સૌરાષ્ટ્રના દરિયા કિનારે મંડરાઈ રહેલ વાવાઝોડાના ખતરાના પગલે જામનગર વહીવટી તંત્ર સજ્જ થયું છે. જામનગર જિલ્લામાં કોસ્ટલ વિસ્તારના 25 ગામડાઓમાં જુદી જુદી ટીમ ગોઠવવામાં આવી છે. આ સાથે લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
જામનગરના બેડી બંદર પરથી દરિયો ખેડવા માટે ગયેલા 100થી વધુ બોટને પરત બોલાવવામાં આવી છે. જામનગરના ત્રણેય બંદર પર બે નમ્બરનું સિગ્નલ લગાવાયું છે. બીજી તરફ જી એમ બી, ફિસરીજ, મરિન પોલીસ પણ કોસ્ટલ એરિયામાં સક્રિય થઈ છે. વાવાઝોડા પૂર્વેના તકેદારીના પગલામાં લાગી ગઈ છે. એક એનડીઆરએફની ટુકડી પણ બોલાવી લેવામાં આવી છે. વહીવટી તંત્ર એ સલામતીને લઈને તમામ વ્યવસ્થા પૂર્ણ કર્યાનો દાવો કર્યો છે.
જ્યારે ગીરસોમનાથમાં દરિયાકાંઠાના 40 ગામોને અલર્ટ કરાયા છે. વેરાવળના 8, સુત્રાપાડાના 7, કોડીનારના 8 ગામને એલર્ટ કરી દેવાયા છે. વાત કરીએ પોરબંદરની તો વહીવટી તંત્ર દ્વારા સલામતી માટે કામગીરી કરવામાં આવી છે. દરિયા કિનારાના 39 જેટલા ગામડાઓમાં આશ્રમ સ્થાનો બનાવવામાં આવ્યા છે.
તો આ બાજુ વાયુ વાવાઝોડાને પગલે સુરતનું તંત્ર સજ્જ છે. હાલ સુરતના દરિયાકાંઠાના 40 ગામોને એલર્ટ કરી દેવાયા છે. ઉપરાંત સાવચેતીના ભાગરૂપે સહેલાણીઓને બીચ પરથી પણ હટાવવામાં આવ્યા છે અને આગામી 15 જૂન સુધી સહેલાણીઓએ બીચ પર ન જવા સૂચના અપાઇ છે. સુરતના 2 બીચને સહેલાણીઓ માટે બંધ કરી દેવાયા છે.
સંભવિત વાવાઝોડના લઈને સરકારે પરિસ્થિતિને પહોચી વળવા કંટ્રોલરૂમ કાર્યરત છે. જેમાં ગીર સોમનાથના લોકોની મદદ માટે કંટ્રોલ રૂમ નંબરની યાદી જાહેર કરી છે.
ગીર સોમનાથ મામલતદાર કચેરીના 02876-285063/64 નંબર પર સંપર્ક કરવો.
વેરાવળ મામલતદાર કચેરીના નંબર 02876- 244299 પર સંપર્ક કરી શકાશે.
તલાળા મામલતદાર કચેરીના નંબર 02877- 222222 પર સંપર્ક કરી શકાશે.
સૂત્રાપાડા મામલતદાર કચેરીના નંબર 02876-263371 પર સંપર્ક કરી શકાશે.
કોડિનાર મામલતદાર કચેરીના નંબર 02895- 221244 પર સંપર્ક કરી શકાશે.
ઉના મામલતદાર કચેરીના નંબર 02875-222039 પર સંપર્ક કરી શકાશે.
ગીર ગઢડા મામલતદાર કચેરીના નંબર 02875-243100 પર સંપર્ક કરી શકાશે.