દ્વારકાના ભડકેશ્વર મહાદેવમાં વાવાઝોડાની અસર જોવા મળી છે. દરિયામાં વાવાઝોડાના કારણે કરંટ હજુ યથાવત છે. રક્ષણાત્મક દિવાલ પણ પડી ગઇ છે. ભડકેશ્વર મહાદેવ મંદિર તરફ જતા માર્ગ પર પથ્થર પહોંચી ગયા છે.
તો આ તરફ દ્વારકામાં વહેલી સવારથી ગોમતીઘાટ પર વાયુ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. ગોમતીધાટ પર મોજા ઉછળી રહ્યાં છે. ભારે પવન સાથે દરિયામાં કરંટ આવતા મોજા ઉછળીને પાણી ઘાટ પર પહોંચે છે.
ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રના પ્રસિધ્ધ તીર્થધાન દ્વારકા નજીક આવેલ ભડકેશ્વર મહાદેવમાં વાવાઝોડાની અસર જોવા મળી છે. દરિયાના મોજામાં કરંટ જોવા મળ્યો છે. તો આ સાથે જ સરકાર દ્વારા બનાવેલી રક્ષણાત્મક દિવાલ પણ પડી ગઇ છે. તેમજ પથ્થરોથી બનાવેલી રક્ષણ દિવાલ પણ વેર વિખેર થઇ ગઇ છે. ભડકેશ્વર મહાદેવ મંદિર તરફ જતા માર્ગ પર પથ્થર પહોંચી ગયા છે. દરિયામાં વાવાઝોડાના કારણે કરંટ હજુ યથાવત છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 16, 2019
જામખંભાળિયા પર તૂટ્યો વીજ વાયર
દ્વારકાના જામખંભાળિયાના કેશોદ પાસે હાઇવે પર વીજ વાયર તુટ્યો હતો. જોકે, સદનસીબે વાહન કોઈ પસાર થતું ન હોવાથી દુર્ઘટના સહેજ માટે ટળી હતી. લોકોએ પથ્થર રાખી સાવચેતી બતાવી હતી. જેને લઈને દુર્ઘટના ટળી હતી. તો સમગ્ર મામલે PGVCLની ગંભીર બેદરકારી સામે આવી છે. તંત્ર દ્ધારા જોખમી વાયરો હટાવાની કામગીરી કરવામાં ન આવી હોવાનું સામે આવ્યું છે.