અરબ સાગરમાં હવાના લો પ્રેશરની સ્થિતિ ઉત્પન્ન થવાને કારણે ચક્રવાત 'વાયુ'ના 13 જૂને ગુજરાત પહોંચવાની આશંકા દર્શાવાઇ રહી છે. હવામાન વિભાગ મુજબ, આવનાર 24 કલાકમાં વાવઝોડુ ગંભીર રૂપ લઇ શકે છે. આ દરમિયાન હવાની ઝડપ 160 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. અહીં જાણો, ભારતમાં આવેલા અત્યાર સુધીના સૌથી શક્તિશાળી વાવાઝોડા વિશે.
'ફેની' વાવાઝોડુ
મે 2019માં આવેલા આ વાવાઝોડાની સૌથી વધારે અસર ઓરિસ્સામાં જોવા મળી. આ વાવાઝોડામાં 60થી વધારે લોકોના મૃત્યું થયા હતા. વાવાઝોડાનો સૌથી વધારે પ્રભાવ પુરીમાં જોવા મળ્યો હતો. જ્યા લગભગ 40 લોકોના મોત થયા હતા.
'ભોલા' વાવાઝોડુ 1970
3 નવેમ્બર 1970માં આવેલા ભોલા વાવાઝોડાએ બાંગ્લાદેશ અને ભારતના પ.બંગાળમાં કહેર વરસાવ્યો હતો. આ ભારતમાં આવેલા અત્યાર સુધીના સૌથી વધારે શક્તિશાળી વાવાઝોડામાં પહેલા સ્થાન પર છે. આ વાવાઝોડામાં ઓછામાં ઓછા 5 લાખ લોકોના મોત થયા હતા.
ઓરિસ્સા વાવાઝોડુ 1999
25 ઓક્ટોબર 1999માં આવેલા ઓરિસ્સા વાવાઝોડામાં 10405 લોકોના મોત થયા હતા. ઓરિસ્સા વાવાઝોડાની ઝડપ 260 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી ગઇ હતી.
આંધ્ર પ્રદેશ વાવાઝોડુ 1977
14 નવેમ્બર 1977ના રોજ આંધ્રપ્રદેશમાં આવેલા વાવાઝોડામાં સત્તાવાર રીતે 10 હજાર લોકોના મોત થયા હતા. આ દરમિયાન હવાની ઝડપ 250 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી ગઇ હતી.
ઉત્તર હિંદ મહાસાગર તોફાન 1969
3 જાન્યુઆરીથી 7 ડિસેમ્બર 1969 દરમિયાન આવેલા નાના-નાના વાવાઝોડામાં લગભગ 11735 લોકોના મોત થયા હતા.
નીલમ વાવાઝોડુ 2012
28 ઓક્ટોબર 2012માં આવેલા વાવાઝોડા નીલમ દરમિયાન 75 લોકોના મોત થઇ ગયા હતા. જ્યારે 1000 થી વધારે લોકો ઘાયલ થઇ ગયા હતા.
હુદહુદ વાવાઝોડુ 2014
7 ઓક્ટોબર 2014ના રોજ આવેલા હુદહુદ વાવાઝોડામાં 124 લોકોના મોત થઇ ગયા હતા. આ વાવાઝોડામાં આંદમાન નિકોબાર, આંધ્રપ્રદેશ, વિશાખાપટ્ટનમ, ઓરિસ્સા, છત્તીશગઢ, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશમાં હાહાકાર મચાવ્યો હતો.