વાવાઝોડાના કારણે ઉનાના નવી બંદર ગામમાં તેજ પવન ફૂંકાઇ રહ્યો છે. જ્યારે દીવમાં વાયુ વાવાઝોડાના કારણે તોફાની પવન સાથે વરસાદ શરૂ થઇ ગયો છે. દીવમાં વૃક્ષો ધરાશાયી થતા રસ્તાઓ બ્લોક થઇ ગયા ત્યારે રસ્તાઓ વચ્ચેથી વૃક્ષોને હટાવવાની કામગીરી કરાઇ રહી છે. જો કે સંકટ ટળતા દીવમાં 9 નંબરનું સિગ્નલ હટાવી અને 8 નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે.
કંડલામાં 9 નંબરનું સિગ્નલ યથાવત
12 વાગ્યા સુધીની અપડેટ્સમાં જણાવીએ તો, કંડલા પોર્ટ પર પવનની ગતિ તેજ બની છે જેને લઇ હજુ પણ કંડલામાં 9 નંબરનું સિગ્નલ યથાવત છે. જ્યારે ગીરસોમનાથનો દરિયો તોફાની બન્યો છે. ગીરસોમનાથના દરિયામાં 15થી 20 ફૂટ ઊંચા મોજા ઉછડી રહ્યા છે.
દ્વારકા મંદિર પર પ્રથમ વખત ચડાવવામાં આવી બે ધજા:
વાવાઝોડાનું સંકટ ટળે તે માટે દ્વારકા મંદિરમાં પહેલીવાર દ્વારકાધીશને બે ધજા ચડાવવામાં આવી છે. સાથે જ મંત્રી જયદ્રથસિંહ પરમારે દ્વારકામાં લોકોને સાવચેત રહેવાની પણ અપીલ કરી છે. તો વાયુ વાવાઝોડાના કારણે સુરતના દરિયાકિનારામાં તેજ પવન ફૂંકાઇ રહ્યો છે.
વાવાઝોડાના કારણે આગામી 15 તારીખ સુધી પડશે ભારે વરસાદ
11 વાગ્યા સુધી શું થયું તેના પર નજર કરીએ તો, વાવાઝોડાના કારણે ગીરસોમનાથ અને ઉનાના દરિયા કિનારે ધીમીધારે વરસાદ શરૂ થઇ ગયો છે. વાયુ વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારે નહીં ટકરાય. જો કે વાવાઝોડાના કારણે આગામી 15 તારીખ સુધી ભારે વરસાદ પડશે.
જ્યારે અમદાવાદમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે. જેના કારણે આજે વરસાદની આગાહી કરવામાં આવી છે. વાયુ વાવાઝોડાની અસરના કારણે અમદાવાદમાં આજે 30થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઇ શકે છે.
પોરબંદરમાં કોસ્ટગાર્ડની પત્રકાર પરિષદ:
પોરબંદરમાં કોસ્ટગાર્ડ દ્વારા જણાવવામાં આવ્યું કે, વાવાઝોડુ સમુદ્રમાં 120 કીમી દૂર છે, જે ગુજરાતના કીનારા પાસેથી પસાર થશે. હજુ તમામ પરિસ્થિતિ સાફ થતાં 8 થી 9 કલાક લાગશે જેથી લોકો સુરક્ષિત જગ્યાએ જ રહે, વાવાઝોડુ ખુબજ ધીમી ગતિએ આગળ વધી રહ્યુ છે.
વાવાઝોડાની અસરના કારણે 27 ફ્લાઇટ્સ કરાઇ ડાયવર્ટ
જ્યારે વાવાઝોડાની અસર દિલ્લીમાં પણ થઇ છે. દિલ્લીમાં કુલ 27 ફ્લાઇટ્સ ડાયવર્ટ કરી દેવાઇ છે જેના કારણે કેટલીક ફ્લાઇટો મોડી પણ પડી છે. જ્યારે મહારાષ્ટ્ર, બિહાર અને રાજસ્થાનમાં પણ વરસાદ પડી રહ્યો છે. જો કે રાજ્યમાં સુરતના ઓલપાડના દરિયાકાંઠા વિસ્તારમાં વાતાવરણ સામાન્ય બન્યું છે. પવનની ગતિમાં ગતરોજ કરતા ઘટાડો થયો છે. જ્યારે કચ્છના માંડવી બીચ પર તેજ પવન ફૂંકાયો છે જેના તકારણે સલામતીને લઇ બીચ પર પોલીસ જવાનો તહેનાત કરી દેવાયા છે.
તેજ પવનના કારણે ઠેર ઠેર મકાનો ધરાશાયી
તો જામનગરમાં સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે અને સચાણા બંદર ખાતે તેજ ગતિએ પવન ફૂંકાઇ રહ્યો છે. જ્યારે દીવમાં દરિયો તોફાની બન્યો છે અને 25 ફૂટ ઊંચા મોજા ઉછડી રહ્યા છે. ત્યારે ભાવનગરમાં તેજ પવનના કારણે PGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી થયું જેના કારણે હાલ વીજળી ગુલ થઇ ગઇ છે. તો ગીરસોમનાથના માધવાડમાં દરિયાકિનારે પાસેના 7 જેટલા મકાનો ધરાશાયી થયા છે. જ્યારે વાવાઝોડાને પગલે પંચમહાલ ST વિભાગે સૌરાષ્ટ્ર તરફ જતી 15 જેટલી ટ્રીપ રદ કરી દેવાઇ છે.
વાયુ વાવાઝોની 10 વાગ્યા સુધીની અપડેટ્સ પર નજર કરીએ તો, વાયુ વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારે નહીં ટકરાય. જો કે વાવાઝોડાના કારણે આગામી 15 તારીખ સુધી ભારે વરસાદ પડશે. હાલ વાયુ વાવાઝોડું વેરાવળથી 110 કિલોમીટર દૂર અને પોરબંદરથી 150 કિલોમીટર દૂર છે. ત્યારે વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રના દરિયાકિનારે 40થી 50 કિમીનો પવન ફૂંકાય તેવી શક્યતા છે.
વાયુ વાવાઝોડાના કારણે ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકા, અમરેલી, જૂનાગઢ, પોરબંદરમાં ભારે વરસાદ રહેશે. ઉપરાંત કચ્છ, જામનગર, દ્વારકામાં પણ પવન સાથે વરસાદ પડશે. જ્યારે સુરતના રાંદેર, મોરાભાગલ, દાંડીરોડ વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થઇ ગયો છે. ત્યારે હાલ સુરત મનપાની 100 સભ્યોની રેસ્ક્યૂ ટીમ સ્ટેન્ડબાય રખાઇ છે.
સ્થળાંતરિત લોકોએ હજુ ત્યા જ રહેવા સરકારની અપીલ:
ગુજરાતમાં વાયુ વાવાઝોડાનું સંકટને લગભગ ટળી ગયું છે, પરંતુ સ્થળાંતરિત લોકોએ હજુ ત્યા જ રહેવા સરકાર દ્વારા અપિલ કરવામાં આવી છે. સાથે જ લોકોને સરકાર દ્વારા દરિયા કિનારા પર લોકોને ન જવા માટે અપિલ કરવામાં આવી છે...
વાવાઝોડાના કારણે શાળાઓમાં રજા:
જ્યારે સિવિલ હોસ્પિટલમાં 30 બેડ રિઝર્વ રખાયા છે. ઉપરાંત સુરતના ચોર્યાસી, ઓલપાડના કાંઠા વિસ્તારના 31 ગામોની શાળાઓમાં રજા આપી દેવાઇ છે. જ્યારે વાવાઝોડાના કારણે વલસાડની 39 શાળાઓમાં રજા જાહેર કરી દેવાઇ છે અને વલસાડના દરિયાકિનારે SRPના જવાનો ખડેપગે છે. તો હાલ જૂનાગઢના માંગરોળનો દરિયો તોફાની બન્યો છે જ્યાં NDRF અને આર્મીની ટીમ તહેનાત કરી દેવાઇ છે. વાયુ વાવાઝોડાના કારણે મુંબઈથી અમદાવાદ આવતી ટ્રેન 5 કલાકથી વધુ મોડી પડી છે.
વાયુ વાવાઝોડાને લઇ ગુજરાત માટે રાહતના સમાચાર
વાયુ વાવાઝોડાને લઇને 13 જુને સવારે 8:30 વાગ્યે વાયુની દિશા બદલાઈ હોવાની અપડેટ આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વાયુ વાવાઝોડાની ગુજરાતમાં કોઈ અસર નહીં થાય. આ વાવાઝોડું પોરબંદર નજીકથી પસાર થાય તેવી શક્યતા છે. હાલ જે કેટેગરી 2નું વાવાઝોડું છે તે કેટેગરી 1માં પરિવર્તિત થાય તેવી સંભાવના છે. લો પ્રેશરમાંથી ભયંકર વાવાઝોડામાં પરિવર્તિત થયેલું વાયુ વાવાઝોડું કદાચ ગુજરાતના દરિયાકાંઠે નહીં ટકરાય. વાયુ હાલ ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. જે રીતની પરિસ્થિતિ ઉભી થઈ રહી છે તેના પરથી એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે નહીં ટકરાય પરંતુ પોરબંદર, દ્વારકા અને ઓખાના દરિયાકાંઠાની નજીકથી પસાર થશે. કાંઠાના વિસ્તારમાં થોડી અસર જોવા મળે તેવી શક્યતા વર્તાઈ રહી છે.
સ્કાયમેટના મતે હાલ વાયુ વાવાઝોડું વેરાવળથી 150 કિલોમીટર દૂર છે પરંતુ આંશિક દિશા બદલાતા પોરબંદરના દરિયાકિનારાથી ઓમાનના દરિયા તરફ ફંટાઇ શકે છે. આથી ગુજરાત માટે થોડાંક રાહતના સમાચાર કહી શકાય. જો કે આ બાબત અંગે હાલ ગુજરાત સરકાર દ્વારા કોઇ સત્તાવાર જાહેરાત કરાઇ નથી પરંતુ બપોરે આ અંગે જાહેરાત કરાય તેવી શકયતા છે. વાયુ વાવાઝોડું કેટેગરી 1 માંથી 2માં ફેરવાઇ ગયું છે. આમ વાવાઝોડાની વિનાશકતા ઓછી પડી છે.
12 જૂન મોડી રાત સુધીની અપડેટ્સ
વાયુ વાવાઝોડું ઝડપથી ગુજરાતના દરિયા કિનારા તરફ આગળ વધી રહ્યું છે. જેની અસર રાજ્યમાં થવા પણ લાગી છે. પોરબંદરના દરિયામાં જળસ્તરમાં વધારો થયો છે. બીજી તરફ દરિયાકાંઠા પર વસેલા કેટલાક ગામોમાં દરિયાનું પાણી ઘુસી ગયું છે. NDRFની 52 ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. સાથે SDRFની 9, SRPની 14 કંપનિઓ, 300 મરીન કમાન્ડો અને 9 હેલિકોપ્ટર પણ નક્કી સ્થળો પર તૈનાત કરી દેવામાં આવ્યા છે. હવામાન વિભાગે વાવાઝોડું ગુરૂવારે બપોરે વેરાવળથી દ્વારકા વચ્ચે ગુજરાતના દરિયા કિનારે ટકરાવાની સંભવાના દર્શાવી છે. હવામાન વિભાગે આ દરમિયાન હવાની ગતિ 150 કિમીથી લઇને 180 કિમી પ્રતિ કલાક રહેવાની શક્યતા છે.
મોડી રાતે 1 વાગ્યે પોરબંદરથી અપડેટ આવી હતી. જેમાં દરિયામાં કરંટ જોવા મળતા ભારે મોજાં ઉછળતાં જોવા મળ્યા હતાં. દરિયાની સપાટી પણ સામાન્ય જોવા મળી હતી. દરિયાના ઉંચા મોજાં ચોપાટીનાં રસ્તા પર પહોંચતા દરિયાઇ માટી અને પથ્થરો રસ્તા પર જોવા મળ્યાં હતાં.
સૌપ્રથમ વાયુ અહીં ટકરાઈ શકે છે
વાયુ ચક્રવાતને લઈને હાલમાં જૂનાગઢના માંગરોળ દરિયાકિનારે સ્થિતિ ભયજનક બની છે. ખાસ કરીને જણાવવામાં આવી રહ્યું છે કે વાવાઝોડું સૌથી પહેલુ માંગરોળમાં અથડાય તેવી સ્થિતિ બની રહી છે. હાલમાં જૂનાગઢ જિલ્લાના કુલ 32 હજાર લોકોને સલામત સ્થળે ખસેડાયા છે. સ્થાનિક તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે આખરી તૈયારીઓ શરૂ કરી દેવાયું છે અને માંગરોળ તાલુકાના 25 હજાર જેટલા લોકોનું સ્થળાંતર કરાયું છે. આ ઉપરાંત માળિયા માંગરોળ બાદ મેંદરડા તાલુકામાં 36 લોકોને સલામત સ્થળે ખસેડાયા છે.
દિલ્હી તેમજ પટનાથી NDRFની ટીમ રાત્રે 12.30 ગુજરાત પહોંચી
અમદાવાદ એરપોર્ટ પર NDRFના જવાનો પહોંચ્યા. દિલ્હીથી NDRFની 6 ટીમ ગુજરાત પહોંચી. અમદાવાદથી ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં ટીમ પહોંચશે. તમામ પ્રકારની બચાવ સામગ્રી સાથે જવાનો તૈનાત રહેશે. જોકે આજે સવારે વિમાન મારફતે NDRFની 7 ટીમો ગુજરાત પહોંચી હતી. IAF અને NDRFની ટીમને જામનગર અને અમદાવાદ સુધી એરલીફ્ટ કરાઈ હતી. ચેન્નઇથી 6 ટીમો જામનગર એરલીફ્ટ કરાઇ છે જ્યારે પટનાથી એક ટીમ અમદાવાદ એરલીફ્ટ કરાઇ હતી.
મહત્વનું છે કે, કંટ્રોલરૂમની મુલાકાતે મુખ્યમંત્રી CM રૂપાણીએ રાત્રીના 12 કલાકે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે વાયુ વાવાઝોડાને લઇને તૈયારીઓ વિશે વાત કરી હતી.
CM રૂપાણીની મહત્વની વાતો
1. પોણા ત્રણ લાખથી વધુ લોકોનું અત્યાર સુધી સ્થળાંતર કરાયું છે. 10થી15 હજાર લોકોનું સ્થળાંતર બાકી છે. જરૂર પડશે તો હજુ પણ કાલે સ્થળાંતર કરાશે
2. સવારે 8 વાગ્યા સુધીમાં વાયુ વાવાઝોડાંની અસર શરૂ થઈ જશે. બપોરે 2થી 3ની વચ્ચે ટકરાય તેવી શક્યતા.
3. વેરાવળ-દ્વારકાની વચ્ચે વાવાઝોડું આવશે.
4. 57 તાલુકાઓમાં ઓછો-વધતો વરસાદ પડ્યો છે.
5. પ્રધાનમંત્રી કાર્યાલય અને ગૃહ મંત્રાલય સાથે રાજ્ય સરકાર સતત સંપર્કમાં છે.
6. NDRFની તમામ ટીમો ગુજરાતમાં પહોંચી ચૂકી છે અને સ્ટેન્ડ ટૂ રાખવામાં આવી છે. પોલીસકર્મીઓ રાત્રે પણ પેટ્રોલિંગ કરતા રહેશે
7. ફાયરબ્રિગેડ, આર્મી, PGVCL, પાણી પુરવઠા વિભાગની ટીમોને તૈયાર રખાઈ છે.
8. વાવાઝોડાંની તીવ્રતા જરા પણ ઓછી થઈ નથી.
રાત્રે 11 વાગ્યે કંટ્રોલ રૂમની મુલાકાતે રૂપાણી
મુખ્યમંત્રી વિજય રૂપાણી ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકી રહેલા વાવાઝોડાની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. રાત્રે 11 વાગ્યાની આસપાસ તેઓ કન્ટ્રોલરૂમની મુલાકાતે આવ્યા હતા. કંટ્રોલરૂમમાં નિરીક્ષણ કર્યું હતું. અધિકારીઓ સાથે રૂપાણીએ સમીક્ષા બેઠક કરી છે, જેમાં દરિયાકાંઠાની સ્થિતિ અંગે સમીક્ષા કરી રહ્યાં છે.
રાત્રે 10 વાગ્યા સુધીની અપડેટઃ સૌરાષ્ટ્રમાં પરિસ્થિતિ
1. પોરબંદર ચોપાટી પર ચુસ્ત બંદોબસ્ત
પોરબંદરમાં વાયુ વાવાઝોડાને પગલે તંત્ર એલર્ટ સ્થિતિમાં છે. દરિયા કાંઠે વધી રહેલા કરંટ પર સતત નજર રખાઈ રહી છે. કલેક્ટર, SP, ડિઝાસ્ટર ટીમ, ST વિભાગ અને આરોગ્ય વિભાગ સતર્ક રાખવામાં આવ્યા છે. જ્યારે કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા અને સાંસદ રમેશ ધડુક રાત્રિ રોકાણ કરશે તેવા સમાચાર મળી રહ્યાં છે. આવતીકાલે દરિયા કિનારે ન જવા પ્રચાર માધ્યમથી અપીલ કરાઈ રહી છે. જ્યારે પોરબંદર ચોપાટી પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
2. જામનગરમાં 9 નંબરનું ભયજનક સિગ્નલ લગાવાયું
જામનગરમાં વાયુ વાવાઝોડાની અસર શરૂ થઈ ગઈ છે. જામનગરમાં સુસવાટા સાથે પવન ફૂંકાવાનું ચાલુ થયુ છે. જેને લઈને રોજી બંદર,બેડી બંદર અને સિક્કા બંદરમાં 9 નંબરનું ભયજનક સિગ્નલ લગાવવામાં આવ્યુ છે તો વાયુ વાવાઝોડાને લઈને જામનગરમાં રાત્રે પણ કંટ્રોલ રૂમ ચાલી રહ્યો છે. ત્યારે કલેક્ટર સહિતના અધિકારીઓ સતત કંટ્રોલ રૂમના સંપર્કમાં છે. મહત્વનું છે કે, વાયુ વાવાઝોડાની ગતિમાં વધધટ થયા કરે છે.
3. દ્વારકામાં 194 ગામડાઓ ખાલી કરાયા
વાયુ વાવાઝોડાને લઈ આખરી ઘડીની કવાયત હાથ ધરાઈ છે. જેના ભાગરૂપે દેવભૂમિ દ્વારકામાં 194 ગામોને ખાલી કરાવાયા છે. તો ખંભાળિયા તાલુકામાંથી 16 હજાર 474 લોકોનું સ્થળાંતર કરાયુ છે. જ્યારે દ્વારકા તાલુકામાંથી 12 હજાર 96 લોકોને સલામત સ્થળે ખસેડાયા છે. આ ઉપરાંત કલ્યાણપુર તાલુકામાંથી 6 હજાર 900 લોકોને ખસેડાયા છે. તો ભાણવડ તાલુકામાંથી 3 હજાર 141 લોકોનું સ્થળાંતર કરાયુ છે. આમ, વાયુ વાવાઝોડાને લઈને જિલ્લાના કુલ 38 હજાર 683 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ છે.
4. સુરેન્દ્રનગરમાં નહીંવત અસર
વાયુ વાવાઝોડાની સુરેન્દ્રનગર જિલ્લામાં નહીંવત અસર રહેશે. સુરેન્દ્રનગર સાંજથી વાવાઝોડાની અસરના પગલે વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. ધ્રાંગધ્રા અને પાટડી રણકાંઠાના વિસ્તારોને અલર્ટ અપાયું છે.
5. ભાવનગરમાં સ્થિતિ નિયંત્રણમાં હોવાનો તંત્રનો દાવો
વાયુ વાવાઝોડા અસર કરનારાના વિસ્તારમાં તંત્રની નજર છે. ભાવનગરના 4 તાલુકાના 34 ગામોને એલર્ટ કરાયા છે. હાલ જિલ્લામા વાદળછાયું વાતાવરણ વચ્ચે પવન ફૂંકાઈ રહ્યો છે. અત્યાર સુધીમાં 28 હજાર લોકોનું સ્થળાંતર કરાયું છે. પ્રભાવિત થઈ શકે તેવા વિસ્તારોમાં 2 NDRF અને 1 આર્મીની ટુકડી તૈનાત કરવામાં આવી છે.
6. અમરેલીના જાફરાબાદ બંદર પર 9 નંબરનું સિગ્નલ
હાલ અમરેલીમાં ભારે પવન સાથે ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના 73 જેટલા ગામોના લોકોને સલામત સ્થળે ખસેડાયા છે. NDRFની 5 ટીમ, SDRFની એક, આર્મીની એક ટીમ તૈનાત કરવામાં આવી છે.
મુખ્ય કન્ટ્રોલ રૂમમાં 14 સીનિયર IAS અધિકારીઓ
પંકજ કુમાર મુજબ, ગાંધીનગર ખાતે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં મુખ્ય કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો છે. જેમાં 14 જેટલા સિનિયર આઇ.એ.એસ. અધિકારીઓ વાવાઝોડા સંદર્ભે તેમના સંબંધિત વિભાગોની કામગીરીનું મોનિટરિંગ કરી રહ્યા છે. મુખ્ય કંટ્રોલ રૂમ ખાતે જી.ઇ.બી., માર્ગ-મકાન, પોલીસ, ફિશરીઝ, સિંચાઇ અને બાયસેગના ઉચ્ચ અધિકારીઓની ટીમ પણ કાર્યરત છે. જઓ તેમના વિભાગની કામગીરીનું સંબંધિત જિલ્લા સાથે સંકલન કરી રહ્યા છે.
અગ્ર સચિવ જે.પી ગુપ્તાનું નિવેદન
ગુપ્તાએ જણાવ્યું કે, કુદરતી આફતોમાં વાવાઝોડું દરિયાકાંઠામાં ત્રાટકતું હોય છે. વાવાઝોડું હવાના ઓછા દબાણથી ઉત્પન્ન થાય છે. ગુજરાતમાં બે સીઝનમાં વાવાઝોડું આવે છે. વાવાઝોડું ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ચાલે છે. કાંઠા વિસ્તારમાં આવતા વાવાઝોડાની ગતિ ઓછી થશે. વાવાઝોડાના કારણે 6થી 10 ઇંચ વરસાદ વરસી શકે છે. વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે. દરિયાઇ વિસ્તારમાં દરિયાનું પાણી રહેણાંક વિસ્તારમાં આવી શકે છે.
70 ટ્રેન કેન્સલ
વાવાઝોડાની અસર થનારા વિસ્તારોને ખાલી કરાવવામાં આવી રહ્યા છે. રેલવેની ત્રણ સ્પેશિયલ ટ્રેનોથી રાજકોટ ડિવિઝન, ભાવનગર ડિવિઝન અને વીરવાલના દરિયાકાંઠાના લોકોને બહાર લઇ જવાઇ રહ્યા છે. ત્યારે પશ્વિમ રેલવેએ વાવાઝોડાના કારણે 70 ટ્રેનો રદ્ કરી દીધી છે. આ સિવાય 28 ટ્રેનોના માર્ગ નાના કરી દેવામાં આવ્યા છે એટલે આંશિક રીતે રદ્ કરી દેવાયા છે.
Western Railway: 30 more mainline trains have been cancelled, as a precautionary measure in the cyclone prone areas. #CycloneVayu https://t.co/2bzr74s8yZ
— ANI (@ANI) June 12, 2019
Western Railway: In addition to the earlier 15 trains, 25 more mainline trains have been cancelled, while in addition to the earlier 16 trains, 12 other mainline trains will be short terminated with partial cancellation as a precautionary measure in the #VayuCyclone prone areas. https://t.co/sj54W0Sz7P
— ANI (@ANI) June 12, 2019
બુધવાર રાત્રીથી ગુરૂવાર રાત્રી સુધી હવાઇ સેવા અટકાવાઇ
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ એરપોર્ટ પર વાયુના કારણે નુકસાન ઓછું કરવા અને યાત્રીઓને અસુવિધાથી બચાવવા માટે પોરબંદર, દીવ, ભાવનગર, કેશોદ અને કંડલામાં બુધવાર અડધી રાત્રીથી ગુરૂવારની અડધી રાત્રી સુધી ફ્લાઇટો રદ કરી દેવાનો નિર્ણય લેવાયો છે.
ગુજરાતના તમામ બંદરો પર લગાવાયું 9 નંબરનું સિગ્નલ
વાયુ વાવાઝોડાની દહેશતને લઈને રાજ્યના વેરાવળ, ભાવનગર, પોરબંદર સહિત તમામ દરિયાકાંઠાના જિલ્લામાં 9 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. આ પહેલા 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું હતુ. જેને ઉતારીને 9 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.
PGVCL તંત્ર એલર્ટ
વાયુ વાવાઝોડાના પગલે PGVCL તંત્ર એલર્ટ થઈ ગયું છે. ઊર્જા મંત્રી સૌરભ પટેલે 49 ટીમો સ્ટેન્ડબાય તૈયાર રાખી છે. PGVCL, DGVCL, UGVCL અને MGVCLની 49 ટીમ બોલાવાઈ. સંભવિત અસરગ્રસ્ત વિસ્તારમાં 8500 પોલ શિફ્ટ કરવામાં આવ્યા છે.
વેરાવળના દરિયામાં ઉછળ્યા 20 ફૂટ ઉંચા મોજા
વાયુ વાવાઝોડાને લઈને વેરાવળનો દરિયો ગાંડોતૂર બન્યો છે. 20 ફૂટ જેટલા ઉંચા મોજા ઉછડી રહ્યા છે. જેમ જેમ ચક્રવાત વાયુ નજીક આવી રહ્યું છે તેમ તેમ દરિયો વધુ તોફાની બનતો જઈ રહ્યો છે. મળતી માહિતી પ્રમાણે, હાલ વેરાવળથી 230 કિલોમીટર દૂર વાવાઝોડું વાયુ છે. જે આવતીકાલે બપોર સુધીમાં ત્રાટકી શકે છે.
સેનાએ શરૂ કર્યું ઓપરેશન
વાયુ વાવાઝોડાના કારણે પોરબંદરમાં દરિયાનું જળસ્તર વધવા લાગ્યું છે. માધોપુરના કેટલાક ગામોમાં દરિયાનું પાણી ઘુસી ગયું છે, જ્યાં માછીમારો રહે છે. સેના, એનડીઆરએફ અને પોલીસ રાહત માટે સંયુક્ત ઓપરેશન શરૂ કરી દીધું છે.
વાયુ માટે તૈયાર NDRF ટીમોઃ અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે વાયુ વાવાઝોડુ ગુજરાત અને દિવસ સુધી પહોંચવાનું છે. હું લોકોની સુરક્ષા માટે પ્રાર્થના કરૂ છું. ગૃહ મંત્રાલય રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સંપર્કમાં છે. એનડીઆરએફએ 52 ટીમોને તૈનાત કરી છે.
As Cyclone ‘VAYU’ is expected to cross Gujarat coast between Porbandar & Diu, I pray for the safety of the people.
— Amit Shah (@AmitShah) June 12, 2019
MHA is in continuous touch with the State Govts/UT and Central Agencies. NDRF has pre-positioned 52 teams equipped with boats, tree-cutters, telecom equipments etc.
3 લાખ લોકોનું કરાયું સ્થળાંતરઃ અમિત શાહ
ગુજરાતમાં અંદાજિત 3 લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જ્યારે દિવમાંથી 10 હજાર લોકોને સલામત સ્થળો પર લઇ જવાયા છે. ભારતીય કોસ્ટ ગાર્ડ, નેવી, આર્મી અને એરફોર્સ તૈનાત કરી દેવામાં આવી છે. એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર પર યોગ્ય સ્થળ પર તૈનાત કરી દેવાયા છે.
Gujarat has evacuated about 3 lakh people and Diu has evacuated over 10,000 people from low lying areas to safer places.
— Amit Shah (@AmitShah) June 12, 2019
Indian Coast Guard, the Navy, Army & Air Force units have also been put on standby. Aircrafts and helicopters are carrying out aerial surveillance.
57 તાલુકાઓમાં વરસાદ વરસ્યો
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છમાં ગુરૂવારે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આ વાવાઝોડું ગુજરાત પહોંચે તે પહેલા તેની અસર શરૂ થઇ ગઇ છે. રાજ્યના જામનગર, નર્મદા, વડોદરા વલસાડ, ગીર સોમનાથ, ઉના, ડાકોર, નડીયાદ, સેવાલીયા, ખેડા, કચ્છ, દાહોદ, અરવલ્લી, સાબરકાંઠા, અમદાવાદ સહિત વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. કુલ 57 તાલુકામાં વરસાદ આવ્યો છે.
કંટ્રોલરૂમ નંબરની યાદી.
ગાંધીનગર કંટ્રોલ રૂમ
સૌરાષ્ટ્ર કંટ્રોલ રૂમ
હેલ્પ લાઇન નંબર: