કુદરતી પરિબળો સામે મનુષ્યની તાકાતની કોઈ વિસાત હોતી નથી. વાત ધરતીકંપની હોય કે વિનાશ વેરતા પૂરની હોય. વાત કાળઝાળ દુષ્કાળની હોય કે ઈમારતો ફંગોળી દેતા વાવાઝોડાની હોય. તમામ કુદરતી આપત્તિમાં મનુષ્યનો હાથ હંમેશા હેઠો જ રહેવાનો. જો કે, ટેક્નોલોજીનાં સહારે મળતી માહિતીથી સાવધાની દાખવીને શક્ય તેટલી ખુવારી ટાળવા તૈયારી કરી શકાય છે. વિજ્ઞાનની શોધો અને મશીનરીનાં સંશોધનોએ કુદરતી આપત્તિ વખતે રાહત અને બચાવ કામગીરીને સરળ જરૂર કરી આપી છે
વિનાશકારી વાયુ રાજ્યનાં દરિયાકાંઠે ભલે ન ટકરાયું પરંતુ તેના વેગીલા પવને માર્ગમાં જે આવ્યું તે મકાન, વીજપોલ અને વૃક્ષોને જમીનદોસ્ત કરી નાખ્યા છે. કુદરતનાં આ બળ સામે બધુ ઝુક્યું પરંતુ ન ઝૂકી તો એક માત્ર માનવતા. એક તરફ વાયુ રાજ્ય પર વિનાશવેરવાની તૈયારી કરી રહ્યુ હતું તો અહીં માનવતા એકજૂથ થઈ રહી હતી. વાવાઝોડાના સંભવિત સંકટને જોતાં સરકાર જીરો કેષ્યુલિટીનાં નિર્ધાર સાથે સતર્ક બની રહી હતી. તો આ તરફ રાજ્યનાં નાગરિકોએ પણ એકજૂથ થઈને વાવાઝોડાનો સામનો કરવા પ્રયત્ન શરૂ કરી દીધા હતાં. સહિયારી આપત્તિને ખાળવા મતભેદ ભૂલી કેવી રીતે એકમત થાય છે રાજ્યનાં નાગરિકો તે જોઈએ આ અહેવાલમાં.
કુદરતી પરિબળો સામે મનુષ્યની તાકાતની કોઈ વિસાત હોતી નથી. વાત ધરતીકંપની હોય કે વિનાશ વેરતા પૂરની હોય. વાત કાળઝાળ દુષ્કાળની હોય કે ઈમારતો ફંગોળી દેતા વાવાઝોડાની હોય. તમામ કુદરતી આપત્તિમાં મનુષ્યનો હાથ હંમેશા હેઠો જ રહેવાનો. જો કે, ટેક્નોલોજીનાં સહારે મળતી માહિતીથી સાવધાની દાખવીને શક્ય તેટલી ખુવારી ટાળવા તૈયારી કરી શકાય છે. વિજ્ઞાનની શોધો અને મશીનરીનાં સંશોધનોએ કુદરતી આપત્તિ વખતે રાહત અને બચાવ કામગીરીને સરળ જરૂર કરી આપી છે પરંતુ આ સાધનોનાં વપરાશના ફળ તાલીમ પામેલા કર્મચારીઓની સજ્જતા પણ આધાર રાખે છે.
પરંતુ હવે જ્યારે રાજ્ય પર
વાયુનું સંકટ તોળાઈ રહ્યું છે ત્યારે સરકારી તંત્ર સાથે સાથે રાજ્યના નાગરિકોએ પણ આફતને સહિયારી સમજી લીધી છે. રાજ્યનાં નાગરિકો એકબીજા સાથે ખભેખભો મિલાવીને આવનારા સંકટમાં મદદનો ધોધ વહાવવા તૈયારી કરી રહ્યાં છે. એક સાથે ભેગા મળીને રસોઈ બનાવી રહેલા આ લોકોને સંભવિત અસરગ્રસ્ત નાગરિકોની વેદનાનો ચિત્કાર અત્યારથી જ સંભળાઈ રહ્યો છે. જીવ બચશે તો લાખો મળ્યાં ગણાશે પરંતુ તે પછી ભૂખને કોણ ઠારશે? તે સવાલોનો જવાબ આ રસોડામાંથી મળી રહ્યો છે.
સામાન્ય વાતોમાં મતભેદો ધરાવતા રાજ્યના નાગરિકો અસમાન્ય સંકટમાં કેવા એક થઈને સેવારત બની જાય છે. કદાચ આને માનવતા કહો કે મનુષ્યની મૂળ પ્રકૃત્તિ કહો આ બાબત જ પૃથ્વી પર માણસજાતને જીવતી રાખવાનું એક રસાયણ છે. માનવતાની મહેંક ફેલાવતા અહીં સૌરાષ્ટ્રની વાત થાય છે. ગોંડલનું અક્ષર મંદિર, જામનગરની અણદાબાવા ધર્મશાળા અને ત્રીજું પોરબંદરનું સ્વામીનારાયણ ગુરુકળ કે જે જ્યાં વાવાઝોડાથી ઘરબાર બહાર રહેલા લોકો માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
રાજકોટમાં વાયુ વાવાઝોડાને પગલે ગોંડલ અક્ષર મંદિરમાં આ ફૂડ પેકેટ્સ તૈયાર કરવામાં આવ્યાં હતાં. જેમાં 450 મહિલા અને 60 પુરુષ સ્વયંસેવકો જોડાયા છે. આ સ્વયંસેવકોએ 15 હજાર જેટલા ફૂડ પેકેટ્સ તૈયાર કર્યા હતાં. તો આવી જ માનવતાની મહેક જામનગરની સામાજિક સંસ્થા અણદાબાવા અને કુંવરબાઈની ધર્મશાળામાં તાવજા માંડીને એક લાખ જેટલા ફૂડપેકેટ બનાવવાનો અંદાજ રખાયો હતો. વાયુ કહેર વર્તાવે તે પહેલા માણસાઈનાં દીવા પોરબંદરમાં પણ પ્રજવલિત થયા હતાં. પોરબંદરમાં દરિયાઈકાંઠાનાં વિસ્તારમાંથી સ્થળાતંરિત કરવામાં આવેલા લોકો માટે પોરબંદરમાં જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. પોરબંદરવાસીઓ લોકોની મદદે આવ્યાં છે અને લોકો માટે જમવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી.
કુદરતી આપત્તિ સામે ટકવા માટે જેટલી ટેક્નોલોજી અને જિજિવિષા જરૂરી છે તે કરતા પણ વધુ માનવતાની હૂંફ જરૂરી છે. કુદરતી આફતો વખતે મતભેદો ભૂલીને એક થઈ જવાની પ્રકૃત્તિ જ કદાચ માનવજાતની મૂળ પ્રકૃતિ હશે અને તેના કારણે જ માનવજીવને અસ્તિત્વ ટકાવી રાખ્યું છે. પ્રકૃતિનાં ખોળે ઉછરતા માનવીમાં પ્રકૃતિ જ માનવતા જીવતી રાખવાનું નિમિત્ત બને છે.