ગુજરાતને માથે કોરોનાનું તાંડવ ચાલુ છે ત્યારે ઓર એક કુદરતી આફત ઉતરી આવે તેવી સંભાવના પેદા થઈ છે. વાવાઝોડુ ગુજરાત માથે ત્રાટકવાની શક્યતા છે. જેના ભાગ રૂપે પોરબંદરના બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવાયુ છે. અરબી સમુદ્રમાં લો પ્રેસરને કારણે આ સિગ્નલ અપાયા છે. કંડલા, દ્વારાકા, મોરબીને પણ વાવાઝોડુ ઘમરોળી શકે છે.