ગુજરાતમાં વાવાઝોડાની આફત ટળી છે પરંતુ આ વાવાઝોડા માટે રાહત કમિશનર હર્ષદ પટેલે પત્રકાર પરિષદ ભરીને ગુજરાતની વાવાઝોડા સામે લડવાની સજ્જા અંગે જણાવ્યું હતુ. રાહત કમિશનરે જણાવ્યુ હતુ કે, ગુજરાતમાં વલસાડ, નવસારી, સુરત અને ભરૂચમાં વાવાઝોડાની અસર વર્તાઈ શકે છે એટલે જ આ જિલ્લામાં તાત્કાલિક લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યુ છે જેમાં અત્યાર સુધીમાં 20 હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
કેન્દ્ર સરકારના ગૃહમંત્રીએ પણ વીડિયો કોન્ફરેન્સથી માહિતી મેળવી છે
રાજ્ય અને કેન્દ્ર કક્ષાએ વાવાઝોડાનું મેનિટરિંગ કરવામાં આવી રહ્યું છે
રેવન્યૂ વિભાગે કલેક્ટરો સાથે મિટિંગ કરીને તૈયારીઓની સમીક્ષા કરી છે
નિસર્ગ વાવાઝોડું ગુજરાતમાં ત્રાટકવાનુ નથી. જોકે વાવાઝોડાની ગુજરાતમાં અસર જોવા મળશે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા તમામ પ્રકારથી તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ મામલે રાહત કમિશનર હર્ષદ પટેલે પ્રતિક્રિયા આપી છે કે, વાવાઝોડાની સૌથી વધારે વલસાડ, નવસારી, સુરત અને ભરૂચમાં વધારે અસર થશે. વાવાઝોડાના કારણે નવસારી અને વલસાડમાં 110-120 કિમી પ્રતિ કલાકથી પવન ફૂંકાશે.
દરિયા કિનારાના 1 કિલોમીટર સુધીના તમામ ગામના લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી હાથધરાઈ છે. તંત્ર દ્વારા 20 હજાર 483 લોકોને સ્થળાંતર કરવાની કામગીરી હાથધરાઈ છે.. સુરતના 1135, નવસારીના 11,708, વલસાડના 6438, ભરૂચના 1202 લોકોનું 126 જેટલા સ્થળે સ્થળાંતર કરાશે. વાવાઝોડાની અસરને ધ્યાને રાખીને રાજ્યમાં 10 ટીમને અલગ-અલગ જિલ્લામાં તૈનાત કરાઈ છે. જ્યારે 3 ટીમને રિઝર્વ રખાઈ છે.
હાલમાં વલસાડમાં 2, નવસારી, ભરૂચ, સુરત, આણંદ, ખેડા, સોમનાથ અમરેલી અને ભાવનગરમાં NDRFની 1-1 ટીમ તૈનાત કરાઈ છે. ગુજરાતમાં આજે વધુ 5 NDRFની ટીમોને એરલિફ્ટ કરીને વલસાડ, સુરત અને નવસારીમાં મોકલાશે.