ગુજરાતમાં મહા વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. ત્યારે વીટીવીની ટીમ વેરાવળના બંદરે પહોંચી છે. વાવાઝોડાની અસરને લઈને બંદરે માછીમારો બંદર પર પરત ફર્યા છે. 2500થી વધુ બોટ વેરાવળ બંદર પર લાંગરવામાં આવી છે. વાવાઝોડાથી માછીમારેન નુકસાન વેઠવુ પડી રહ્યુ છે. જેને લઈને તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે.