ગુજરાત પર 'મહા' કહેર વરસાવવા આવી રહ્યું છે. જેમ-જેમ મહા ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. તેમ-તેમ તેના કહેરના ભણકારા વાગી રહ્યા છે. ત્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ વિસ્તારોમાં અલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. રાજ્યમાં મહા ચક્રવાતની ગંભીરતા જોઇને તંત્રએ અલર્ટ જાહેર કર્યુ છે. માછીમારોને સત્વરે પરત આવવા જણાવવામાં આવ્યુ છે. ત્યારે હજુ ગુજરાતની અનેક બોટ દરિયામાં છે.
કચ્છ મત્સ્યઉદ્યોગ વિભાગની માછીમારોને પરત ન આવેલી બોટના લાઈસન્સ રદ્દ કરવા ચેતવણી
દ્વારકાની 2700 જેટલી બોટ દરિયામાં
8 નવેમ્બરે 'મહા' વાવાઝોડાનો ખતરો ટળી જશે
ગુજરાત પર 'મહા' વાવાઝોડાનુ સંકટ જોવા મળ્યું છે. આથી કચ્છ મત્સ્યઉદ્યોગ વિભાગે માછીમારોને ચેતવણી આપી છે. દરિયામાંથી તમામ બોટોને પરત ફરવાનો આદેશ કરવામાં આવ્યો છે. પરત ન આવેલી બોટના લાઈસન્સ રદ્દ કરવા ચેતવણી આપવામાં આવી છે. તેમજ જે બોટ પરત નહીં ફરે તેને દંડ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. આ ચેતવણી આપવામાં આવી છતાં 300 બોટ પરત ફરી નથી. બોટ પરત ન ફરતા ફિશરિસ ડિપાર્ટમેન્ટ હરકતમાં આવ્યું છે. બોટોનો સંપર્ક ન થતો હોવાનો બોટ માલીકોનો દાવો કર્યો છે. તેમજ દંડાત્મક કાર્યવાહીના બદલે સંપર્ક સાધવા માછીમારોની રજૂઆત કરી છે.
કચ્છમાં જખૌની 300થી વધુ બોટો દરિયામાં સંપર્ક વિહોણી છે. જખૌ બંદર પરથઈ 984 બોટને ટોકન અપાયા હતા. જેમાંથી 584 બોટ કિનારે પરત ફરી છે પરંતુ હતુ 300થી વધુ બોટ હજુ દરિયામાં છે. ત્યારે જખૌ બંદર પર કોઇ પણ પ્રકારનું નેટવર્ક ન હોવાથી આ બોટ્સ સાથે કોઇ પણ સંપર્ક નથી થઇ શક્યો. માછીમારી કરવા ગયેલી બોટ દરિયામાં અટવાઇ ગઇ છે.
દ્વારકાની 2700 જેટલી બોટ દરિયામાં
દ્વારકાની 4 હજાર 12 બોટોમાંથી 2700 જેટલી બોટ દરિયામાં છે. માત્ર 1312 જેટલી બોટો જ દ્વારકા પરત આવી છે. ત્યારે 2700 જેટલી બોટો હજી સુધી દરિયામાં છે. ફિઝીરિઝ વિભાગ દ્વારા તમામ બોટો સંપર્કમાં હોવાનું જણાવાયું છે. દરિયામાં રહેલી તમામ બોટો પરત આવી રહી છે.
8 નવેમ્બરે 'મહા' વાવાઝોડાનો ખતરો ટળી જશે
'મહા' વાવાઝોડાને લઇ હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. 'મહા' વાવાઝોડું દીવ અને દ્વારકાના દરિયાકાંઠે ટકરાશે. આગામી 6 અને 7 તારીખએ વરસાદ પડે તેવી શક્યતા છે. 100થી 110ની સ્પીડે પવન ફૂંકાશે. 8 નવેમ્બરે 'મહા' વાવાઝોડાનો ખતરો ટળી જશે. સિવિયર સાયક્લોનિક સ્ટોર્મ વેરાવળથી 550 કિમી દૂર છે. જે 4 તારીખ પછી મૂવમેન્ટ બદલશે. અને 6 તારીખે મધરાત્રે દરિયા કાંઠે હીટ કરશે.