મહા વાવાઝોડાની ગંભીરતાને જોતાં રાજ્ય સરકારે આર્મી,નેવી અને એરફોર્સની ય મદદ લીધી છે. આર્મીની 10 કોલમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. જયારે એરફોર્સના 10 હેલિકોપ્ટર આકસ્મિક મદદ માટે સજજ કરાયાં છે. મહા વાવઝોડું દરિયામાં ફંટાઈ જવાની શક્યતા છે. દીવથી 250 કિમી દૂર દરિયામાં વાવાઝોડું ફંટાય તેવી શક્યતા હાલ હવામાન વિભાગ દ્વારા સેવાઈ રહી છે. જો આવુ થાય તો ગુજરાતના દરિયા કિનારે મહાની ઓછી અસર પડશે. પણ હા વાવાઝોડા સાથે તોફાની વરસાદ તો થશે જ.
ગુજરાત માટે સૌથી મોટી રાહતના સમાચાર
વાવાઝોડાની દિશા બદલાતા રાજ્યમાં નહી થાય અસર
ગુજરાતમાં નહીં ટકરાય મહા વાવાઝોડું
મહા વાવાઝોડું ગુરૂવાર સાંજ સુધીમાં થશે નિષ્ક્રીય
વાવાઝોડું વેરાવળથી 400 અને દીવથી 490 કિમી દૂર છે
વાવાઝોડાની સૌરાષ્ટ્રમાં નહીવત અસર દેખાશે
ગુરૂવારે વાવાઝોડું સૌરાષ્ટ્ર અને કચ્છને પણ ક્રોસ કરશે
વાવાઝોડાની દિશા બદલાતા 60-65 કિમી સુધી પવન ફૂંકાશે
વાવાઝોડું હિટ ન કરતા ખતરો ટળ્યો છે
રાજકોટમાં વીજળીના કડાકા સાથે વરસાદ
વાવાઝોડાની અસર રાજકોટ શહેરમાં જોવા મળી છે. ભારે પવન સાથે શહેરમાં ધોધમાર વરસાદ થયો છે. વીજળીના કડાકા સાથે મઉડી, કાલાવડમાં વરસાદ થયો છે. તેમજ આ સાથે યાજ્ઞિક રોડ, 150 ફૂડ રિંગ પર પણ વરસાદ થયો છે. આ વરસાદથી ખેડૂતોને થઈ મોટુ નુકસાન શકે છે. માધાપર, શાપર-વેરાવળ, રિબડા જેવા ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ થયો છે.
ભાવનગરમાં મહા વાવાઝોડાની અસર
ભાવનગર જિલ્લામાં મહા' વાવાઝોડાની અસર જોવા મળી છે. અનેક વિસ્તારોમા ધોધમાર વરસાદ શરૂ થયો છે. તેમજ ધોળા, ઉમરાળા સહિતના વિસ્તારોમાં વરસાદ થઇ રહ્યો છે. ઘોઘાબંદરે 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.
રાજ્યના 4 બંદરો અલર્ટ પર મુકાયા
વેરાવળ , ઓખા , પોરબંદર, જાફરાબાદ એલર્ટ પર મૂકાયા. ગુજરાતના 48 બંદરો પર GPSથી મોનિટરીંગ શરૂ. વહાણનો ટ્રાફિક મોનીટરીંગ રૂમ સાથે સંપર્ક કરાયો. ખંભાતમાં 52, કચ્છમાં 90 જહાજો દરિયામાં લંગારાયા.
3 દિવસ દરિયા કિનારે ન જવાના લગાવ્યા બોર્ડ
મહા વાવાઝોડાને લઈને સુરતમાં તંત્ર એલર્ટ થયું છે. મનપા દ્વારા જાહેર જનતા માટે ત્રણ દિવસે દરિયા કિનારે ન જવા માટે બોર્ડ લગાવવામાં આવ્યા છે. ડુમ્મસ અને ગોલ્ડન બિચ પર લોકોને ન જવા માટે ચેતવણીના બોર્ડ લગાવવામાં આવ્યા છે. મનપા દ્વારા 6થી 8 નવેમ્બર દરિયામાં ન જવાની ચેતવણી અપાઈ છે.
જુઓ ક્યા ફરી રહ્યુ છે વાવાઝોડુ
બપોર પછી ગુજરાતનો દરિયો બનશે તોફાની
આજે બપોર પછી ગુજરાતનો દરિયો તોફાની બનશે. આવનારા 24 કલાક ગુજરાત માથે ભારે છે. રાજ્યભરમાં વરસાદ થશે.
ભાવનગર, જૂનાગઢ, ગીરસોમાનાથ, અમરેલી, સુરત, ભરૂચ, આણંદ અને અમદાવાદમાં લેન્ડફોલ થશે. દરિયાકિનારાને ચેતવણી આપવામાં આવી છે.
મહા વાવઝોડું દરિયામાં ફંટાઈ જવાની શક્યતા છે. દીવથી 250 કિમી દૂર દરિયામાં વાવાઝોડું ફંટાય તેવી શક્યતા હાલ હવામાન વિભાગ દ્વારા સેવાઈ રહી છે. જો આવુ થાય તો ગુજરાતના દરિયા કિનારે મહાની ઓછી અસર પડશે. પણ હા વાવાઝોડા સાથે તોફાની વરસાદ તો થશે જ.
અપડેટ
'મહા' વાવાઝોડાને લઇ તંત્ર એલર્ટ છે. ત્યારે હરિયાણા NDRFની ટીમ જામનગર પહોંચી છે. દિલ્લીથી એરલીફ્ટ કરી હરિયાણા NDRFની ટીમ જામનગર લવાઇ છે. તો પંજાબ NDRFની ટીમ અમદાવાદ પહોંચી છે. NDRFના 140 જવાનો જામનગર અને 100 જવાનો અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા છે. જો તેનું જોર ઓછુ નહી થાય તો ગુજરાતમાં તારાજી સર્જી શકે છે. હાલ તે 6 નવેમ્બરના રોજ ગુજરાતમાં આવશે તેવી હવામાન ખાતાની વકી છે. ત્યારે 70થી 80 કિલોમીટરની ઝડપ હશે પરંતુ આ શક્યતા છે. તેનું જોર વધી પણ શકે છે.
આજે ગાંધીનગરમાં CMની અધ્યક્ષતામાં બેઠક
CM રૂપાણીની અધ્યક્ષતામા આજે કેબિનેટ બેઠક યોજાઇ રહી છે. "મહા" વાવઝોડાને લઈને સરકારની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવશે. પ્રભારી અને મંત્રીઓને જિલ્લાની જવાબદારી સોંપવામાં આવશે. કમોસમી વરસાદથી ખેડુતોના નુકશાન પર ચર્ચા થશે. તંત્રની કામગીરી અને તૈયારીઓની સમીક્ષા થશે. જેમાં સંભવિત અસરગ્રસ્ત જિલ્લાની જવાબદારીઓ સોંપવામાં આવશે. તેમજ મંત્રીઓને અલગ-અલગ જિલ્લાની જવાબદારી સોંપવામાં આવશે. આ સાથે અતિવૃષ્ટીમાં પાકને નુકશાન પર પણ ચર્ચાઓ થશે. પાક વીમા કંપનીના સર્વેનો મુદ્દો રણ બેઠકમાં ઉછળશે. અયોધ્યા ચુકાદા અગાઉ સુરક્ષા વ્યવસ્થા પર વિચારણા થશે. ચોમાસા સત્ર મુદ્દે પણ કેબિનેટ બેઠકમાં ચર્ચા થશે. અને મંત્રીમંડળના વિસ્તરણ પર પણ ચર્ચાઓ થશે.
દરિયાકાંઠાના 18 જીલ્લાનો સર્વે પુર્ણ
મહત્વનું છે કે, દરિયાકાંઠાના 18 જીલ્લાનો સર્વે પુર્ણ કરાયો છે. દરિયાથી 1 કી.મી.ના અંતરના રહેણાંકનો સર્વે કરાયો છે. 2 લાખથી વધુ વસ્તી પ્રભાવિત થઈ શકે છે. કાચાં મકાનો, કન્સ્ટ્રક્શન સાઈટ્સનો અભ્યાસ કરાયો છે. પાકા મકાનોનો અભ્યાસ કરાયો છે. કચ્છથી દ.ગુજરાતના દરિયાઈ વિસ્તારનો અભ્યાસ પુર્ણ કરાયો છે. હવે સ્થળાંતરની જરૂર ન હોવાનું હવામાન વિભાગે સુચન કર્યું છે. આવતીકાલે કેબિનેટ બેઠકમાં સ્થળાંતર મુદ્દે નિર્ણય લેવાઈ શકે છે. સ્થળાંતર કરવાની સુચના કેન્દ્રીય હવામાન વિભાગ દ્વારા કરાશે.
ડુમસના દરિયા કિનારે જવા પર પ્રતિબંધ
સુરતના ડુમસના દરિયા કિનારે જવા પર પ્રતિબંધ ફરમાવાયો છે. તંત્ર દ્ધારા દરિયા કિનારને જવા સુચના આપી છે. 6થી 8 નવેમ્બર સુધી દરિયા કિનારે ન જવા અપીલ કરવામાં આવી છે. મનપા દ્વારા ચેતવણી દર્શાવતા બોર્ડ મુકાયા છે.
ગુજરાત પર સંભવિત વાવાઝોડાનો ખતરો
NDRFની ટીમો અમદાવાદ એરપોર્ટ પહોંચી છે. વિવિધ સાધન સામગ્રી સાથે અમદાવાદ પહોંચી છે. આ NDRFની ટીમ ભટિંડાથી અમદાવાદ આવી છે. NDRFની ટીમો મોરબી, ખેડા, આણંદ, રાજકોટ અને બોટાદ જવા રવાના થઇ છે.
બધી જગ્યાએ તૈયારીઓ થઈ ગઈ છેઃ સૌરભ પટેલ
વાવાઝોડાની તૈયારીને લઈને ઉર્જામંત્રી સૌરભ પટેલનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, બધી જગ્યાએ તૈયારીઓ થઈ ગઈ છે, સ્ટોરમાં બધો સ્ટોક પૂર્ણ છે. જરૂર જણાશે તો જ સબસ્ટેશન બંધ કરાશે. વીજ પોલ તૂટી ગયા હશે તે તરત જ રીપેર કરાશે.
'મહા' વાવાઝોડાને લઈને સુરતમાં તંત્ર એલર્ટ
સુરતનો સુવાલી બીચ સહેલાણીઓ માટે બંધ કરાયો છે. સંભવિત વાવાઝોડાના પગલે બીચના 2 કિલોમીટર દૂરથી રસ્તો બંધ કરી દેવાયો છે.
સંભવિત વાવાઝોડાના પગલે માંગરોળમાં તંત્ર સાબદૂ
NDRFની એક ટીમ માંગરોળ પહોંચી ગઇ છે. તેમણે દરિયા કિનારાના વિસ્તારની મુલાકાત લીધી છે. સ્થાનિક પોલીસ, માલતદાર, સ્થાનિક તંત્ર ખડેપગે છે.
મહા વાવાઝોડાની સંભાવનાને પગલે ગુજરાત કોસ્ટગાર્ડ ધ્વારા પણ તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે અને દરીયામાં શીપ ધ્વારા માછીમારોને નજીકના બંદર પર ખસેડવામાં આવી રહયા છે.
'મહા' વાવાઝોડાને લઇ તંત્ર એલર્ટ છે. ત્યારે હરિયાણા NDRFની ટીમ જામનગર પહોંચી છે. દિલ્લીથી એરલીફ્ટ કરી હરિયાણા NDRFની ટીમ જામનગર લવાઇ છે. તો પંજાબ NDRFની ટીમ અમદાવાદ પહોંચી છે. NDRFના 140 જવાનો જામનગર અને 100 જવાનો અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા છે.
'મહા' ચક્રાવાત સામે દિવમાં NDRFની ટીમ એલર્ટ કરવામાં આવી છે. NDRFની 2 ટિમ દીવ પહોંચી છે. આફતને પહોંચી વળવા NDRFની ટીમ સજ્જ છે. તેમજ આ સાથે વધુ 3 NDRFની ટિમ દીવ પહોંચશે.
પોરબંદરમાં જિલ્લાની 4000 બોટ સલામત સ્થળે પહોંચી
મહા વાવાઝોડાને લઇ તંત્ર એલર્ટ થયુ. પ્રાંત અધિકારી દરિયા કિનારાના ગામડાઓમાં પહોંચ્યા. પોરબંદર જિલ્લાના દરિયાકાંઠાના 26 ગામોને તાકીદ કરાઇ.
10 હજાર લોકોને સ્થળાંતર કરવા સુધીની તૈયારી કરવામાં આવી. જિલ્લાની 4000 બોટ સલામત સ્થળે પહોંચી છે. લોકોને સચેત રહેવા સૂચન અપાયુ છે. માધવપુર બીચ પર જાહેર જનતાને જવા માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. 6 અને 7 તારીખ સુધી બીચ પર જનતાને જવા માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
અમરેલીમાં હેલ્પલાઈન નંબર જાહેર કરાયો
જાફરાબાદના 3, રાજુલાના 3 ગામ પર વધુ ખતરો છે. દરિયા કિનારા વિસ્તારના 17 ગામોને એલર્ટ કરાયા છે. NDRFની એક ટીમ જાફરાબાદમાં તૈનાત કરાશે. માછીમારોને દરિયો નહી ખેડવા તંત્રની તાકિદ કરવામાં આવી છે. અમરેલી ખાતે ઇમરજન્સી કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે અને હેલ્પલાઇન નંબર - 02792-230735 જાહેર કરવામાં આવ્યો છે.
મહા વાવાઝોડાને લઈને ST વિભાગ પણ સજ્જ
મહા વાવાઝોડાને લઈને ST વિભાગ પણ સજ્જ થયું છે. ST વિભાગ દ્વારા ડ્રાઈવર અને કંડક્ટરની રજાઓ રદ કરવામાં આવી છે. NDRFની ટીમને STની મદદથી અસરગ્રસ્ત વિસ્તારમાં મોકલવામાં આવશે. સરકારના આદેશ બાદ 16 ડિવિઝનમાં સૂચનાઓ આપવામાં આવી છે. ગુજરાત ST સ્થાનિક તંત્રને મદદ કરશે. અસરગ્રસ્ત વિસ્તારમાં ST બસ મોકલવામાં આવશે.. સ્થાનિક જિલ્લા તંત્રને બસો પણ આપવામાં આવી છે. જામનગરમાં 6 બસ એકસ્ટ્રા આપવામાં આવી છે.
ચક્રાવાતને કારણે ભારેથી અતિભારે વરસાદ થશે. સૌરાષ્ટ્રમાં નવેમ્બર 6 અને 7 ખુબ ભારે છે. આ બે દિવસ દ. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તોફાની પવન સાથે વરસાદ આવશે. હવામાન વિભાગ દ્વારા તમામ બંદરોને અલર્ટ જાહેર કરી દેવામાં આવ્યુ છે જ્યારે માછીમારો માટે પાંચ દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપી દેવમાં આવી છે. ગુજરાતમાં 115 MM થી 204 MM વરસાદ પડશે. 100થી 120ની ઝડપે પવન સાથે વરસાદ થઈ શકે છે.
બુધવારે આ જિલ્લાઓમાં છે ઓરેન્જ અલર્ટ
બુધવારે તારીખી 6ઠ્ઠી નવેમ્બરને દિવસે ગુજરાતના આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દાદારા નગર હવેલી, દમણ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનદર, મોરબી, દેવભૂમી દ્વારકા, ગીર સોમાનાથ અને બોટાદ માટે ઓરેન્જ એલર્ઠ જાહેર કરવામાં આવ્યુ છે.
ગુરુવારની શું છે આગાહી
ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દાદરાનગર હવેલી, દમણ, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવે છે.
6 તારીખે મોડી રાતે થશે વરસાદ
હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ઓરેન્જ અલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે જેને પગલે દરિયા કિનારાના લોકોનું સ્થળાતંર કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે NDRF અને SDRFની ટીમને પણ તૈનાત કરી દેવામાં આવી છે. આવતી કાલે મધરાતે વાવઝોડુ ગુજરાતના દરિયે દસ્તક દે તેવી સંભવાના છે.