'મહા' વાવાઝોડાંને લઇને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપ્યું છે કે સરકાર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. હાલ 'મહા' વાવાઝોડું નબળું પડી રહ્યું છે.
'મહા' વાવાઝોડાંને લઇ રાજ્ય સરકારની તૈયારી
NDRF 15 ટીમો તહેનાત કરવામાં આવી છે
તમામ તંત્રને સૂચનાઓ આપી દેવાઈ છે
મુખ્યમંત્રી રૂપાણીનું મહા વાવાઝોડાંને લઇને નિવેદન
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી આજરોજ કચ્છની મુલાકાતે પહોંચ્યાં છે. જ્યાં સીએમ રૂપાણીએ 'મહા' વાવાઝોડાંને લઇને મોટું નિવેદન આપ્યું છે. સીએમ રૂપાણીએ કહ્યું કે હાલ 'મહા' વાવાઝોડું નબળું પડી રહ્યું છે.
CM રૂપાણીએ તૈયારીઓને લઇને કહી આ વાત
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કચ્છ ખાતે 'મહા' વાવાઝોડાંની તૈયારીઓને લઇને કહ્યું કે સરકાર દ્વારા તમામ તૈયારીઓ કરી લેવાઇ છે. તમામ તંત્રને સૂચના આપી દેવાઇ છે. જ્યારે NDRFની 15 ટીમ તહેનાત કરાઇ છે તેમજ વધુ 15 ટીમ બોલાવામાં આવી છે.
'મહા' વાવાઝોડું ગુજરાતથી છે 500 કીમી દૂર
સૌરાષ્ટ્રમાં નવેમ્બરની 6 અને 7 તારીખે 'મહા' વાવાઝોડું દરિયા કાંઠે ટકરાશે. જેને લઇને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તોફાની પવન સાથે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા તમામ બંદરોને અલર્ટ જાહેર કરવી દેવામાં આવ્યું છે. જ્યારે હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.