તેવી શક્યકતા છે. શક્ય છે કે 5 નવેમ્બરની સવારે તે દિશા બદલીને ઉત્તર-પૂર્વમાં આગળ વધે. આ સમયે તે ગુજરાતના તટીય વિસ્તારોની તરફ આગળ વધે તેવા સંકેત મળી રહ્યા છે. આ દિશામાં આગળ વધતાં સમુદ્રની સ્થિતિ તેને અનુકૂળ નથી. જેના કારણે તે નબળું પડી શકે છે, છતાં તેની ક્ષમતાના કારણે તે થોડું અસરકારક બની શકે છે.
7 નવેમ્બરની આસપાસ પહોંચશે પોરબંદર
સ્કાઈમેટના અંદાજ અનુસાર 7 નવેમ્બરની બપોરે પોરબંદર અને દીવની વચ્ચે વાવાઝોડું ત્રાટકી શકે છે. તેની અસર 5 નવેમ્બરની સાંજથી જ ગુજરાત અને આસપાસના વિસ્તારોમાં જોવા મળી શકે છે. તટીય વિસ્તારોમાં સમુદ્રમાં 12-15 ફૂટ ઊંચા મોજાં ઉછળી શકે છે. તટીય વિસ્તારોમાં ઝડપી પવન ફૂંકાવવાની સાથે વરસાદ પડવાની પણ સંભાવના છે.
આ જગ્યાઓએ પડી શકે છે મધ્યમ વરસાદ
7 નવેમ્બરે ગુજરાત પર ત્રાટકનારું મહા વાવાઝોડું તટીય વિસ્તારમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને દમણ તથા દીવમાં 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને સાથે જ મધ્યમ વરસાદની પણ સંભાવના છે. ગુજરાતમાં તેના પ્રવેશ કર્યા બાદ ભાવનગર, બાટોડ, નડિયાદ, ભરુચ, વડોદરા, સુરત, નર્મદા, છોટા ઉદેપુર, ગોધરા, દાહોદમાં અસર જોવા મળી શકે છે.