કોરોના વાયરસ મહામારીથી ખરાબ રીતે પ્રભાવિત મુંબઇ પર વાવાઝોડા 'નિસર્ગ' નો ખતરો મંડરાઇ રહ્યો છે. મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયા કિનારા તરફ પહોંચી રહેલા વાવાઝોડા 'નિસર્ગ' આવનારા 12 કલાકમાં ચક્રવાતી વાવાઝોડામાં બદલાશે. મુંબઇ પહેલાથી જ 41,000 કોરોના વાયરસના કેસનો સામનો કરી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, 'નિસર્ગ' વાવાઝોડાનું સંકટ ગુજરાત પરથી ટળી ગયું છે, પરંતુ મહારાષ્ટ્રમાં તેની અસર ચોક્કસથી દેખાશે.
કોરોના પ્રભાવિત મુંબઇ પર વાવાઝોડા 'નિસર્ગ' નો ખતરો મંડરાઇ રહ્યો છે
મુંબઇ પહેલાથી જ 41,000 કોરોના વાયરસના કેસનો સામનો કરી રહ્યું છે
આ વાવાઝોડુ બુધવારે મુંબઇના દરિયા કિનારે ત્રાટકી શકે છે. મુંબઇમાં આવુ વર્ષ 1882 બાદ બીજી વાર હશે, જ્યારે કોઇ ચક્રવાતી વાવાઝોડુ અહીં પહોંચશે. ભારતીય હવામાન વિભાગે અરબ સાગરમાં બની રહેલા દબાણના ક્ષેત્રને લઇને ચેતવણી જાહેર કરતા કહ્યું છે કે આ તોફાન આવનારા 12 કલાકમાં ચક્રવાત અને તેના આવનારા 12 કલાકમાં ભયંકર ચક્રવાતી વાવાઝોડામાં બદલાઇ શકે છે. મુંબઇ અને તેની આસપાસના દરિયાકિનારાના વિસ્તારોને હાઇ અલર્ટ પર રાખવામાં આવ્યા છે.
હવામાન વિભાગે કહ્યું કે આ વાવાઝોડાના આગામી છ કલાકમાં ઉત્તરી દિશામાં વધવાની આશંકા છે અને ત્યારબાદ આ ઉત્તર-ઉત્તરપૂર્વી દિશામાં આગળ વધી શકે છે, જે બાદ આ 3 જૂનની બપોર સુધીમાં ઉત્તરી મહારાષ્ટ્ર પાસેના દક્ષિણ ગુજરાતના હરિહરેશ્વર (રાયગઢ, મહારાષ્ટ્ર) અને દમણની વચ્ચે દરિયા કિનારાના વિસ્તારો સુધી પહોંચી શકે છે. આ ઉપરાંત મહારાષ્ટ્રના અલીબાગ સુધી આ વાવાઝોડાની અસર દેખાશે.
ગત 6 કલાકમાં પૂર્વી-મધ્ય અરબ સાગરમાં બની રહેલું દબાણ 11 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ઉત્તરની તરફ વધી રહ્યું છે. મંગળવારની સવારે સાડા પાંચ વાગ્યા સુધીમાં આ દબાણ વધુ ઝડપી થયું છે, જે બાદ હાલ તેનું સેન્ટર પંજિમ (ગોવા)થી 280 કિમી પશ્ચિમ-દક્ષિણી પશ્ચિમ, મુંબઇ (મહારાષ્ટ્ર)થી 490 કિમી દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ અને સૂરત (ગુજરાત)થી 710 કિમીના દક્ષિણ-દક્ષિણી પશ્ચિમમાં અરબ સાગરમાં કેન્દ્ર પર છે.
હવામાન વિભાગનું કહેવું છે કે આ સમુદ્રી વાવાઝોડામાં બે મીટરથી વધારે ઉંચી લહેર ઉઠી શકે છે અને આ લહેર લેન્ડફોલ દરમિયાન મુંબઇ, થાણે અને રાયગઢ જિલ્લાના નીચલા વિસ્તારોથી ટકરાશે. તેને લઇને માછીમારોને અલર્ટ કરી દેવાયા છે અને સમુદ્રથી પાછા આવવા કહેવાયું છે. ત્યારે ચેતવણી જાહેર કરાઇ છે કે વાવાઝોડાથી ઝૂપડપટ્ટીઓ અને કમજોર ઘરોને નુકસાન પહોંચી શકે છે, જ્યારે પાવર અને કોમ્યૂનિકેશન લાઇન ડાઉન થઇ શકે છે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના કાર્યાલયના અધિકારીઓ તરફથી જાણકારી અપાઇ છે કે સોમવારે ગૃહ મંત્રી અમિત શાહે મુખ્યમંત્રી ઠાકરે સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રાજ્યની તૈયારીઓ પર ચર્ચા કરી હતી. સરકાર તરફથી માહિતી અપાઇ છે કે, એવી હોસ્પિટલ જ્યાં કોરોનાના દર્દીઓની સારવાર ચાલી રહી નથી, તેને વાવાઝોડાથી પ્રભાવિત લોકોની સારવાર માટે તૈયાર કરાઇ રહી છે. આ ઉપરાંત વાવાઝોડાથી વીજળીનો પૂરવઠોના રોકાય તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.
નોંધનીય છે કે એનડીઆરએફની 31 ટીમોને મહારાષ્ટ્ર અને ગુજરાતમાં તહેનાત કરાઇ છે. એનડીઆરએફના ડાયરેક્ટર જનરલ એસએન પ્રધાને કહ્યું કે 'નિસર્ગ' એક મોટુ ચક્રવાતી વાવાઝોડુ છે અને અમારુ અનુમાન છે કે આ દરમિયાન 90-100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી હવા ફૂંકાશે.