રાજકોટમાં વાયુ વાવાઝોડાને લઈને તંત્ર અલર્ટ પર છે. સૌરાષ્ટ્રમાં વાવાઝોડાની અસરને ધ્યાને રાખીને NDRFને અલર્ટ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ NDRFની ટીમ રાજકોટ પહોંચી છે. તેમજ 1 PI, 1 PSI સહિત 32 જવાનોની ટુકડી સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે. તો 17 બોટ સાથે NDRFની ટીમ સજ્જ રહેશે. મહત્વનું છે કે,અરબી સમુદ્રમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થઇ રહ્યું છે. અને આ વાવાઝોડાને વાયુ નામ આપવામાં આવ્યું છે. આ વાવાઝોડુ 12 જૂનની રાત્રે ત્રાટકવાની શક્યતા સેવાઈ રહી છે. જેને લઈને દરિયાકાંઠાના વિસ્તારોમાં અલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે..