વાયુ વાવાઝોડું હવે ગીર-સોમનાથથી માત્ર 400 કિલોમીટર દૂર છે અને આજે મોડી રાત્રે વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ટકરાય તેવી શક્યતા છે. હજુ વાવાઝોડું 400 કિમી દૂર છે. ત્યાં દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. દીવનો દરિયો ગાંડોતૂર થયો છે. તો ગીર-સોમનાથના દરિયામાં પણ ઉંચા મોજા ઉછળી રહ્યા છે.
વાવાઝોની આફત ગુજરાત તરફ આગળ વધી રહી છે. તો બીજી તરફ જાફરાબાદમાં પણ દરિયો ગાંડોતૂર થયો છે. ભારે કરંટને પગલે કિનારા સુધી મોજાઓ ધડાકાભેર અથડાઈ રહ્યા છે. કચ્છમાં માંડવી બીચને તંત્ર દ્વારા ખાલી કરી દેવામાં આવ્યો છે. અહીં પણ સામાન્ય કરતા દરિયામાં વધુ કરંટ જોવા મળી રહ્યો છે.
આ તરફ દીવમાં આવેલા ગંગેશ્વર મંદિરમાં દરિયાનું પાણી શિવલિંગ સુધી પહોંચતું હોય છે, પણ અત્યારે દરિયામાં કરંટ હોવાથી મોજા ઉંચા ઉછળી રહ્યા છે. જેના કારણે શિવલિંગ પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે.