અમદાવાદ: દક્ષિણ પશ્વિમ અરબી સમુદ્રમાં ડિપ્રેશન સર્જાયું છે અને હજુ 6 કલાક બાદ ડિપ્રેશન તીવ્ર થશે. 12 કલાક બાદ ડિપ્રેશનમાં પરિવર્તિત થશે. ઓમાન તરફ ચક્રવાત આગળ વધશે.ચક્રવાતને લઇને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે અને ગુજરાતના પોર્ટ પર 1 નંબરનું સિગ્નલ લગાવાયું છે. જોકે ચક્રવાતને લઇને ગુજરાતને કોઇ અસર નહી થાય.
ઉલ્લેખનીય છે કે અરબ સાગરમાં સીઝનનું આ બીજુ તોફાન છે. આ તોફાનનું નામ મેકુનુ નામ આપવામાં આવેલ છે. પોતાની ધૂનમાં આગળ વધી રહેલા આ તોફાન 3-4 દિવસમાં ઓમાન અને યમનના કેટલાક વિસ્તારને પ્રભાવિત કરશે. હાલ આ વાવઝોડું 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દક્ષિણ-પશ્વિમ અરબી સમુદ્રમાં આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડાને કારણે ગુજરાતના દરિયા કિનારે માછીમારી કરતા લોકોને દરિયો નહીં ખેડવા માટે સુચના આપવમાં આવેલ છે તથા 1 નંબરનું સિગ્નલ લગાવવામાં પણ આવેલ છે.
આપને જણાવી દઇએ કે આ પહેલા દિલ્હીમાં અને તેની નજીકના વિસ્તારોમાં વાવાઝોડું આવ્યું હતું જેમાં કેટલાય લોકોએ પોતાના જીવ ખોયા હતા તો કેટલાય વિસ્તારોમાં નુકસાન પણ થયું હતુ. જો કે ગુજરાતના કોઇ સ્થળે નુકસાન થવાની કે વાવાઝોડાની અસર દેખાવાની પણ સંભાવના નથી તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.