Cyclone / નિસર્ગ વાવાઝોડું મહારાષ્ટ્રના દરિયાકાંઠે ટકરાયું, આવનાર ત્રણ કલાક લેન્ડફોલ પ્રોસેસ ચાલશેઃ હવામાન વિભાગ

cyclone nisaraga maharashtra mumbai heavy rain  weather forecast

નિસર્ગ વાવાઝોડું મહારાષ્ટ્રના દરિયાકાંઠે ટકરાયું છે, હવામાન વિભાગના કહેવા મુજબ આવનાર ત્રણ કલાક સુધી લેન્ડફોલ પ્રોસેસ ચાલશે. કોરોના સંકટ વચ્ચે નવું સંકટ ઘેરાયું છે. જેમાં રાજ્યના અલિબાગમાં આ વાવાઝોડું ટકરાયું છે. વાવાઝોડાની અસરને લઇને હાલ મુંબઇ, અલીબાગ, પાલઘર સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના મુખ્યમંત્રીએ વાવાઝોડાની અસર હેઠળ આવી રહેલા વિસ્તારોના લોકોને ઘરની બહાર ન નીકળવા અપીલ કરી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ