ગુજરાતના દરિયાકાંઠા તરફ ઝડપથી આગળ વધી રહેલું વાવાઝોડુ 'મહા' ગુજરાતમાં તારાજી સર્જશે પણ ગુજરાતના ઈતિહાસમાં વાવાઝોડા દરિયાકાંઠા સુધી પહોંચે એ પહેલા જ દરિયા માં સમાઈ ગયા છે. 2014થી અત્યાર સુધીમાં ગુજરાતના દરિયાકાઠા પાસેથી દસથી વધુ વાવાઝોડા પસાર થયા છે. મહા પણ દરિયામાં જ સમાઈ જશે તેવી સંભાવના સેવાઈ રહી છે પરંતુ બની શકે છે કે જો તેનું તાપમાન હજુ વધતુ રહેશે તો તે ગુજરાત ઉપર ત્રાટકશે.
ગુજરાત દરિયા કાંઠે કેટલાક વાવાઝોડા આવ્યા
ઉષ્ણકટિબંધીય તોફાન એટલે વાવાઝોડા
તોફાન ક્યારે આવે છે?
ગુજરાતના દરિયા કાંઠે અત્યાર સુધીમાં ઘણા વાવાઝોડા આવ્યા છે જેમાં આ જ વર્ષમાં વાયુ, હિક્કા અને ક્યારનો કહેર બાદ હવે મહા કહેર વરસાવા તૈયાર છે પરંતુ હજુ સુધી કોઈ વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠા સુધી પહોંચી શક્યુ નથી. મહા પણ દરિયામાં જ સમાઈ જશે તેવી સંભાવના સેવાઈ રહી છે પરંતુ બની શકે છે કે જો તેનું તાપમાન હજુ વધતુ રહેશે તો તે ગુજરાત ઉપર ત્રાટકશે.
ગુજરાત દરિયા કાંઠે કેટલાક વાવાઝોડા આવ્યા
2014થી વઅત્યાર સુધી ગુજરાતના દરિયા કાંઠે ક્યાર, વાયુ, હિક્કા, સાગર, ઓખી, ચપાલા, અશોબા, નિલોફર અને નનૌક ચક્રવાત ત્રાટકી ચુક્યા છે પરંતુ આમાથી એકેય ગુજરાતના દરિયા કાંઠા સુધી પહોંચી નથી શકયુ. તમામ વાવાઝોડા દરિયામાં જ સમાઈ ગયા છે.
ઉષ્ણકટિબંધીય તોફાન એટલે વાવાઝોડા
આ બધાં દરિયાઈ વાવાઝોડાં ઉષ્ણકટિબંધીય તોફાન છે પરંતુ વિસ્તારની દૃષ્ટિએ તેમને અલગઅલગ નામ આપવામાં આવ્યાં છે. જ્યારે ઉત્તર ઍટલાન્ટિક સમુદ્ર અને ઉત્તર પૂર્વી પ્રશાંતની વાત આવે તો ત્યાં તોફાનને હરીકૅન નામ અપાય છે. પરંતુ જ્યારે આ જ પ્રકારની પરિસ્થિતિ ઉત્તર પશ્ચિમી પ્રશાંત મહાસાગરમાં ઊભી થાય ત્યારે તેને ટાયફૂન કહેવામાં આવે છે. અને જ્યારે દક્ષિણ પ્રશાંત અને હિંદ મહાસાગરમાં તોફાન ઊઠે તો તેને ચક્રવાત કહેવામાં આવે છે.
વાવાઝોડાની તીવ્રતા
જ્યારે ઉષ્ણકટિબંધ વાવાઝોડું 119 કિલોમિટર પ્રતિ કલાક અથવા તો તેના કરતાં વધારે ઝડપ સુધી પહોંચે છે ત્યારે તેને હરિકૅન, ટાયફૂન અથવા તો ચક્રવાત કહેવામાં આવે છે. આ વાવાઝોડું દુનિયાના કયા ખૂણામાં સર્જાયું તે જગ્યાને હિસાબે તેનું નામ નક્કી થાય છે. હરિકૅનને હવાની ઝડપના હિસાબે 5 ભાગોમાં વિભાજિત કરવામાં આવ્યું છે.
તોફાન ક્યારે આવે છે?
ઍટલાન્ટિકમાં હરિકૅન 1 જૂનથી 30 નવેમ્બરની વચ્ચે ત્રાટકે છે. 95% કરતાં વધારે વાવાઝોડાં આ સમયગાળા દરમિયાન જ આ વિસ્તારમાં ત્રાટકતાં હોય છે. ઉત્તર પશ્ચિમ પ્રશાંત મહાસાગર વિસ્તારમાં મેથી ઑક્ટોબર વચ્ચે ટાયફૂન આવે છે. જોકે તે આખા વર્ષ દરમિયાન પણ ગમે ત્યારે આવી શકે છે. આ તરફ દક્ષિણ પ્રશાંત વિસ્તારમાં વાવાઝોડું નવેમ્બરથી એપ્રિલની વચ્ચે ત્રાટકતું હોય છે.
વાવાઝોડાને નામ કેવી રીતે અપાય છે?
દુનિયાના હવામાન વિભાગ અને UN દુનિયામાં આવતા વાવાઝોડાંના નામની યાદી બનાવે છે. જે દેશો હરિકૅન, ટાયફૂન કે ચક્રવાતથી પ્રભાવિત હોય છે તેઓ નામનાં સૂચનોની યાદી ગ્લૉબલ મૅટ ઑથૉરિટીને મોકલે છે.
એશિયામાં 8 દેશો નામ આપે છે
આપણા વિસ્તારમાં આવતા 8 દેશો કે જે બંગાળની ખાડી અને અરેબિયન સમુદ્રની હદમાં આવે છે તેમણે 2000ની સાલમાં WMOને યાદી મોકલી આપી હતી. એ યાદીમાંથી 50% વાવાઝોડાંનાં નામ હવે જૂનાં થઈ ગયાં છે. આ વિસ્તારોમાં જે નામો પર સહમતી બની હતી તેમાં એ વાતનું ધ્યાન રાખવામાં આવ્યું હતું કે કોઈ પણ દેશની ધાર્મિક ભાવના દુભાય નહીં.
વાવાઝોડું કેવી રીતે સર્જાય છે
સમૃદ્રના ગરમ પાણીથી ગરમ થયેલી હવા ઉપર ઊઠે છે. હવે આ જ હવા ફરીથી ઠંડી પડીને નીચે તરફ આવતી હોય ત્યારે નીચેથી પહેલાંથી જ ગરમ થયેલી હવા બાજુમાં ધકેલી દે છે. આ પ્રક્રિયા હવાની ગતિ વધારી દે છે. આવી સ્થિતિમાં દરિયામાં મોજાં પણ ઊંચે સુધી ઊછળે છે. આ જ મોજાં દરિયા ઉપરાંત શહેરો અને ગામડાંમાં તબાહી સર્જતા હોય છે. જમીન પર ભારે ઝડપથી ફૂંકાતા પવનો પણ નુકસાન સર્જતા હોય છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે સમુદ્રના પાણીનું તાપમાન વધી રહ્યું છે અને તેને કારણે ભવિષ્યમાં હરિકૅનનું જોખમ વધી ગયું છે.