તૌકતે વાવાઝોડાના કારણે જૂનાગઢ, પોરબંદર, માંગરોળ અને જામનગર સહિતના દરિયાઈ પટ્ટીના જિલ્લામાં તંત્ર સતર્ક, અનેક વિસ્તારમાંથી લોકોનું કરાયું સ્થળાંતર
જૂનાગઢ માંગરોળમાં વાવાઝોડા સામે તંત્રએ તૈયારી
તંત્ર દ્વારા SDRFની ટીમને કરી તૈનાત
4 સિનિયર અધિકારીઓ પણ ખડેપગ
ગુજરાતમાં તૌકતે વાવાઝોડું ત્રાટકવાનું છે. ત્યારે દરિયાઈ પટ્ટીના તમામ ગામોમાં સરકારે કામગીરી શરૂ કરી છે. ખાસ કરીને માંગરોળમાં નિચાણવાળા વિસ્તારોને ખાલી કરાય છે અને તેમને અન્યત્ર ખસેડવાની કામગીરી શરૂ કરી છે. દરિયાઈ પટ્ટીમાં આવેલા 1થી 10 કિમીના અંતરના 32 ગામોમાં ખાસ ટીમોને તૈનાત કરાઈ છે. અને કોઈપણ સ્થિતિમાં પહોંચીવળવાની તંત્રએ તૈાયરી કરી લીધી છે. જૂનાગઢ IG અને SSPની સૂચનાથી માંગરોળમાં આવનારા વાવાઝોડાથી પહોંચી 4 અધિકારી અને 70 જેટલા અન્ય માણસોને તૈનાત કરાયા છે.
આ ઉપરાંત માંગરોળમાં SDRFની ટીમ તૈનાત કરાઈ છે. ત્યારે SDRFના અધિકારી અને જવાનો દરેક પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર છે. કોઈપણ જગ્યા એ રેસક્યું કરવાની જરૂર પડશે તો પણ આ જવાનોએ પૂરી તૈયારી કરી લીધી છે. જો કે હાલ તેઓ તમામ વિસ્તારની મુલાકાત લઈ રહ્યા છે અને ખતરો વધારે લાગે તેવા મકાનોમાં રહેતા લોકોને અન્યત્ર ખસેડી રહ્યા છે.
પોરબંદરના નવીબંદરથી 95 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. નીચાણવાળા વિસ્તારમાં વસતા માછીમારોને અન્યત્ર ખસેડવામાં આવ્યા છે. ખસેડાયેલા તમામ લોકોને ઉટળા ગામના સાયક્લોન સેન્ટરમાં રાખવામાં આવશે. માધવપુર ઘેડના 40 ગામોના લોકોને પણ સ્થળાંતર કરવામાં આવ્યા છે.
પોરબંદરમાં વાવાઝોડાના કારણે કોવિડ હોસ્પિટલમાંથી 17 દર્દીઓને જૂનાગઢ રીફર કરાયા, કોવિડ હોસ્પિટલની સિલિંગ નબળી હોવાથી દર્દીઓને ખસેડાયા, 108 અને ખાનગી એમ્બ્યુલન્સમાં દર્દીઓને લઇ જવામાં આવ્યાં હતા.
તોકતે વાવાઝોડાને પગલે રાજુલા-જાફરાબાદ વિસ્તારના પાંચ સ્થળોએ સગર્ભા મહિલાઓ અને વૃદ્ધો માટે 108 ની ટીમ તૈનાત રાખવામાં આવી છે તેને પગલે શિયાળબેટ ટાપુમાં દરિયામાં કરન્ટ હોવા છતાં તોફાનની શક્યતાએ એક સગર્ભા મહિલાનું 108 દ્વારા રેસ્ક્યુ કરી એમ્બ્યુલન્સમાં પ્રાથમિક સારવાર આપી હતી. અને સલામત સ્થળે પહોંચાડવામાં આવી રહી છે ત્યારે દરિયામાં કરંટ અને વાવાઝોડાની આશંકાએ જીવના જોખમે 108ની ટીમે સ્પેશિયલ હોડી મારફતે દરિયામાં જઈ શિયાળબેટથી આ મહિલાને લઈ આવી હતી. આ સ્થિતિમાં 108ની ટીમના આ પ્રકારના રસ્ક્યુને સ્થાનિકોએ બિરદાવ્યું છે.