કોરોના વાયરસના સંકટ સામે લડી રહેલા મહારાષ્ટ્ર પર આજે ચક્રવાતી તોફાન નિસર્ગે કાળો કેર વરસાવ્યો છે. તોફાન નિસર્ગ બુધવારે બપોરે મુંબઈના કિનારાના વિસ્તારોમાં ત્રાટક્યુ હતું અને સમગ્ર મહારાષ્ટ્રને બાનમાં લીધું હતું. સવારથી જ કિનારાના વિસ્તારોમાં સ્પીડમાં પવન ફુંકાયો હતો. તેમજ સતત વરસાદ થઈ રહ્યો છે ત્યારે આ વાવાઝોડું હવે શાંત પડ્યું છે.
આપને જણાવી દઇએ કે, મહારાષ્ટ્રના ઇતિહાસમાં પ્રથમ વખત આટલું ભયંકર વાવાઝોડું દરિયાકાંઠે ટકરાયું હતું. વાવાઝોડાને પગલે કેટલાય વિસ્તારોમાં મકાનની છત ઉડી હતી તો વૃક્ષો પડવાની ઘટનાઓ પણ બની હતી જેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે.
ગુજરાતમાં પણ જોવા મળી અસર, દ્વારકાનો દરિયો બન્યો ગાંડોતૂર
નિસર્ગ વાવાઝોડાની અસર હવે દ્વારકાના દરિયા કિનારે પણ જોવા મળી. દ્વારકાનો દરિયો પણ તોફાની થઈ ગયો અને ગોમતી ઘાટ સુધી દરિયાના પાણી પહોંચી ગયા. દરિયો ગાંડોતૂર થતાં ઉંચા મોજા પણ ઉછળ્યા હતા. તો નિસર્ગ વાવાઝોડાની અસરના કારણે દક્ષિણ ગુજરાતમાં પવન સાથે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે.
ત્યારે નવસારીના દરિયાકાંઠા વિસ્તારમાં આવાલે ભાટ ગામમાં દરિયો સંરક્ષણ દિવાલથી 1 કિમી દૂર સુધી અંદર પહોંચી ગયો. છે. દરિયામાં કરંટ જોવા મળી રહ્યાં છે. તો તેજ પવનના કારણે કાચા મકાન, વૃક્ષો અને વીજપોલને પણ અસર થઇ શકે છે. દરિયામાં કરંટ જોવા મળતા ભાટ ગામમાં આવવા જવા પર રોક લગાવી દેવામાં આવી છે. અને પોલીસ અને NDRFની ટીમ પણ સજ્જ કરી દેવાઇ છે. તો બોરસી માછીવાડ ગામમાં દરિયા કિનારે કરંટ જોવા મળ્યો. હાલ NDRFની ટીમ સ્ટેન્ડબાય રખાઇ છે. અને દરિયાકિનારે જવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે.
As per, Ratnagiri recorded 59 kmph at 09:30 IST. Gale wind reaching 60-70 kmph gusting to 80 kmph prevails along&off South Konkan coast&50-60 kmph gusting to 70 kmph along&off North Konkan coast. pic.twitter.com/s3LMJQZIoR
ઉલ્લેખનીય છે કે નિસર્ગ ચક્રવાતને જોતા હવામાન વિભાગે મુંબઈમાં હાઈ ટાઈડના આવવાની શક્યતા દર્શાવવામાં આવી છે. તોફાન દરમિયાન 100થી 120 કિમી પ્રતિ કલાક ઝડપે પવનો અને દરિયામાં મોજા ઉછળ્યા હતા.