નેશનલ ડિઝાસ્ટર રિસપોન્સ ફોર્સ (NDRF) એ ચક્રવાત નિવાર (Nivar)ને ધ્યાને લઈ રાહત અને બચાવ કાર્ય શરૂ કરવા માટે 30 ટીમોને તૈયાર કરી છે. આ વાવાઝોડું મંગળવારથી બુધવારની વચ્ચે આંધ્ર પ્રદેશ, તમિલનાડુ અને પુડ્ડુચેરીના દરિયાકાંઠાના વિસ્તારમાં ત્રાટકી શકે છે. NDRFની એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે 12 ટીમોની પૂર્વ તૈનાતી કરવામાં આવી છે. બીજી તરફ 18 અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડ્ડુચેરીમાં તૈનાતી માટે તૈયાર છે.
નિવાર વાવાઝોડાને લઈને વધી ચિંતા
બચાવ કાર્ય માટે 30 ટીમ કરાઈ તૈયાર
આંધ્ર પ્રદેશ, તમિલનાડુ અને પુડ્ડુચેરીના દરિયાકાંઠાના વિસ્તારમાં કરી શકે છે અસર
તમિલનાડુમાં 25 નવેમ્બરે ત્રાટકી શકે છે 'નિવાર' વાવાઝોડુ
સરકારે રાજ્યમાં વર્તમાન સ્થિતિ અંગે સમીક્ષા કરતાં કહ્યું કે આગામી આદેશ સુધી રાજ્યમાં બસ સેવાઓ બંધ રહેશે. કેટલાક સ્થળોએ ટ્રેન સેવા આંશિક અને ક્યાંક સંપૂર્ણ રીતે બંધ રહી શકે છે. બંગાળની ખાડીમાં હળવું દબાણ સર્જાવવાના કારણે આ વાવાઝોડું આવી શકે છે. વાવાઝોડું 11 કિમી પ્રતિ કલાકની સ્પીડે તમિલનાડુ તરફ આગળ વધી રહ્યું છે.
'નિવાર'નો વાર?
તમિલનાડુમાં 25 નવેમ્બરે ત્રાટકી શકે 'નિવાર' વાવાઝોડુ
સરકારે રાજ્યમાં વર્તમાન સ્થિતિ અંગે કરી સમીક્ષા
આગામી આદેશ સુધી રાજ્યમાં બસ સેવાઓ બંધ
કેટલાક સ્થળોએ ટ્રેન સેવા આંશિક અને ક્યાંક સંપૂર્ણ રીતે બંધ
બંગાળની ખાડીમાં સર્જાયું છે હળવું દબાણ
વાવાઝોડું 11 કિમી પ્રતિ કલાકની સ્પીડે તમિલનાડુ તરફ આગળ વધી રહ્યું છે
25 નવેમ્બરે વાવાઝોડું દરિયા કિનારે ત્રાટકે તેવી શક્યતા
વાવાઝોડું 100થી 110 કિમીની ઝડપે ફૂંકાય તેવી શક્યતા
કરાઈકલ અને મામલ્લાપુરમ વચ્ચે પુડ્ડુચેરી તટથી પસાર થઈ શકે છે વાવાઝોડું
વાવાઝોડાની સાથે કેટલાક વિસ્તારોમાં થઈ શકે છે ભારે વરસાદ
NDRFની ટીમને રાખવામાં આવી છે તૈનાત
સ્થાનિક લોકોની સુરક્ષા માટે તૈનાત કરાઈ NDRFની ટીમ
કેટલીક ટીમોને પ્રભાવિત વિસ્તારોથી સ્થાનિક લોકોને ખસેડવામાં સહાયતા પહોંચાડવા સહિત રાહત અને બચાવ કાર્યો માટે સ્થાનિક અધિકારીઓ સાથે સમન્વય કરીને તૈનાત કરવામાં આવશે. NDRFની એક ટીમમાં કાર્યોને જોતાં લગભગ 35થી 45 જવાન હોય છે અને તેમની પાસે વૃક્ષ અને થાંભલાને કાપવાના મશીનો, સામાન્ય દવાઓ અને પ્રભાવિતોને મદદ કરવા માટે અન્ય સંસાધન હોય છે. જેની મદદથી સ્થાનિક લોકોને બચાવવામાં મદદ મળી શકશે.
વાવાઝોડાને ધ્યાને લઈ અનેક ઉપાયો પર થઈ રહ્યો છે વિચાર
કેબિનેટ સચિવ રાજીવ ગૌબાની અધ્યક્ષતાવાળી નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ સોમવારે બેઠક યોજી અને વાવાઝોડાને ધ્યાને લઈ અનેક ઉપાયો પર વિચાર કર્યો હતો. આ સાથે જ સંબંધિત રાજ્ય સરકારો સહિત અનેક પક્ષોને પ્રભાવિત ક્ષેત્રોમાં કોઈનો પણ જીવ ન જાય તે માટેની તકેદારી રાખવા કહ્યું. આ સાથે સ્થિતિ જ્લ્દી જ પૂર્વવત કરવાનો નિર્દેશ આપ્યો.
આંધ્ર પ્રદેશની ડિઝાસ્ટર મેનેજમેન્ટે કહ્યું આવું
આંધ્ર પ્રદેશની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ કહ્યું કે બંગાળની ખાડીમાં ભારે દબાણનું ક્ષેત્ર વાવાઝોડામાં ફેરવાઈ શકે છે અને 25 નવેમ્બરે ઉત્તર તમિલનાડુ અને દક્ષિણ આંધ્રની વચ્ચે દરિયાકાંઠા વિસ્તારને પાર કરી શકે છે.