કોરોના વાયરસ સામે લડી રહેલા મહારાષ્ટ્ર પર નિસર્ગ નામના ચક્રવાતનું સંકટ તોડાઈ રહ્યું છે. આ ચક્રવાતના ભયને ધ્યાનમાં રાખીને દરિયા કિનારાના વિસ્તારોને ખાલી કરાવવામાં આવ્યા છે. ત્યારે તેની અસર ટ્રેન અને હવાઈ મુસાફરી પર પણ પડી છે. સેન્ટ્રલ રેલવેથી મળતી માહિતી અનુસાર મુંબઇથી દોડતી ઘણી ટ્રેનોનું ટાઇમ ટેબલ બદલાયું છે. કેટલાકને તો ડાયવર્ટ પણ કરવામાં આવી છે.
ઈન્ડિગોની 17 ફ્લાઈટો રદ્દ
5 ટ્રેનોને રિ શેડ્યૂલ કરાઈ
મુંબઈ એરપોર્ટ પર આજે માત્ર 19 ફ્લાઈટો કાર્યરત રહેશે
રેલવેના જણાવ્યા અનુસાર મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલથી નીકળતી 5 ટ્રેનોનું સમયપત્રક રિશેડ્યૂલ કરવામાં આવ્યું છે. જ્યારે મુંબઇ ટર્મિનલ પર આવનારી 2 ટ્રેનોને નિયમન કરવામાં આવશે અને એક ટ્રેનને ડાયવર્ટ કરવામાં આવશે.
રેલવે ઉપરાંત વાવાઝોડાની હવાઈ મુસાફરી પર પણ અસર પડી છે. નિસર્ગથી વિનાશની શક્યતાને ધ્યાનમાં રાખીને ઈન્ડિગો એરલાઇન્સએ મુંબઇ એરપોર્ટ પર જનારી તથા આવનારી 17 ફ્લાઇટ્સ રદ કરી છે.છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય હવાઇમથકના મેનેજમેન્ટ પાસેથી મળતી માહિતી અનુસાર બુધવારે એટલે કે આજે માત્ર 11 વિમાનો જ મુંબઇ એરપોર્ટથી ઉડશે. ત્યારે 8 ફ્લાઇટ્સ અહીં ઉતરી શકશે. આ ફ્લાઇટ્સ એર એશિયા ઇન્ડિયા, એર ઇન્ડિયા, ઇન્ડિગો, ગો-એર અને સ્પાઇસ જેટની હશે. આજે મુંબઇ એરપોર્ટ પર માત્ર 19 ફ્લાઇટ્સ ચલાવવામાં આવશે.
#UPDATE In the wake of #CycloneNisarga, a total of 19 flights which include 11 departures & 8 arrivals will be operating on June 3 from Chhatrapati Shivaji Maharaj International Airport in Mumbai. The flights will be operated by AirAsia India, Air India, IndiGo, GoAir & SpiceJet. https://t.co/vFCfUBLWuL
તોફાનના ભયને ધ્યાનમાં રાખીને ઇન્ડિગો એરલાઇન્સે પહેલાથી જ 17 ફ્લાઇટ્સ રદ કરી દીધી છે. આજે મુંબઇથી ઈન્ડિગો એરલાઇન્સની માત્ર 3 ફ્લાઇટ્સ કાર્યરત છે.
ચક્રવાત 'નિસર્ગ' ના ભયને ધ્યાનમાં રાખીને મુંબઈના દરિયાકાંઠે લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મુંબઈ પોલીસે માહિતી આપતા જણાવ્યું કે, કલમ 144 હેઠળ આદેશ આપવામાં આવ્યો છે.
#CycloneNisarga: IndiGo has cancelled 17 flights to and from Mumbai, to only operate three flights from #Mumbai tomorrow.
ચક્રવાત 'નિસર્ગ'ને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો સામનો કરવા પશ્ચિમ નૌસેનાની તમામ ટીમોને સતર્ક કરી દેવામાં આવ્યા છે. સંરક્ષણ વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતુ કે નૌસેનાએ મુંબઈમાં પાંચ ટીમ અને ત્રણ ડાઇવર્સની ટીમને તૈયાર રાખી છે. ગુજરાતમાં દરિયાકાંઠાના વિસ્તારોમાંથી 78,000 લોકોને સ્થળાંતર કરાયા છે. અહીં એનડીઆરએફની 13 ટીમો અને એસડીઆરએફની 6 ટીમો વિવિધ સ્થળોએ સ્ટેન્ડ ટુ કરવામાં આવી છે.