કોરોના વાયરસના સંકટ સામે લડી રહેલા મહારાષ્ટ્ર પર આજે ચક્રવાતી તોફાન નિસર્ગનો કેર છે. તોફાન નિસર્ગ બુધવારે બપોરે મુંબઈના કિનારાના વિસ્તારોમાં ત્રાટક્યુ છે. હવામાન વિભાગનું માનીએ તો મુંબઈના અલીબાગ વિસ્તારમાં આ તોફાનનું લોન્ડ ફોલ થયું છે. બુધવાર સવારથી જ કિનારાના વિસ્તારોમાં સ્પીડમાં પવન ફુંકાયો હતો. તેમજ સતત વરસાદ થઈ રહ્યો છે. ચક્રવાતને ધ્યાનમાં રાખતા બાન્દ્રા- વર્લી સી લિંક પર ટ્રાફિકને રોકી દેવામાં આવ્યો છે. લોકોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે.
મુંબઈના અલીબાગમાં બપોરે 1 વાગ્યા પછી ચક્રવાત નિસર્ગનું લેન્ડ ફોલ શરુ થયું હતુ
સવારથી જ મુંબઈમાં ભારે વરસાદ અને સ્પીડમાં પવન ફુંકાવાની શરુઆત થઈ ગઈ છે.
ગેટ વે ઓફ ઈન્ડિયાની પાસે પવન એટલી સ્પીડમાં ફુંકાઈ રહ્યો છે કે પોલીસના બેરિકેડિંગ પર ત્યાં પડી ગયા છે.
મુંબઈના દરિયાકાંઠાથી માછીમારો હટાવવામાં આવ્યા છે. આ તોફાનને કારણે માછીમારો પોતાની બોટો અને અન્ય સામાન ત્યાં જ છોડીને ચાલ્યા ગયા છે.
મુંબઈના વર્સોવા વિસ્તારમાં ભારે વરસાદ થઈ રહ્યો છે અને પોલીસ એનડીઆરએફની ટીમો સતત લોકોને હટાવવાનું કામ કરી રહી છે.
હવામાન વિભાગ તરફથી કહેવામાં આવી રહ્યું છે કે મુંબઈ, ઠાણે, રાયગઢ, રત્તનાગિરીમાં સ્પીડમાં પવન ફુંકાવા અને ભારે વરસાદની શક્યતા છે. ત્યારે બપોરે લોકોને ઘરમાંથી બહાર ન નીકળે.
ઉલ્લેખનીય છે કે નિસર્ગ ચક્રવાતને જોતા હવામાન વિભાગે મુંબઈમાં હાઈ ટાઈડના આવવાની શક્યતા દર્શાવવામાં આવી છે. તોફાન દરમિયાન 100થી 120 કિમી પ્રતિ કલાક ઝડપે પવનો અને દરિયામાં 6 ફુટના મોજા ઉછળવાને કારણે મુંબઈને પાણી પાણી કરી શકે છે.
As per, Ratnagiri recorded 59 kmph at 09:30 IST. Gale wind reaching 60-70 kmph gusting to 80 kmph prevails along&off South Konkan coast&50-60 kmph gusting to 70 kmph along&off North Konkan coast. pic.twitter.com/s3LMJQZIoR
ફક્ત મહારાષ્ટ્ર જ નહીં પરંતુ ગુજરતા, દમણ અને દીવના કેટલાય વિસ્તારોમાં આ તોફાનની અસર જોવા મળશે. અહીં સ્પીડમાં પવન ફુંકાઈ રહ્યો છે અને વરસાદ થઈ રહ્યો છે. દરેક જગ્યાએ પોલીસ અને એનડીઆરએફની ટીમો ડિપ્લોય કરવામાં આવી છે. જેઓ લોકોને દરિયા કિનારાથી હટાવી સલામત જગ્યાએ લઈ જવાનું કામ કરાઈ રહ્યું છે.