મહા વાવઝોડું દરિયામાં ફંટાઈ જવાની શક્યતા છે. દીવથી 250 કિમી દૂર દરિયામાં વાવાઝોડું ફંટાય તેવી શક્યતા હાલ હવામાન વિભાગ દ્વારા સેવાઈ રહી છે. જો આવુ થાય તો ગુજરાતના દરિયા કિનારે મહાની ઓછી અસર પડશે. પણ હા વાવાઝોડા સાથે તોફાની વરસાદ તો થશે જ. ગુજરાતના દરિયા કિનારે આવતા આવતા વાવાઝોડુ વિરમી જશે. સમુદ્રમાં સર્જાયેલા મહા વાવાઝોડું આજે મધ રાતે દરિયા કિનારે ત્રાટકે તેવી શક્યતા છે. વાવાઝોડાની સૌથી વધુ અસર સૌરાષ્ટ્રમાં જોવા મળશે. સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં વાવઝોડું તોફાની બને તેવી શક્યતા છે.
મહા વાવાઝોડું ફંટાઈ જશે
વાવાઝોડાની તિવ્રતામાં થયે ઘટાડો
રાજ્યભરમાં વરસાદની આગાહી
7 નવેમ્બર વહેલી સવારે વાવાઝોડું દીવ અને પોરબંદરની વચ્ચે ત્રાટકશે. જો કે આ દરમિયાન વાવાઝોડાની ઝડપ ઘટીને 70થી 80 કિમી સુધી થશે. વાવાઝોડાના કારણે રાજ્યભરમાં વરસાદની આગાહી કરાઈ છે. સૌરાષ્ટ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા. સોમનાથ, દ્વારકા, પોરબંદર, અમરેલીમાં વરસાદ થશે. વલસાડ, નવસારી, કચ્છમાં હળવાથી ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં હળવો વરસાદ થશે. અમદાવાદ, વડોદરા, સુરતમાં હળવા વરસાદની સંભાવના છે.
રાજ્યના તમામ બંદરો પર યેલો એલર્ટ જાહેર
જેમ જેમ વાવાઝોડું આગળ વધશે તેમ સૌરાષ્ટ્રમાં વરસાદ ઓછો થતો રહેશે. 6 નવેમ્બરે જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સોરઠ, ભરૂચ, આણંદ, અમદાવાદ, બોટાદ, રાજકોટમાં વરસાદ થશે. જ્યારે 7 નવેમ્બરે ભાવનગર, સોરઠ, ભરૂચ, આણંદ, અમદાવાદ, બોટાદ, વડોદરામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. વાવાઝોડાને લઈને રાજ્યભરમાં NDRFની 32 ટીમ તૈનાત કરાઈ છે. સાથે જ દરિયાકાંઠાના વિસ્તારમાં 10 હેલિકોપ્ટર તૈનાત કરાયા છે. રાજ્યના તમામ બંદરો પર યેલો એલર્ટ જાહેર કરાયું છે. આગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.
આજે શું થઇ શકે?
વાવાઝોડાના કારણે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. કદાચ મધરાતે વાવાઝોડુ રૌદ્ર રૂપ ધારણ કરી શકે છે. પરંતુ તેનું જોર ઘટ્યુ છે. તેમ છતાં જૂનાગઢ, ગીર સોમનાથમાં વરસાદ થશેય અમરેલી, ભાવનગર, ભરૂચમાં પણ વરસાદ થશે અને બોટાદ, રાજકોટમાં પણ વરસાદની આગાહી છે.
7 નવેમ્બરને દિવસે કેવી રહેશે રાજ્યની સ્થિતિ
`મહા' વાવાઝોડું વહેલી સવારે દરિયા કિનારે ત્રાટકશે. વાવાઝોડાના કારણે ભાવનગર, ભરૂચમાં વરસાદની સંભાવના છે. આણંદ, અમદાવાદ, બોટાદ, વડોદરામાં વરસાદની સંભાવના છે.