ગુજરાતના દરિયા કિનારે 3 જૂને વાવાઝોડું ત્રાટકી શકે છે. વાવાઝોડાંને લઈને રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે નિસર્ગ વાવાઝોડાંને લઇને મહત્વના સમાચાર આવી રહ્યાં છે. જેમાં દરિયામાં સર્જાયેલું ડિપ્રેશન ડીપ ડીપ્રેશનમાં ફેરવાયું છે. આ ડીપ ડિપ્રેશન 6 કલાકે 11 કિલોમીટરનું અંતર કાપી રહ્યું છે. હાલ આ ડિપ ડિપ્રેશન સુરતથી 710 કિલોમીટર દુર જોવા મળી રહ્યું છે.
રાજ્યમાં નિસર્ગ વાવાઝોડાંને લઇને મહત્વના સમાચાર આવી રહ્યાં છે. જેમાં ડિપ્રેશન હવે ડીપ ડીપ્રેશનમાં પરિવર્તિત થઇ રહ્યું છે. જેને લઇને આગામી 12 કલાકમાં ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થઇ જશે. હાલ ડિપ ડિપ્રેશન 6 કલાકે 11 કિલોમીટરનું અંતર કાપે છે.
હાલ આ ડિપ ડિપ્રેશન સુરતથી 710 કિલોમીટર દૂર છે. ડિપ ડિપ્રેશનના કારણે દક્ષિણ ગુજરાતના દરિયા કિનારાના યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાવાઝોડાંની રાજ્યના દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વધારે અસર જોવા મળશે.
રાજ્યમાં 3 જૂને બપોર બાદ આ વાવાઝોડું ટકરાઇ તેવી શક્યતા છે. દક્ષિણ ગુજરાતના વલસાડ, વ્યારા, આહવા, સુરતમાં જેને લઇને વરસાદની સંભાવના છે. વડોદરા, ગોધરા, પંચમહાલમાં પણ વરસાદ થઇ શકે છે. મહારાષ્ટ્રના પાલઘર, વસઇ, નાસિકમાં પણ વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે વાવાઝોડાંને લઇને માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી છે.