આંધ્ર પ્રદેશના કાકીનાડા અને ઓંગલ વિસ્તારમાં 17 ડિસેમ્બર સુધીમાં તીવ્ર વાવાઝોડાની આગાહીને ધ્યાનમાં લઇને તટીય વિસ્તારમાં હાઇ એલર્ટ આપવામાં આવ્યું છે.
બલ તરફ દરિયામાં ગયેલા માછીમારોની રક્ષા માટે સાવચેતીના પગલા શરૂ કરી દીધા છે. એક આધિકારી સુચના અનુસાર સ્થાનિક હવામાન વિભાગે ભારે દબાણનું વાવાઝોડામાં રૂપાંતર થવાની આગાહી હવામાન વિભાગે વ્યકત કરી છે.
એક જાહેરાતમાં જણાવવામાં આવ્યું છે કે આંધ્ર પ્રદેશ અને તમિલનાડુ માટે જરૂરિયાત પડે તો કોઇપણ પ્રકારની મદદ માટે હોડી તેમજ પ્લેન તૈયાર રાખવામાં આવ્યું છે.
તટીય વિસ્તારમાં દરિયામાં ગયેલા માછીમારોને સૂચના પહોંચાડવાની તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે. માછીમારોને તેમજ હોડીને પરત લાવવા માટે સેનાની બે બોટને દરિયામાં મોકલવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ પેથાઇ વાવાઝોડુ આગામી 72 કલાકમાં રાજ્યના તટીયવિસ્તારમાં પહોંચવાની શક્યતા છે. ઉત્તરી તમિલનાડૂની તરફ પશ્ચિમ તરફ વધી શકે છે. હવામાન વિભાગે એલર્ટ જાહેર કરી માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપી છે.
ઉલ્લેખનીય છે કે હાલમાં જ આંધ્ર પ્રદેશ અને ઓડિશામાં તિતલી વાવાઝોડુના કારણે ભારે તબાહી જોવા મળી હતી. જેમાં ઘણા લોકોના મોત નિપજ્યાં હતા.