'મહા' વાવાઝોડાને લઇને મોટા સમાચાર આવી રહ્યાં છે. જેમાં વાવાઝોડાંની ગતિ દરિયામાં ધીમી પડી છે. જો કે તેમ છતાં આ વાવાઝોડું 7 નવેમ્બરે માંગરોળથી પોરબંદર વચ્ચે ટકરાઇ શકે છે. જેના કારણે રાજ્યભરમાં ભારે પવન ફૂંકાશે.
'મહા' વાવાઝોડાની ગતિ દરિયામાં ધીમી પડી
7મીએ ગુજરાતમાં ત્રાટકી શકે `મહા' વાવઝોડું
`મહા' વાવઝોડું દરિયામાં દક્ષિણ દિશા તરફ નમ્યું
સૌરાષ્ટ્રના બંદરો પર 2 નંબરનું સિગ્નલ યથાવત
રાજ્યમા 'મહા' વાવાઝોડાના પગલે રાજ્યભર વરસાદના એલર્ટ વચ્ચે બંદરો પર 2 નંબરનું સિગ્નલ યથાવત જોવા મળ્યું છે. જેમાં પોરબંદર, ભાવનગર, સોમનાથ બંદર પર 2 નંબરનું સિગ્નલ યથાવત છે. જેને લઇને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
મહા વાવાઝોડું ઇસ્ટ અરેબિયન્સમાં સક્રિય
હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર હાલમાં આ વાવાઝોડું સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમ છે અને આ વાવાઝોડું હાલ ઇસ્ટ અરેબિયન્સમાં સક્રિય છે. જે વેસ્ટ સાઉથ અને વેસ્ટ વેરાવળથી 550 કિમી દૂર છે. જ્યારે વેસ્ટ સાઉથ અને વેસ્ટ દીવથી 580 કિમી દૂર છે. આ વાવાઝોડું 110થા 120ની ગતિથી મુંબઇ નોર્થ તરફ આગળ વધી રહ્યું છે.
માંગરોળ-પોરંબદર વચ્ચે ટકરાવાની સંભાવના
મહા વાવાઝોડું 7 નવેમ્બરે માંગરોળથી પોરબંદર વચ્ચે ટકરાઈ શકે છે. જેના કારણે રાજ્યભરમાં ભારે પવન ફૂંકાશે તેમજ ભારેથી અતિભારે વરસાદ પણ પડી શકે છે. ત્યારે મહા વાવાઝોડાને લઇ માછીમારોને 5,6 અને 7 નવેમ્બરે દરિયામાં ન જવા સૂચના આપી દેવાઇ છે.
મહા વાવાઝોડાની અસરના પગલે રાજ્યના અનેક જિલ્લામાં વરસાદની સંભાવના
મહા વાવાઝોડાને કારણે સાઉથ ગુજરાતના જિલ્લાઓ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ અને રાજકોટામં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. તો પોરબંદર, દ્વારકા, જામનગરમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. 6 નવેમ્બરે સૌરાષ્ટ્ર અને કચ્છમાં અને 7 નવેમ્બરે ગુજરાતના અન્ય જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે.