મહા વાવાઝોડાને લઇને હવામાન જાણકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે. રાજયમાં હવામાનમાં ભારે બદલાવ આવતા મોડું શરૂ થયેલું ચોમાસુ મોડું સમાપ્ત થશે છે. ત્યારે આવનાર સમયમાં વાવાઝોડાની સંભાવના સેવાઈ રહી છે.
5 તારીખથી ગુજરાતમાં વાવાઝોડું પ્રવેશ કરશે
65 થી70 કિમિના ઝડપે પવનો ફૂંકાવાની શક્યતા
6,7,8 ગુજરાતમાં વાવાઝોડુ કહેર વરસાવશે
ગુજરાત પર હાલ મહા સંકટ આવી પડ્યુ છે. ચક્રાવાત મહાની ઝપેટમાં ગુજરાત આવશે તો તારાજી પાક્કી છે એવામાં હવામાનના જાણકાર અંબાલાલે પણ આગાહી કરી છે કે, ગુજરાતમાં વાવાઝોડાના કહેર ત્રાટકવાની ભીતિ છે એટલુ જ નહીં પણ મોડુ શરૂ થયેલુ ચોમાસુ ગુજરાતમાં બરબાદી લાવી શકે છે.
મહા વાવાઝોડાને લઇ હવામાન જાણકાર અંબાલાલની આગાહી
રાજ્યમાં હવામાનમાં ભારે બદલાવ આવ્યો છે. મોડું શરૂ થયેલું ચોમાસુ મોડું સમાપ્ત થશે. આવનાર સમયમાં વાવાઝોડાની સંભાવના છે. પાકને નુકસાન થવાની પણ સંભાવના સાચી છે. 6,7,8નવેમ્બરથી ગુજરાતમાં વાવાઝોડાની શરૂઆત થશે. 5 તારીખથી ગુજરાતમાં વાવાઝોડું પ્રવેશ કરશે.
10 તારીખે દેશના દક્ષિણ પૂર્વીય તટ પર હવાનું દબાણ
દ.ગુજરાત,દમણ,પંચમહાલ,મહીસાગરમાં વરસાદ થશે. ઉત્તર મધ્યમાં પણ વરસાદ થવાની સંભાવના છે. દરિયા કાંઠા વિસ્તારાના હવામાનમાં ફેરફાર થશે. 65 થી70 કિમિના ઝડપે પવનો ફૂંકાવાની શક્યતા છે. 10 તારીખે દેશના દક્ષિણ પૂર્વીય તટ પર હવાનું દબાણ થશે.