ગુજરાતમાં વાવાઝોડુ નિસર્ગ હવે ડિપડિપ્રેશનમાં ફેરવાઈ ગયુ છે અને ભાવનગર સહિત ગુજરાતના દરિયા કાંઠે આ વાવઝોડુ ગમે ત્યારે ત્રાટકવાની સંભાવના છે ત્યારે ભાવનગરમાં તત્રની એક ઘોર બેદરકારી સામે આવી છે. ઘોઘાના દરિયા કિનારે આવેલી પ્રોટેક્શન વોલ તુટી ગઈ છે. જે હજુ સુધી રિપેર નથી કરાવાઈ. ગત 24 કલાકથી ગુજરાતના 29 જિલ્લામાં વરસાદ પડી ચુક્યો છે. અને હાલ પણ વાદળાએ ગુજરાતના કેટલાક જિલ્લાઓના આકશ પર કબજો જમાવ્યો છે. ત્યારે તંત્રની ઘોર બેદરકારી કેમ ચલાવી લેવાય?
ભાવનગરના દરિયાકાંઠે વાવાઝોડું ત્રાટકવાની શક્યતા
ઘોઘાના દરિયા કિનારે આવેલી પ્રોટેક્શન વોલ તૂટલી
છેલ્લા 30 વર્ષથી તૂટેલી હોવા છતાં તંત્ર ઘોર નિંદ્રામાં
ભાવનગરના દરિયાકાંઠે સંભવિત વાવાઝોડું ત્રાટકવાની શક્યતાને લઇને તંત્ર અલર્ટ થઇ ગયું છે. પરંતુ દુ:ખની વાત એ છે કે ઘોઘાના દરિયા કિનારે છેલ્લા 30 વર્ષથી પ્રોટેક્શન વોલ તૂટી ગઇ છે. વોલ તૂટેલી હોવા છતાં સરકાર કે સ્થાનિક તંત્રનું પેટનું પાણી પણ હલતું નથી. આ પ્રોટેક્શન વોલ તૂટેલી હોવાથી સામાન્ય ભરતીમાં પણ પાણી ગામમાં ઘૂસી જાય છે. પરંતુ આજ સુધી કામ થયું નથી. ત્યારે સવાલ એ થાય કે શું સરકાર કોઇ મોટી દુર્ઘટના પછી જ જાગશે.
35 ગામો અલર્ટ પર
ગુજરાત પર સંભવિત વાવાઝોડાને લઇને ભાવનગરનું તંત્ર પણ અલર્ટ થઇ ગયું હોવાનું કહેવાઈ રહ્યુ છે. હાલ ભાવનગરનો દરિયો શાંત જોવા મળી રહ્યો છે. તો માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. હાલ ઘોઘાના દરિયા કિનારે બોટો લંગારવામાં આવી છે. જ્યારે તમામ બંદોરો પર 1 નંબરનુ સિગ્નલ લાગાવાયું છે. સંભવિત વાવાઝોડાને લઇ જિલ્લાના 35થી વધુ ગામોમાં અલર્ટ આપી દેવામાં આવ્યું છે.
ભાવનગરમાં જોવા મળ્યો હતો વરસાદ
ભાવનગરમાં ભારે વરસાદ થતાં અનેક વિસ્તારમાં પાણી ભરાયાં હતા. શહેરના કુંભારવાડા વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા હતા. નિકાલની વ્યવસ્થા ન હોવાથી લોકોના ઘરમાં પાણી ભરાતાં ઘર વખરીને ભારે નુકસાન પહોંચ્યું હતું. જ્યારે બીજી તરફ ભારે પવન સાથે વરસાદ પડતા અનેક વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી થયા હતા.
જિલ્લાના ગાયત્રીનગર, ઘોઘાસર્કલમાં વૃક્ષો ધરાશાયી થયા હતા. વૃક્ષો ધરાશાયી થતાં વાહનો દબાયા હતા. આ તરફ બાર્ટન લાયબ્રેરી રસ્તા પર ટ્રાન્સફોર્મરમાં શોર્ટસર્કિટ થવાના કારણે વીજળી ગુલ થઇ હતી. જેને લઇને સમગ્ર વિસ્તારમાં અંધાર પટ છવાયો હતો.