ભારતીય હવામાન વિભાગના આધારે 3 જૂને ચક્રાવાત નિસર્ગ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં હરિહરેશ્વર અને દમણની વચ્ચે ઉત્તર મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના તટથી ટકરાઈ શકે છે. આ સમયે મોટા ઉદ્યોગો અને કેમિકલ કંપનીઓ સહિત અનેક વિસ્તારોમાં બીએમસીએ એલર્ટ જાહેર કર્યું છે. નાગરિકોને પણ કેટલીક ખાસ સૂચનાઓ સાવચેતી રૂપે આપવામાં આવી છે.
નિસર્ગ ચક્રાવાતનો કહેર
આવનારા 24 કલાકમાં વધી શકે છે ખતરો
ગુજરાતના દક્ષિણ તટ અને મુંબઈ, પાલઘર, ઠાણેમાં ભારે વરસાદની શક્યતા
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 3 જૂને મુંબઇ, પાલઘર, થાણે અને ગુજરાતના દક્ષિણ કાંઠામાં ભારે વરસાદની સંભાવના છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા નીચા દબાણવાળા ક્ષેત્રને કારણે ચક્રવાત સર્જાય છે. નિસર્ગ ચક્રવાત 2 જૂનના રોજ સવારે ઉત્તર તરફ જશે. પછી તે ઉત્તર -પૂર્વ તરફ આગળ વધ્યા પછી 3 જૂનની સાંજ કે રાત સુધી ઉત્તર મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠેથી હરિહરેશ્વર (રાયગઢ, મહારાષ્ટ્ર) અને દમણ વચ્ચે ટકરાઈ શકે છે. હરિહરેશ્વર શહેર મુંબઈ અને પુણે બંનેથી 200 કિલોમીટર અને દમણથી 360 કિલોમીટરના અંતરે છે.
બીએમસીએ જાહેર કર્યું એલર્ટ
3 જૂને મુંબઈમાં મોટા વાવાઝોડાની સંભાવના છે. આજે બપોરથી વરસાદ અને જોરદાર પવન સાથે તેની અસર દેખાવવા માંડશે. બીએમસીએ તેના અધિકારીઓને પૂછ્યું છે કે નાગરિકો કે જે નીચાણવાળા વિસ્તારોમાં અથવા તોફાનને કારણે નુકસાન પહોંચાડે તેવા સ્થળોએ રહે છે, તેઓને શાળાએ અથવા કોઈ સલામત સ્થળે લઈ જવા. BMCએ તોફાન દરમિયાન લોકોને મકાન છોડવાની મનાઈ ફરમાવી છે, ઇલેક્ટ્રિક થાંભલાઓ અને ઝાડ નીચે ઊભા ન રહેવાની પણ સૂચના આપવામાં આવી છે.
મોટા ઉદ્યોગો અને પેટ્રોકેમિકલ કંપનીઓને તોફાન દરમિયાન તેમની સામગ્રી અને સિસ્ટમોને સુરક્ષિત રાખવા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે પણ કહેવામાં આવ્યું છે. વીજ પુરવઠો તૂટી ન જાય તે માટે મુંબઈની તમામ હોસ્પિટલોને લાઈટ જાય તેવા કિસ્સામાં જનરેટર તૈયાર રાખવાની સૂચના આપવામાં આવી છે.
મહારાષ્ટ્ર અને ગુજરાત સરકારે ચક્રવાતની પ્રકૃતિને ધ્યાનમાં રાખીને દરિયાકાંઠાના વિસ્તારોમાં એનડીઆરએફની ટીમો તૈનાત કરી છે. તોફાનના ભયને ધ્યાનમાં રાખીને, એનડીઆરએફની 9 ટીમો મહારાષ્ટ્રમાં તૈનાત કરવામાં આવી છે. એનડીઆરએફની ટીમો તોફાનના ભય સામે કાર્યવાહી કરવા તૈયાર છે. મુંબઈમાં 3 ટીમો અને પાલઘરમાં 2 ટીમો તૈનાત કરવામાં આવી છે. જ્યારે એનડીઆરએફની એક ટીમ થાણે, રાયગઢ, રત્નાગિરી અને સિંધુદુર્ગમાં તૈનાત કરવામાં આવી છે. સ્થાનિક અધિકારીઓ સાથે એનડીઆરએફની ટીમો આ જિલ્લાઓના દરિયાકાંઠાના વિસ્તારોનો સર્વે કરી રહી છે.
Gujarat Chief Minister Vijay Rupani chaired a high level meeting yesterday over #CycloneNisarga, in Ahmedabad. The cyclone is expected to cross Harihareshwar (Maharashtra) & Daman coast on the evening of June 3. pic.twitter.com/3U9hMqEatV
મહારાષ્ટ્ર અને ગુજરાતમાં 3 જૂને આવનારા સંભાવિત ચક્રાવાત નિસર્ગને લઈને ગૃહ પ્રધાન અમિત શાહે એનડીએમએ, એનડીઆરએફ, આઇએમડી અને ભારતીય કોસ્ટગાર્ડના અધિકારીઓ સાથે એક ચક્રવાત દુર્ઘટનાની તૈયારી માટે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. ચક્રવાતની પ્રકૃતિને ધ્યાનમાં રાખીને ગૃહમંત્રી અમિત શાહે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે વાત કરી હતી અને રાજ્યોની તૈયારીઓની સમીક્ષા કરી હતી. ગૃહમંત્રીએ ચક્રવાતી વાવાઝોડાઓનો સામનો કરવા કેન્દ્રને તમામ શક્ય મદદની ખાતરી આપી હતી.
દક્ષિણ-પૂર્વ અને નજીકના પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર અને લક્ષદ્વીપ ક્ષેત્રમાં નીચા દબાણવાળા ક્ષેત્ર સોમવારે ડિપ્રેશનમાં ફેરવાઈ ગયા છે. તે વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરીને 2 જૂને સવારે ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ શકે છે. આ પછી 3 જૂનના સાંજ કે રાત સુધીમાં કોઈ તીવ્ર વાવાઝોડામાં ફેરવાઈ જવાની સંભાવના છે.