રાજ્ય પરથી વાયુ વાવાઝોડાનો ખતરો ટળ્યો છે, પણ હજુ તેની અસર યથાવત છે. જ્યારે દ્વારકામાં NDRFએ દરિયામાં ફસાયેલા માછીમારને આબાદ બચાવી લીધો છે. NDRFની ટીમે દરિયામાં ફસાયેલા માછીમાર યુવકને સુરક્ષિત બહાર કાઢ્યો છે.
NDRFની ટીમે બસીર નામના યુવકને દરિયમાંથી સુરક્ષિત બહાર કાઢતા યુવકના પરિવારમાં પણ ખુશીની લાગણી જોવા મળી. જ્યારે આ યુવક દરિયામાં માછીમારી માટે ગયો હતો ત્યારે તેનું પરિવાર પણ ખૂબ ચિંતિત હતુ, પરંતુ NDRFએ યુવકને બચાવી લેવા પરિવારમાં પણ હર્ષની લાગણી જોવા મળી છે.
તો બીજી તરફ દ્વારકામાં દરિયાકાંઠેથી 300 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. રૂપેણની પ્રાથમિક શાળામાં તંત્ર દ્વારા સ્થાનિકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. NDRF અને સ્થાનિક પોલીસ લોકોની સુરક્ષા માટે સ્ટેન્ડ ટુ છે. કુદરતી હોનારત સામે લડવા માટે તંત્ર પણ સજ્જ છે. ત્યારે સ્થળાંતરિત કરવામાં આવેલા લોકોને તંત્ર દ્વારા વિવિધ સુવિધાઓ પણ આપવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત પર વાયુ વાવાઝોડાનું સંકટ ટળ્યું છે પણ હજુ તેની અસર યથાવત છે.