ગુજરાત માથે ટકરાવવાની ભીતિવાળુ વાવાઝોડુ આડે મહારાષ્ટ્રમાં અલીબાગમાં ટકારાયુ હતુ. પણ દ. ગુજરાતમાં આ વાવાઝોડાની ભારે અસર થઈ છે. છેલ્લા ચાર દિવસથી વરસાદી માહોલ બનાવનાર નિસર્ગ આખરે જમીનદોસ્ત થઈ ગયુ છે પણ તેની તોફાની અસરોને કારણે વરસાદ વરસી રહ્યો છે. સુરત, વલસાડ, નવસારી અને ભરૂચમાં અસરો જોવા મળી રહી છે.
સુરત મનપા કમિશ્નર બનછાનિધિ પાની એ લોકોને ચેતવણી આપી
નિસર્ગ વાવાઝોડામાં ભારે પવન અને વરસાદ પડી શકે છે
લોકોને ઘરની અંદર બારી બારણાં બંધ કરી રહેવા સૂચના આપી
દરિયો બન્યો તોફાની
વાવાઝોડું નિસર્ગ મહારાષ્ટ્રના અલીબાગમાં ટકરાયું છે. અલીબાગમાંથી 80થી 90 કિમીને ઝડપે પવન ફૂંકાયો છે. ભારે પવનની સાથે અલીબાગમાં વરસાદ પણ થઈ રહ્યો છે. 3 કલાક સુધી વાવઝોડાની અસર રહેશે. અલીબાગમાં 2.4 મીટરથી ઉંચા મોજા ઉછળી રહ્યા છે.
સુરતમાં ચેતવણી
સુરતમાં નિસર્ગ વાવાઝોડું અસર કરી શકે છે. સુરત મનપા કમિશ્નર બનછાનિધિ પાની એ લોકોને ચેતવણી આપી છે. નિસર્ગ વાવાઝોડામાં ભારે પવન અને વરસાદ પડી શકે છે
લોકોને ઘરની અંદર બારી બારણાં બંધ કરી રહેવા સૂચના આપી છે. દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. હાલ સુરતમાં 23 કિલોમીટર થી વધુ સ્પીડે પવન ફૂંકાય રહ્યો છે. પવન ની ઝડપ હજુ વધશે.
નિસર્ગ વાવાઝોડાને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં તેઓે કહ્યું કે નિસર્ગ વાવાઝોડાની અસર દક્ષિણ ગુજરાતમાં થશે. નર્મદા અને છોટાઉદેપુરમાં ભારે વરસાદ પડી શકે છે. જો કે સૌરાષ્ટ્રમાં કોઇ ખતરો નથી. નિસર્ગ વાવાઝોડાની ઝડપ 100થી 110 કિમી છે. દમણ, દાદરાનગર હવેલી, નવસારી, વલસાડમાં તેજ પવન ફૂંકાશે અને ભારે વરસાદ પણ પડી શકે છે.