પોન્ડિચેરીમાં ગંભીર ચક્રવાત કારણે સમુદ્રમાં ઉંચી લહેરો ઉઠી રહી છે. ચક્રવર્તી તોફાન તમિલનાડુમાં મમાલ્લપુરમ અને પોન્ડિચેરીના કરાઈકલથી આજે રાતે પસાર થશે.
ચક્રવાત નિવાર બંગાળની ખાડીમાંથી આગળ વધી રહ્યું છે
તમિલનાડુ અને પોન્ડિચેરીમાં સાર્વજનિક રજા
પીએમ મોદીએ તમામ શક્ય મદદ કરવાનો ભરોસો આપ્યો
ચક્રવાત નિવાર બંગાળની ખાડીમાંથી આગળ વધી રહ્યું છે
ભારતીય હવામાન વિભાગમાં જણાવ્યાનુંસાર બંગાળની ખાડીમાં દક્ષિણ - પશ્ચિમમાં ગંભીર ચક્રવાત ‘નિવાર’ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ છેલ્લા 6 કલાક દરમિયાન 6 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વધી રહ્યું છે અને આજે બપોરે 2.30 વાગે બંગાળની ખાડીમાં દક્ષિણ-પશ્ચિમમાં કન્દ્રિત રહેશે.
#WATCH Sea rough in Puducherry as severe cyclonic storm #NIVAR to cross Tamil Nadu and Puducherry coasts between Karaikal and Mamallapuram tonight pic.twitter.com/d6Wpkj6zwe
તમિલનાડુ અને પોન્ડિચેરીના અનેક વિસ્તારોમાં મંગળવારથી વરસાદ શરુ થઈ ગયો છે. એનડીઆરએફ, તટરક્ષક દળ, ફાયર વિભાગ સહિત વિભિન્ન રાજ્યો અને કેન્દ્રીય એજન્સીઓના કર્મચારીઓની તૈનાતી કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા માટે કરવામાં આવી છે. તોફાને ધ્યાનમાં રાખીને તમિલનાડુ અને પોન્ડિચેરીમાં બુધવારે સાર્વજનિક રજા જાહેર કરવામાં આવી છે. વાહનવ્યવહાર સ્થગિત કરાયો છે. તમિલનાડુના સીએમએ કહ્યું કે બુધવારે રાજ્યમાં સામાન્ય રજા છે. પરુતુ જરુરી સેવાઓ સાથે જોડાયેલા લોકો કામ કરશે.
The Severe Cyclonic Storm #Nivar over southwest Bay of Bengal moved west-northwestwards with a speed of 6 kmph during past six hours and lay centred at 0230 hrs IST today over southwest Bay of Bengal : India Meteorological Dept https://t.co/W79okIyw6Fpic.twitter.com/xO7Ke02QbP
હવામાન વિભાગે કહ્યું કે બુધવારે તો તોફાનની અસરથી તમિલનાડુ, પોન્ડિચેરી અને કરાઈકલના મોટાભાગના વરસાદ થઈ શકે છે. કેટલાક સ્થાનો પર ભારે થી અતિ ભારે વરસાદ થઈ શકે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમિલનાડુના મુખ્યમંત્રી અને પોન્ડિચેરીના મુખ્યમંત્રી સાથે વાત કરી હતી. તેમજ તોફાન અંગેની માહિતી મેળવી તથા કેન્દ્ર દ્વારા તમામ શક્ય મદદ કરવાની બાંહેધરી આપી હતી.
એનડીઆરએફની ટીમ તૈનાત
એનડીઆરએફના પ્રમુખ એસએન પ્રધાને કહ્યું કે તે અત્યાધિત તીવ્રતા વાળા તથા તમામ ભીષણ ચક્રવાત તોફાન માટે તૈયાર છે. તોફાન પ, બંગાળથી દક્ષિણ તટરેખા તરફ આગળ વધી રહ્યું છે. તેમણે દિલ્હીમાં એક સંવાદદાતા સમ્મેલનમાં કહ્યું કે અમે આના પર નજર રાખી રહ્યા છીએ અને અસરગ્રસ્ત રાજ્યો સાથે સમન્વય સ્થાપિત કરી રહ્યા છીએ. સ્થિતી ઝડપથી બદલાઈ રહી છે અને આ 120થી 130 કિમી પ્રતિ કલાકની સ્પીડ વાળા અત્યંત ગંભીર ચક્રવાતમાં ફેરવાઈ શકે છે. તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને પોન્ડિચેરીમાં આ આફતનો સામનો કરવા એનડીઆરએફના 1200 બચાવકર્મીઓ તૈનાત છે. જ્યારે 800 અન્ય તૈયાર રાખવામાં આવ્યા છે. ચક્રવાત બુધવારે સાંજ સુધીમાં પહોંચે તેવી શક્યતા છે.