ગઇકાલે રાતથી જ ગુજરાત રાજ્યમાં પ્રવેશ્યા બાદ વાવાઝોડું આખા રાજ્યને ઘમરોળી રહ્યું છે. સૌથી વધારે અસર દીવ, અમરેલી, જૂનાગઢ તથા ગીર સોમનાથ જિલ્લામાં જોવા મળી છે.
તૌકતેએ સર્જી તબાહી
વિનાશક વાવાઝોડાના ભયંકર દ્રશ્યો
મુંબઇમાં ફસાઇ ગઇ બોટ
Gandhinagar | Gujarat CM Vijay Rupani held a high-level review meeting on cyclone situation and rainfall conditions in the state, specially in the 14 coastal districts pic.twitter.com/JgIxCNcRaV
1.22 PM, MAY 18 2021 : અમદાવાદમાં વધી રહ્યું છે જોખમ
ગુજરાતને ઘમરોળતું વાવાઝોડું હવે બોટાદ પહોંચી ગયું છે અને આગામી સમયમાં તે અમદાવાદ પહોંચી શકે છે. અમદાવાદમાં 60 કિમી સુધી પવન ફૂંકાઈ શકે છે. બોટાદથી વાવાઝોડું સુરેન્દ્રનગરમાં પ્રવેશ કરશે અને નળ સરોવર થઈને વિરમગામ તરફ આગળ વધશે.
ગુજરાતમાં આગળ ધપી રહ્યું છે તૌકતે તૌકતેવાવાઝોડું પહેલા કરતાં ધીમે ધીમે નબળું પડતું જઈ રહ્યું છે ત્યારે આ વાવાઝોડું હવે ધીમે ધીમે ગુજરાતમાં આગળ વધી રહ્યું છે. વાવાઝોડું ગમે તે સમયે અમદાવાદને સ્પર્શી શકે છે અને સાથે સાથે વડોદરા તથા સુરતમાં પણ પવન સાથે વરસાદ વરસશે. વાવાઝોડાની દિશા અનુસાર તે પાટણના મધ્યમાંથી બનાસકાંઠામાં પ્રવેશ કરશે.
ચક્રવાતી તોફાન તૌકતેએ મહારાષ્ટ્રથી લઇને ગુજરાત સુધી તબાહી મચાવી દીધી છે ત્યારે મુંબઇ પાસે તોફાનના કારણે એક હોડી ફસાઇ ગઇ હતી જેમાં 273 લોકો હતા.
આ હોડી તોફાનના કારણે ડૂબી ગઇ હતી અને જે બાદ ભારતીય નેવીની મદદથી રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દીધુ હતું. અત્યાર સુધી 146 લોકોને બચાવી લીધા છે પરંતુ અન્ય લોકોની કોઇ ભાળ મળી નથી.
VERY SEVERE CYCLONIC STORM ‘TAUKTAE’ WOULD MOVE NORTH-NORTHEAST WARDS AND WEAKEN GRADUALLY INTO A CYCLONIC STORM DURING NEXT 03 HOURS.
— India Meteorological Department (@Indiametdept) May 18, 2021
ભારતીય નેવીના કહ્યાં અનુસાર, ઇન્ડિયન નેવલ પી8આઇ સર્વિલાન્સ એરક્રાફ્ટની મદદથી રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. નેવીના હેલીકોપ્ટર પણ આ કામમાં છે. મંગળવારે આ ઓપરેશનની ગતિને વધારવામાં આવી હતી અને હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે.
પોતાના રેસ્ક્યુ ઓપરશેન વચ્ચે નેવીએ કહ્યું કે એક મોટી નાવડી કે જેમાં 273 લોકો સવાર હતા તે ડૂબી ગઇ છે અને તેમાંથી 146 લોકોને બચાલી લેવામાં આવ્યા છે, તે સિવાય એક નાવડી હતી જે કોલાબાથી થોડે દૂર ફસાઇ ગઇ હતી. જેમાં 137 લોકો સવાર હતા. જેને બચાવવા માટે નેવી તરફથી એક સપોર્ટ મોકલવામાં આવ્યો છે.
આ સિવાય નેવીના આઇએનએસ તલવાર એેક તેલ કાઢનારી જગ્યા પર નજર રાખીને બેઠા છે કારણકે ત્યાં પણ 101 લોકો ફસાયા છે. આ લોકોને જલ્દી જ કોઇ સુરક્ષિત સ્થળ પર લઇ જવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.
ટીમને રખાઇ એલર્ટ પર
મહત્વનું છે કે તૌકતેના કારણે ભારતીય નેવીએ પોતાની ઘણી ટીમોને તૈનાત કરી રાખી હતી અને 11 ડાઇવિંગ ટીમને પણ તૈયાર કરી દેવામાં આવી હતી. જેને રાજ્ય સરકારના કહ્યાં બાદ આગળ મોકલવામાં આવશે.