ગુજરાત પરથી નિસર્ગ વાવાઝોડાંનું સંકટ ટળી ગયું છે. હવે આ વાવાઝોડું ગુજરાત નહીં મહારાષ્ટ્રના અલીબાગમાં ટકરાશે. હવામાન વિભાગ દ્વારા આ અંગેની જાણકારી આપવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વાવાઝોડાંને લઇને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાત પરથી નિસર્ગ વાવાઝોડાનું સંકટ ટળ્યું
ગુજરાત નહી મહારાષ્ટ્રના અલીબાગમાં ટકરાશે વાવાઝોડું
બુધવારે બપોરે રાયગઢ અને દમણ વચ્ચેથી વાવાઝોડું પસાર થશે
હવામાન વિભાગ દ્વારા વાવાઝોડાંને લઇને ગુજરાતમાં રાહતના સમાચાર આપ્યાં છે. નિસર્ગ વાવાઝોડું હવે મહારાષ્ટ્રના અલીબાગમાં ટકરાશે જ્યારે ગુજરાત પર સંકટ ટળ્યું છે. પરંતુ દક્ષિણ ગુજરાતમાં તેની અસર સારી જોવા મળશે.
હવામાન વિભાગ દ્વારા રાજ્યના દક્ષિણ ગુજરાતના કેટલાંક ભાગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વાવાઝોડાંના પગલે ગુજરાતમાં 100 થી 120 કલાકની ઝડપે પવન ફુંકાશે. પરંતુ ગુજરાતના તાપી, ડાંગ અને નર્મદામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે વાવાઝોડાની સૌરાષ્ટ્રમાં જરા પણ અસર જોવા નહીં મળે.