ભારતીય હવામાન વિભાગે જાણકારી આપી છે કે અરબ સાગરમાં લક્ષદ્વીપી પાસે બની રહેલા દબાણના કારણે સાયક્લોન તૌકતે તોફાનમાં ફેરવાયું છે અને તટીય વિસ્તારોમાં તેનો ખતરો જોવા મળી રહ્યો છે.
તૌકતે ચક્રવાત બન્યું ખતરનાક
ઈન્ડિગો અને વિસ્તારાએ જાહેર કરી ટ્રાવેલ એડવાઈઝરી
આ શહેરોમાં સેવાઓ રોકાશે
ઈન્ડિગો અને વિસ્તારા એરલાઈન્સે તૌકતે વાવાઝોડાના કારણે પેસેન્જર્સને માટે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી છે. કંપનીએ કેટલાક શહેરોમાં સેવાઓ રોકી છે. કંપનીએ ગ્રાહકોને યાત્રા કરતા પહેલા અન્ય વિકલ્પો પર વિચાર કરવાનું સૂચન પણ કર્યું છે.
17મે સુધી વિસ્તારાની આ સેવાઓ રહેશે બંધ
કંપનીએ કહ્યું કે અરબ સાગરમાં હવામાનની સ્થિતિના કારણે તેની ચેન્નઈ, તિરુવનંતપુરમ, કોચ્ચિ, બેંગલુરુ, મુંબઈ, પુણે, ગોવા અને અમદાવાદની સેવાઓ 17મે સુધી બંધ રહેશે. કંપનીએ ગ્રાહકોને ફ્લાઇટ અપ઼ેટ લેવા કહ્યું છે અને સાથે મેસેજની મદદથી પણ પેસેન્જર્સને માહિતિ આપવામાં આવી રહી છે.
ઈન્ડિગોની કન્નૂરની સેવાઓ રહેશે બંધ
ઈન્ડિગોએ ટ્વિટ કરીને કહ્યું છે કે તૌકતેના કારણે કન્નૂરની સેવાઓ બંધ રહેશે. કંપનીએ પેસેન્જર્સને ફ્લાઈટનું સ્ટેટસ ચેક કરવા કહ્યું છે અને સાથે પ્લાન બીનો ઓપ્શન પણ આપ્યો છે.
આ છે ઈન્ડિગોનો પ્લાન બી
કંપનીએ ટ્વિટમાં પ્લાન બી શેર કર્યો છે જેમાં પેસેન્જર્સને અન્ય ફ્લાઈટ બુક કરવા કે ફ્લાઈટની ટિકિટના રિફંડ જનરેટ કરવાનો ઓપ્શન મળે છે. તમે આ લિંક પર ક્લિક કરીને પીએનઆર અને ઈમેલ આઈડીની જાણકારી આપો અને ઓપ્શન અપનાવવાનું કારણ આપશો કે કયા કારણે તમારી ફ્લાઈટ કેન્સલ થઈ છે કે પછી તેનો સમય બદલાયો છે. આ પ્રોસેસ બાદ તમે તમારી સુવિધા અનુસાર નવી ફ્લાઇટની ટિકિટનું બુકિંગ કરી શકો છો કે ટિકિટ કેન્સલ કરીને રિફંડ જનરેટ કરી શકો છો.
આ રીતે ચેક કરો ઈન્ડિગોની ફ્લાઈટનું સ્ટેટસ
કંપનીએ ટ્વિટ પર ફ્લાઈટ સ્ટેટસને ચેક કરવાની લિંક આપી છે. તેની મદથી તમે તમારી યાત્રાની જાણકારી આપી શકો છો અને ક્યાંથી ક્યાની મુસાફરી કરવી છે તેની ફ્લાઈટનો નંબર અને પીએનઆર ડિટેલ્સ આપો. તેનાથી તમે ફ્લાઈટનું સ્ટેટસ ચેક કરી શકશો.
Deep Depression intensified into a Cyclonic Storm “Tauktae” (pronounced as Tau’Te) over Lakshadweep area and adjoining southeast & eastcentral Arabian Sea: Cyclone watch for south Gujarat & Diu coasts. https://t.co/KLRdEFp9rJpic.twitter.com/ed435mJ9x9
— India Meteorological Department (@Indiametdept) May 14, 2021
તૌક્તે અથડાશે ગુજરાત સાથે
હવામાન વિભાગની જાણકારી અનુસાર અરબ સાગરમાં લક્ષદ્વીપની પાસે દબાણ ક્ષેત્ર વધી રહ્યું છે અને તે તૌકતે ચક્વાતમાં ફેરવાયું છે. તેનાથી તટીય વિસ્તારોને ખતરો રહેશે. તે પશ્ચિમી તટથી ગુજરાતના વેરાવળ અને પોરબંદરની વચ્ચે જમીનથી અથડાશે. આ રાજ્યોએ તેને માટે પ્રયાસ શરૂ કર્યા છે અને માછીમારોને દરિયાથી દૂર રહેવાની સૂચના અપાઈ છે.