ગુજરાતમાં વાયુ વાવાઝોડાનું સંકટને લઈને ગુજરાત વાસીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના કિનારા પર વાવાઝોડુ નહી ટકરાય, પરંતુ સ્થળાંતરિત લોકોએ હજુ ત્યા જ રહેવા સરકાર દ્વારા અપિલ કરવામાં આવી છે. સાથે જ લોકોને સરકાર દ્વારા દરિયા કિનારા પર લોકોને ન જવા માટે અપિલ કરવામાં આવી છે.
વાયુ વાવાઝોડું નહીં ટકારાય પરંતું, વાવાઝોડાની અસરના કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં અને ખાસ દરિયાઇ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ આવવાની હવામાન વિભાગ દ્વારા અગાહી કરવામાં આવી છે. જ્યારે સ્થળાંતરિત લોકોએ હજુ ત્યા જ રહેવા અને દરિયા કિનારા પર ન જવા માટે સરકાર દ્વારા અપિલ કરવામાં આવી છે.
તો ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકા, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, કચ્છ, જામનગર, દ્વારકામાં પવન સાથે ભારે વરસાદની અગાહી કરવામાં આવી છે. જ્યારે સુરતના રાંદેર, મોરાભાગલ, દાંડીરોડ વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થઇ ગયો છે. ત્યારે હાલ સુરત મનપાની 100 સભ્યોની રેસ્ક્યૂ ટીમ સ્ટેન્ડબાય રખાઇ છે.
વાવાઝોડાના કારણે દીવનો દરિયો ગાંડો થયો છે. દરિયામાં 25 ફૂટ ઉંચા મોજા ઉછળી રહ્યા છે. તો બીજી તરફ તંત્ર દ્વારા પરિસ્થિતિને પહોંચી વળવા માટે તમામ તૈયારીઓ કરી લેવાઈ છે. તો સાથે જ દરિયા કિનારેથી લોકોને પણ સુરક્ષિત સ્થળે ખસેડી લેવામાં આવ્યા છે.
વલસાડ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. તિથલનો દરિયો તોફાની બન્યો છે અને કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ પણ શરૂ થઈ ગયો છે. દરિયા કિનારા પર પણ તોફાની પવનો ફુંકાઈ રહ્યા છે. તો પવનના કારણે દરિયામાં 10 ફૂટ ઉંચા મોજા ઉછળી રહ્યા છે. તો દરિયા કિનારે SRP અને પોલીસના જવાનો પણ તૈનાત છે.