નિસર્ગ વાવાઝોડું મહારાષ્ટ્રના દરિયાકાંઠે ટકરાયું છે, હવામાન વિભાગના કહેવા મુજબ આવનાર ત્રણ કલાક સુધી લેન્ડફોલ પ્રોસેસ ચાલશે. કોરોના સંકટ વચ્ચે નવું સંકટ ઘેરાયું છે. જેમાં રાજ્યના અલિબાગમાં આ વાવાઝોડું ટકરાયું છે. વાવાઝોડાની અસરને લઇને હાલ મુંબઇ, અલીબાગ, પાલઘર સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના મુખ્યમંત્રીએ વાવાઝોડાની અસર હેઠળ આવી રહેલા વિસ્તારોના લોકોને ઘરની બહાર ન નીકળવા અપીલ કરી છે.
મહારાષ્ટ્રના મુંબઈમાં નિસર્ગ વાવાઝોડાની અસર
મહારાષ્ટ્રના અલિબાગમાં વાવાઝોડું ટકરાયું છે
અલીબાગમાંથી 80થી 90 કિમીને ઝડપે પવન ફૂંકાયો
મહારાષ્ટ્રના મુંબઇમાં નિસર્ગ વાવાઝોડાંની અસર જોવા મળી રહી છે. હાલમાં આ વાવાઝોડું અલિબાગના દરિયા કિનારે ટકરાયું છે. અહીં 80-90 કિમીની ઝડપે પવન ફુંકાઇ રહ્યો છે. મરીન ડ્રાઇવ પાસે 2.4 મીટરના મોજા ઉછળી રહ્યાં છે.
મહારાષ્ટ્રના અલીબાગમાં વાવાઝોડું નિસર્ગ ટકરાયું છે. અલીબાગમાંથી 80થી 90 કિમીને ઝડપે પવન ફૂંકાયો છે. ભારે પવનની સાથે અલીબાગમાં વરસાદ થઈ રહ્યો છે. 3 કલાક સુધી વાવઝોડાની અસર રહેશે. અલીબાગમાં 2.4 મીટરથી ઉંચા મોજા ઉછળી રહ્યા છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 3, 2020
The center of the severe #Cyclone Nisarga is very close to Maharashtra coast. Landfall process started & it will be completed during next 3 hours. The northeast sector of the eye of severe cyclonic storm is entering into land: IMD pic.twitter.com/Si1IEBGkOD
#WATCH Maharashtra: NDRF (National Disaster Response Force) team has been deployed at Versova beach in Mumbai, in view of impending adverse weather. #CycloneNisargapic.twitter.com/QruD0DZjqy
મહત્વનું છે કે, હવામાન વિભાગે 100થી 120 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાને લઇને આગાહી કરી છે. મહારાષ્ટ્રમાં વાવાઝોડાને લઇને આગાહી કરી હતી.
Around 40000 people have been evacuated to safer places till now from various locations (sea belt areas) of Maharashtra: Anup Shrivastava, Commandant NDRF (National Disaster Response Force). #CycloneNisargahttps://t.co/DlTxYwGMyd
મહારાષ્ટ્રમાં દરિયાના તટીય વિસ્તારોમાં આવેલા અંદાજે 40,000 લોકોને NDRF ની ટીમ દ્વારા સુરક્ષિત જગ્યા પર ખસેડવામાં આવ્યાં છે. વાવાઝોડાંને ધ્યાનમાં લઇને વર્સોવામાં NDRF ની ટીમ BMC ની સાથે મળી લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવી રહ્યાં છે.
મહારાષ્ટ્રમાં નિસર્ગ વાવાઝોડાનું સંકટ છે. ત્યારે વાવાઝોડાના સંકટને લઇને દરિયાકાંઠા વિસ્તારના લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. અલીબાગથી 390 લોકોને સુરક્ષિત સ્થળે લઇ જવાયા. અલીબાગના દરિયાકાંઠા વિસ્તારમાં રહેતા 390 લોકોને સુરક્ષિત સ્થળે લઇ જવામાં આવ્યા છે.
Wind speed of about 80 to 90 kmph expected over Maharashtra's Ratnagiri, Sindhudurg & Palghar. Over Gujarat's Navsari & Valsad wind speed of about 60-80 kmph is expected. By midnight it will weaken & by tomorrow morning it will become depression: Mrutyunjay Mohapatra, DGM, IMD https://t.co/VaHes0Ak2D
મુંબઇમાં ચક્રવાતને લઇને તેમજ જાનહાનિના નુકસાનને રોકવા માટે મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. જેને લઇને મુંબઇમાં 144 કલમ લાગુ કરવામાં આવી છે. લોકોને દરિયા કિનારે જવા પર પ્રતિબંધ લગાવામાં આવ્યો છે. લોકોને ઘરમાં રહેવા અપીલ કરવામાં આવી છે.