વાયુ વાવાઝોડુ ભલે ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારની નજીક થઈને આગળ વધી રહ્યું હોય. તેમ છતાં કેટલાક વિસ્તારોમાંથી પવનને કારણે નુકસાન થયાના સમાચાર સામે આવ્યા છે. આ ત્રણ તસ્વીરોને જુઓ, પોરબંદર, કચ્છમાં પરિસ્થિતિને ગંભીરતાને સમજી શકાય છે.
ઉલ્લેખનીય છે કે, પોરબંદરના માધવપુરમાં વાયરલેસ ટાવર ધરાશાયી થયો છે. જાણકારી મળી છે કે અનેક ફરિયાદો બાદ પણ જૂના પોલીસ સ્ટેશનનો ટાવર નહીં ખસેડાતા છેવટે વાવાઝોડાએ તેને જમીનદોસ્ત કરી નાખ્યો. તો કચ્છના માંડવીમાં પણ તોફાની પવનનની અસર જોવા મળી. માંડવીથી મુન્દ્રા વચ્ચે દરિયા કિનારે આવેલી એક હોટેલના પતરા ઉડી ગયાં છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 13, 2019
પોરબંદરનો દરિયો ગાંડોતૂર બન્યો
વાયુ વાવાઝોડાની અસરને લઈને પોરબંદરનો દરિયો ગાંડોતૂર બન્યો છે. પોરબંદરના દરિયામાં 15 ફૂટથી ઊંચા મોઝા ઉછળી રહ્યા છે. જેને લઈને દરિયા કિનારાનો વિસ્તાર ખાલી કરવાનો કલેક્ટર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. વાવાઝોડાની અસર પોરબંદરના દરિયા કાંઠે પહોચી છે. પોરબંદરમાં ફૂંકાઈ તેજ પવન રહ્યો છે. જેને લઈને કલેક્ટર દ્વારા આસપાસના ગામો ખાલી કરવામાં આવ્યા છે.
વાયુ વાવાઝોડાની અસરથી પોરબંદરના રાણાવાવમાં ભારે પવન ફૂંકાયો હતો. ભારે પવનને કારણે કારણે મસમોટા પીપળાન વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતાં. કરીમનગર સોસાયટીમાં પીપળાનુ જૂનુ ઝાડ ધ્વસ્ત થઈ ગયું હતું. તો એક મકાનની દીવાલ પણ ધરાશાયી થઈ હતી.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 13, 2019
કચ્છ પોલીસનું સતત પેટ્રોલિંગ
વાયુ વાવાઝોડાના પગલે લોકો દરિયાકિનારે ન આવે તે માટે કચ્છના પોલીસનુ સતત પેટ્રોલિંગ ચાલું છે. પશ્ચિમ કચ્છના એસપીએ જણાવ્યુ હતું કે યુવાનોએ દરિયાકિનારે ફોટો પડાવવા ન આવવું. તો પોલીસ પણ લોકોને દરિયા કિનારે ન આવવા સમજાવી રહી છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 13, 2019
વાવાઝોડાનું સંકટ આખરે ગુજરાત પરથી ટળ્યું
વાયુ વાવાઝોડાનું સંકટ આખરે ગુજરાત પરથી ટળ્યું છે. વાયુ વાવાઝોડાએ પોરબંદરથી 250 કિમી દૂર સમુદ્રમાં ટર્ન લીધો છે. અરબી સમુદ્રમાં વાયુ વાવાઝોડાએ એડનના અખાત બાજુ ટર્ન લીધો છે અને શનિવાર સુધી વાયુ વાવાઝોડું સમુદ્રમાં જ રહેશે.અને શનિવારે સાંજે તે સમુદ્રમાં જ વિખેરાઈ જશે.
જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં બે દિવસ સુધી વાવાઝોડાની અસર રહેશે. તો ગીર-સોમનાથ, પોરબંદર, દ્વારકા અને અમરેલીમાં 40થી 70 કિમીની ઝડપે પવન ફુંકાઈ શકે છે. જ્યારે ગીર, પોરબંદર અને દ્વારકામાં હળવાથી ભારે વરસાદની પણ સંભાવના છે. જ્યારે બે દિવસ સુધી ભારે પવન સાથે સૌરાષ્ટ્રમાં વરસાદ થવાની પણ શક્યતા છે.