હવામાન વિભાગે કહ્યું કે આવનારા 12 કલાક સુધી ગંભીર ચક્રાવાત તૌકતે તોફાનમાં ફેરવાશે અને ભારે વરસાદી શક્યતા છે.
હવામાન વિભાગની આગાહી
આવનારા 12 કલાકમાં તાકાતવર બનશે તૌકતે
કેરળથી લઈને ગુજરાત સુધી અપાયું એલર્ટ
શું રહેશે તૌકતેની ગતિ અને ક્યાં કેવી કરશે અસર
ભીષણ ચક્રાવાતી વાવાઝોડું તૌકતે શનિવારે પૂર્વી મધ્યા અરબ સાગરના ઉપરના છેલ્લા 6 કલકામાં લગભગ 13 કિમી/કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. ગોવાથી લગભગ 190 કિમી દ. મુંબઈથી 550 કિમી અને દ. પૂર્વમાં વેરાવળ અને કરાચીના દક્ષિણ- દક્ષિણ પૂર્વમાં મધ્ય અરબ સાગર પર 8.30 મિનિટે કેન્દ્રિત થયું હતું. આવનારા 12 કલાકમાં ગંભીર ચક્રાવાત તોફાનમાં ફેરવાશે અને સાથે ઉત્તર - ઉત્તર-પશ્ચિમની તરફ વધશે. 18મેના બપોરે અને સાંજની સમયે પોરબંદર અને નલિયાની વચ્ચે ગુજરાતના તટને પાર કરે તેવી શક્યતા છે.
IMDએ કરી છે આગાહી
આઈએમડીએ કહ્યું કે મુંબઈ શહેર વધારે પ્રભાવિત થશે નહીં. કોંકણમાં સ્થિતિ વણસી શકે છે. આ સિવાય મહારાષ્ટ્રની રાજધાનીમાં રવિવાર બપોર બાદ વરસાદની આશા છે. તૌકતે વાવાઝોડુ હાલમાં ગોવાથી 250 કિમી દક્ષિણ પશ્ચિમમાં છે.
The CS “Tauktae” intensified into a SCS, lay centred at 1730 IST of 15th May over eastcentral Arabian Sea, about 220 km SSW of Panjim-Goa, 590 km SSW of Mumbai. Likely to intensify further into a VSCS & cross Gujarat coast between Porbandar & Naliya around 18th May A/N /Evening. pic.twitter.com/1nScsezDhD
— India Meteorological Department (@Indiametdept) May 15, 2021
મહારાષ્ટ્રમાં અપાયું ઓરેન્જ એલર્ટ
મહારાષ્ટ્રના સિંધુદુર્ગ અને રત્નાગિરી જિલ્લાની સાથે ગોવાના અનેક વિસ્તારોમાં વરસાદ અને હવાનો પ્રભાવ જોવા મળશે. આ સમયે હવાની ગતિ 60-70 કિમી/કલાક રહેશે. એટલે કે આઈએમડીએ અહીં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. સાથે કોંકણ અને પશ્ચિમી મહારાષ્ટ્રના પહાડી વિસ્તારોમાં કોલ્હાપુર અને સતારામાં રવિવાર અને સોમવારે ભારે વરસાદની શક્યતા છે.
તૌકતે વાવાઝોડાનું સંકટ યથાવત
અમદાવાદ સહિત રાજ્યભરના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. અમદાવાદમાં વહેલી સવારે સામાન્ય વરસાદની સાથે ત્રણ દિવસ રાજ્યના વાતાવરણમાં પલટો રહેશે. 16 થી 18મે સુધી વાવાઝોડાની અસરને પગલે વરસાદની સ્થિતિ જોવા મળી શકે છે.
The SCS “Tauktae” intensified into a VSCS, lay centred at 0230 hrs IST of 16th May about 150 km southwest of Panjim-Goa, 490 km south of Mumbai, 730 km SSWest of Veraval (Gujarat). cross Gujarat coast between Porbandar & Mahuva (Bhavnagar district) around 18th May early morning.
— India Meteorological Department (@Indiametdept) May 16, 2021
શું કહ્યું પીએમઓએ
એક નિવેદનમાં કહ્યું છે કે પીએમએ પ્રભાવિચ વિસ્તારોની હોસ્પિટલમાં કોરોના પ્રબંધ, વેક્સીનેશન, લાઈટની વ્યવસ્થા, જરૂરી દવાઓ અને ઉપાયની ખાસ તૈયારીઓ કરી છે. તૌકતે વાવાઝોડું તેજીથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, વાવાઝોડાના કારણે ગુજરાતના બધા જ જિલ્લાઓમાં અલર્ટ આપી દેવામાં આવ્યું છે અને તંત્ર પણ કામે લાગી ગયું છે ત્યારે સમગ્ર પરિસ્થિતિ પર ચર્ચા કરવા માટે પીએમ મોદીએ હાઇલેવલ બેઠક બોલાવી હતી. આ હાઇલેવલ બેઠકમાં વાવાઝોડા સામેની તૈયારીને લઈને પીએમ મોદીને સમગ્ર જાણકારી આપવામાં આવી. આ બેઠકમાં NDMAના ટોપ અધિકારીઓ તથા સરકારના અધિકારીઓ સામેલ થયા હતા.
The CS Tauktae lay centred at 2330 IST of 15th May over Arabian Sea about 170 km southwest of Panjim-Goa, 520 km south of Mumbai. It is very likely to intensify into a VSCS, cross Gujarat coast between Porbandar & Mahuva (Bhavnagar district) around 18th May early morning.
— India Meteorological Department (@Indiametdept) May 15, 2021
વાવાઝોડા સામે શું છે ગુજરાતની તૈયારી?
ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે વધુ એક આફત આવી પડે છે. કોરોના બાદ હવે રાજ્ય પર તૌકતે વાવાઝોડાનું સંકટ મંડરાઇ રહ્યું છે જેને લઇ રાજ્યના અનેક જિલ્લામાં હાઇ અલર્ટ આપી દેવામાં આવ્યું છે. સૌ પ્રથમ વાત કરીએ તો તૌકતે વાવાઝોડાની દહેશતને પગલે પોરબંદરના બંદર પર સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. બંદર પર 1 નંબરનું સિગ્નલ લાગવાયું છે અને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપા દેવામાં આવી છે તો અમરેલીના જાફરાબાદ લાઈટહાઉસ વિસ્તારમાં 1-નંબર સિગ્નલ લગાવી દેવાયું છે. જાફરાબાદની મોટા ભાગની બોટો મધ દરિયે હોવાથી તમામ બોટને પરત ફરવા સૂચના અપાઇ છે. તમામ બોટોને કિનારે લાવવાનો તંત્રએ આદેશ કર્યો છે. આ તરફ દેવભુમિ દ્વારકા જિલ્લાનું તંત્ર પણ અલર્ટ બન્યું છે. સંભવિત વાવાઝોડાના પગલે કલેકટરે અધિકારીઓ સાથે ઓનલાઈન બેઠક કરી ચર્ચા કરી હતી. જેમાં દરિયાકાંઠાના ગામોનો સર્વે કરાયો હતો, સંભવિત વાવાઝોડાને પગલે પાણી, ફૂડપેકેટ અને અન્ય વ્યવસ્થાનું આયોજન કરી દેવા તમામ અધિકારીઓને કલેક્ટરે સૂચના આપી દીધી છે.
ક્યાં ક્યાં તૈનાત છે એનડીઆરએફની ટીમ
આ ટીમના પ્રવક્તાએ કહ્યું કે રાષ્ટ્રીય આપદા મોચન બળની ટીમ ગુજરાતના ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર, દ્વારકા, જામનગર, રાજકોટ, કચ્છ, મોરબી, સૂરત, ગાંધીનગર, વલસાડ, ભાવનગર, નવસારી, ભરૂચ અને જૂનાગઢમાં ટીમ તૈનાત છે. જૂનાગઢ, ગીર સોમનાથ માટે NDRFની 2 ટીમ ફાળવાઈ છે. જૂનાગઢ જિલ્લાના 47 ગામ હાઈઅલર્ટ ઉપર રાખવામાં આવ્યા છે. વેરાવળ-રાજકોટ ટ્રેન 17 અને 18મેના રોજ બંધ રહેશે.