લક્ષદ્વીપથી ઉદભવેલુ વાવાઝોડું ઓમાન તરફ ફંટાઈ શકે છે. વાવાઝોડાના કારણે રાજ્યમાં તંત્ર એલર્ટ થયુ છે. સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરાયું છે. ત્યારે હવે રાહતના સમાચાર સામે આવ્યા છે. વાવાઝોડાના કારણે દરિયા કિનારે પર અલર્ટ જાહેર કરાયું છે જ્યારે દ. ગુજરાત અને સૌરાષ્ટ્રના તંત્રને સાબદુ રહેવાના આદેશ અપાયા છે. વાવાઝોડુ મહા મુંબઈ પહોંચીને પોતાનો કહેર વરસાવી રહ્યુ છે હવે તે ગુજરાત તરફ આગળ વધી રહ્યુ છે.
ગુજરાતના તમામ દરિયાકિનારા પર અલર્ટ જાહેર કરાયું
વાવાઝોડુ મુંબઈમાં વરસાવી રહ્યુ છે કહેર
5, 6, 7, નવેમ્બર ગુજરાત માટે ભારે
રાજ્યમાં ફરી એકવાર મહા વાવાઝોડાની દહેશત છે. 'મહા' વાવાઝોડાથી ગુજરાતને ખતરો છે. `મહા' વાવાઝોડું ગુજરાત તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. 'મહા' વાવાઝોડું 6 અને 7 નવેમ્બરે ગુજરાતના કિનારે ટકરાવાની સંભાવના છે. જેની હવામાન ખાતાએ આગાહી કરી છે લક્ષદીપથી ઉદભવેલું 'મહા' વાવાઝોડું પોતાની દિશા બદલી રહ્યું છે.
ઓમાન તરફ નહીં ફંટાય તો ગુજરાત તારાજ થશે
પહેલા ઓમાનના દરિયા તરફની દિશા હતી. પરંતુ હવે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે દક્ષીણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માં મહા વાવઝોડાની અસર સૌથી જોવા મળશે જો કે આ મહા વાવાઝોડું ફંટાઈ જાય તો ગુજરાત માં સંકટ દુર થઇ શકે છે ત્યારે હવામાને હજી સુધી એ બાબત ની સ્પષ્ટતા કરી નથી જો કે ગુજરતમાં સંકટ ટળે તેવી હવામાન વિભાગ પણ આશા રાખી રહ્યું છે
ખેડૂતો બરબારદ થશે
કયાર વાવાઝોડા બાદ ફરી વાવાઝોડાની અસર દક્ષિણ ગુજરાતમાં જોવા મળી છે.અરબી સમુદ્રમાં લો પ્રેશરના કારણે મહા નામના વાવઝોડાએ આકાર લેતા તેની અસર નવરસારીમાં જોવા મળી છે.ગત રાત્રીથી નવસારીમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા વરસાદની શરૂઆત થઈ છે. કમોસમી વરસાદને વાતાવરમાં ઠંડક પ્રસરી છે તો બીજી બાજુ કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થાય તેવી શક્યતા સેવાઈ રહી છે
મહા વાવાઝોડાની સુરતમાં અસર જોવા મળી છે. આજે વહેલી સવારથી અચાનક વાતાવરમાં પલ્ટો આવતા જિલ્લાનાં અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. ત્યારે કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને ભારે નુકશાન થાય તેવી શક્યતા સેવાઈ રહી છે. વરસાદને કારણે ડાંગર, શેરડી, લીલા શાકભાજી સહિતના અનેક પાકને ભારે નુકસાન થયુ છે.
જિલ્લા કલેક્ટરોને રાહત કમિશનર કે.ડી કાપડિયાએ પત્ર લખીને કર્યા સાવધ
`મહા' વાવાઝોડાની સંભવિત અસરોને લઈ તંત્રએ અલર્ટ જાહેર કર્યુ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓને આ અંગે અલર્ટ અપાઈ ગયા છે. રાહત કમિશનરે તમામ જિલ્લા અધિકારીઓને તાકીદ કરી છે. જિલ્લા કલેક્ટરોને રાહત કમિશનર કે.ડી કાપડિયાએ પત્ર લખીને તમામ જિલ્લા તંત્રને સાવધ રહેવા આદેશ આપ્યા છે.
વાવાઝોડા અગાઉ રાહત બચાવની તૈયારી કરવા સૂચન
જિલ્લા કક્ષાએ અધિકારીઓ સાથે બેઠક કરવા આદેશ કર્યા છે. 6 થી 8 નવેમ્બર બે દિવસ વાવાઝોડાની અસર જોવા મળશે. દરિયાકિનારા પર 60-70 કિમી ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. વાવાઝોડાથી સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ થઈ શકે છે
ગુજરાતના તમામ દરિયાકિનારા પર અલર્ટ જાહેર કરાયું
વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, વડોદરામાં સૌથી વધુ અસર થશે. ત્યાર બાદ સૌરાષ્ટ્રના તમામ કાંઠાના જિલ્લા તંત્રને પણ અલર્ટ કરાયુ છે. રાજકોટ, પોરબંદર, દ્વારકા, ગીર-સોમનાથમાં અસર થઈ શકે છે. જામનગર, મોરબી, જૂનાગઢ, ભાગનગર, અમરેલીને અસર થશે. વાવાઝોડાથી જિલ્લામાં સંભવિત સ્થિતિ માટે તૈયારીઓ કરવા સૂચના અપાઈ છે.