ચેન્નઇનાં મામલ્લપુરમ તટથી ચક્રવાતી તૂફાન મેન્ડીસનાં અથડાયાં બાદ પાયમાલી થઇ છે. વાવાઝોડાએ શહેર અને આસપાસનાં વિસ્તારોને પણ પ્રભાવિત કર્યું છે અને આશરે 400થી વધુ ઝાડ મૂળ સહિત પડ્યાં છે તો 4 લોકોનું મૃત્યુ પણ થયું છે.
ચેન્નઇમાં વાવાઝોડાં મેન્ડસે મચાવી તબાહી
4 લોકોનાં મોત, 400 ઝાડો મૂળથી થયા અલગ
CM સ્ટાલિને આપી સમગ્ર માહિતી
તમિલનાડુ: ચેન્નઇમાં આગાહી બાદ મેન્ડીસ વાવાઝોડાએ હલ્લો બોલ્યો હતો. આ ભયાનક વાવાઝોડાને લીધે ચેન્નઇનાં મામલ્લપુરમ તટની આસપાસનાં શહેરી વિસ્તારોમાં જાનમાલની તબાહી સર્જી છે. આ વાવાઝોડાને લીધએ લોકોને ઘણી હેરાનગતિનો સામનો કરવો પડ્યો છે.
CMએ આપી માહિતી
CMએ જણાવ્યું કે તૂફાનને લીધે 4 લોકોનું મોત થયું છે. મરીના બીચની પાસે પણ જળનો ભરાવો દેખાઇ રહ્યો છે અને ખાણી-પીણીનાં સ્ટોલમાં પણ નુક્સાન પહોંચ્યું છે. સ્ટાલિને કહ્યું કે સરકારે સ્થિતિનું અનુમાન લગાડી લીધેલ છે અને તમામ જરૂરી ઉપાય કરવામાં આવી રહ્યાં છે જેથી વધુ મોટાં નુક્સાનને રોકી શકાય. સ્ટાલિને કહ્યું કે ઉન્નત યોજનાની સાથે આ સરકારે સાબિત કરી દીધેલ છે કે કોઇ પણ આપત્તિનું સંચાલન કરી શકાય છે.
હવે નબળું પડ્યું વાવાઝોડું
ઝડપભેર હવા ચાલવાને લીધે આશરે 400 જેટલા ઝાડ પડી ગયાં છે. કેટલાક ઝાડ તો વિજળીનાં થાંભલા પર પડી જવાથી વીજ સપ્લાય પર પણ અસર પડી છે. વાવાઝોડાને કારણે વીજ થાંભલા અને ટ્રાન્સફોર્મરોને નુક્સાન પહોંચ્યું છે અને 600 જગ્યાઓ પર વિજળી બંધ કરી દેવાઇ છે. સરકાર અનુસાર સફાઇ કામ ઝડપથી ચાલી રહ્યું છએ અને લગભર 25000 લોકોને આ માટે કામ પર લગાવવામાં આવ્યાં છે.
કેન્દ્ર પાસે મદદ માંગી શકે છે સરકાર
મુખ્યમંત્રી સ્ટાલિને કહ્યું કે નુક્સાનનું આંકલન કરવામાં આવી રહ્યું છે અને જરૂરત પડશે તો કેન્દ્ર પાસે મદદ માંગવામાં આવશે. આ પહેલાં રાજ્યનાં રાજસ્વ અને આપત્તિ પ્રબંધન મંત્રી રામચંદ્રને કહ્યું કે 205 રાહત કેન્દ્રોમાં 9000થી વધુ લોકોને રાખવામાં આવ્યું છે. શુક્રવાર સવાર 6 વાગ્યાંથી આજે સવારે 6 વાગ્યાની વચ્ચે 30 ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનું સંચાલન પ્રભાવિત થયું છે જેના કારણે તેને રદ કરી દેવાઇ છે.