હવામાન વિભાગનું કહેવું છે કે 26 અને 27મે ના રોજ સાઈક્લોન યાસ દેશના પૂર્વ તટીય વિસ્તારમાં દસ્તક આપી શકે છે.
તૌકતે બાદ વધુ એક વાવાઝોડાનો ખતરો
વાવાઝોડા 'યાસ'એ વધારી મુશ્કેલીઓ
બંગાળ અને ઓડિશામાં NDRFની ટીમો તૈનાત
શક્તિશાળી વાવાઝોડા 'તૌકતે' બાદ હવે દેશના પૂર્વ વિસ્તારમાં 26-27 મેની આસપાસ ચક્રવાતી વાવાઝોડા 'યાસ' દસ્તક આપી શકે છે. તેને પહોંચી વળવા માટે NDRFએ પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં પોતાની ટીમો તૈનાત કરી દીધી છે. અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું કે પશ્ચિમી તટીય વિસ્તારમાં વાવાઝોડા તૌકતેથી પ્રભાવિત રાજ્યોમાં બચાવ અને રાહત કાર્ય કરવા માટે મોકલવામાં આવેલી ટીમને પરત બોલાવી લેવામાં આવી છે.
કેન્દ્રએ પણ આ વાવાઝોડા માટે કુલ 101 ટીમોને તૈનાત કરી છે
એનડીઆરએફના મહાનિર્દેશક એસએન પ્રધાને ટ્વીટ કરીને કહ્યું કે પશ્ચિમ બંગાળ અને ઓડિશાના તટીય જિલ્લામાં યાસ વાવાઝાડા અને તેના દ્વારા સંભવીત પ્રભાવોને ધ્યાનમાં રાખીને ટીમોને હવાઈ માર્ગથી બોલાવવાનો નિર્ણય કર્યો છે. અધિકારીઓએ કહ્યું છે કે આવનાર વાવાઝોડા માટે એનડીઆરએફની કેટલી ટીમને સૂચન આપવામાં આવે. આ વખતે આ નિર્ણય ભારત હવામાન વિભાગ દ્વારા મળતી જાણકારીના આધાર પર લેવામાં આવશે. કેન્દ્રએ પણ આ વાવાઝોડા માટે કુલ 101 ટીમોને તૈનાત કરી છે. અરબ સાગરમાં આવેલા આ વાવાઝોડાએ મુખ્ય રૂપથી ગુજરાતના તટીય વિસ્તારોને અને મહારાષ્ટ્ર તથા ગાવા જેવા રાજ્યોને પ્રભાવિત કર્યા હતા. ગુજરાતના ગિર સોમનાથ જિલ્લાના ઉના વિસ્તારમાં સોમવારે રાતે તૌકતેએ દસ્તક આપી હતી અને લગભગ 28 કલાકની તબાહી બાદ તે ઓછા પ્રેશરના ક્ષેત્રમાં ફેરવાઈ ગયું.
NDRFની ટીમોને મળી પીપીઈ કીટ
એનડીઆરએફની દરેક ટીમમાં 47 જવાન હોય છે. જેમની પાસે ઝાડ અને થાંભલાઓ પર લટકવાના સાધનો, વાતચીત માટેનો સાધનો, હવા ભરી શકાય તેની હોડીઓ અને ફર્સ્ટ એડ કીટ હોય છે. આ ટીમોને કોવિડ-19ના પ્રકોપના કારણે નારંગી રંગની પીપીઈ કિટ આપવામાં આવી છે.
72 કલાકમાં ચક્રવાત વાવાઝોડામાં બદલવાની સંભાવના
ભારતીય હવામાન ખાતાએ ગુરુવારે ચક્રવાક યાસની જાણકારી આપતા કહ્યું કે 22 મેએ ઉત્તરી અંડમાન સાગર અને આસપાસના પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાં લો પ્રેશરનું ક્ષેત્ર બનવાની સંભાવના છે. વિભાગે જાણકારી આપી છે કે, 'આવતા 72 કલાકમાં ચક્રવાત ધીરે-ધીરે વાવાઝોડામાં ફેરે તેવીની આશંકા છે.' આ ઉત્તર પશ્ચિમ દિશાની તરફ વધી શકે છે અને 26મેની સાંજે પશ્ચિમ બંગાળ-ઓડિશાના તટીય વિસ્તારો સુધી પહોંચી શકે છે.'