ગુજરાતમાં 'મહા' વાવાજોડાને લઇને અઠિવાયાડિથી લોકોમાં અસમંજસ છે. જેને લઇને હવે હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં મહા વાવાઝોડાનું સંકટ ટળ્યુ છે. તેમજ દિવના દરિયામાં વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. તેમજ દિવનો દરિયામાં હજુ પણ કરંટ જોવા મળી રહ્યો છે. આવતીકાલે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
'મહા' વાવાઝોડું નબળુ પડી ગયુંઃ જયંત સરકાર
રાજ્યમાં વરસાદનું સંકટ ગુજરાતમાં યથાવત્
ભગવાન સોમનાથ અને દ્વારકાધીશ ગુજરાતની રક્ષા કરે છેઃ મુખ્યમંત્રી રૂપાણી
સૌરાષ્ટ્રના સાગર કિનારા પર મહા વાવાજોડાનો ખતરો ટળી ગયો છે. જેને લઈને છેલા પાંચ દિવસથી ઉચ્ચક જીવે રહેલ પ્રજાએ અને વહીવટી તંત્રએ હાશકારો અનુભવ્યો છે. નબળી પડેલી સીસ્ટમ સતત નબળી પડી રહી છે. છતાં પણ વાવાજોડાની દિશાને લઈને જામનગર સહિતના સૌરાષ્ટ્રભરના બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું છે. વાવાજોડું નબળું પડી ગયું છે. એવી જાણ માછીમારોને કરવામાં આવતા છેલ્લા પાંચ દિવસથી જુદા જુદા બંદર પર બોટ લાંગરીને બેસેલ માછીમારોમાં હર્ષની લાગણી પ્રસરી ગઈ છે. જો કે આગામી બે દિવસ સુધી દરિયામાં વધુ કરંટની શક્યતાઓને પગલે માછીમારોએ દરીયો ન ખેડવા સુચના આપવામાં આવી છે. હાલ જામનગર જીલ્લામાં દરિયો એકદમ શાંત છે. વાવાજોડાનો ખતરો ટળી ગયો છે પરંતુ ભારે વરસાદની શક્યતાઓને લઈને તંત્રએ ખેડૂતોને સલામતીભર્યા પગલા ભરવા સુચના આપી દેવાઈ છે. માહોલ શાંત થઇ ગયો છે છતાં પણ એનડીઆરએફની ટીમ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. આ સાથે મોટા શહેરમાં કિનારા પરના હોર્ડિગ્ઝ ઉતારી લેવામાં આવ્યાં છે.
'મહા' વાવાઝોડું નબળુ પડી ગયુંઃ જયંત સરકાર
'મહા' વાવાઝોડા મુદ્દે હવામાન વિભાગના ડિરેક્ટર જયંત સરકારે મહત્વની જાણકારી આપી છે. તેમણે જણાવ્યુ છે કે આ "મહા" વાવાઝોડું ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થયું છે. "મહા" વાવાઝોડું નબળુ પડી ગયું છે. 12 કલાક બાદ ડિપ્રેશનમાં પરિવર્તિત થશે. જોકે રાજ્યમાં વરસાદનું સંકટ ગુજરાતમાં યથાવત્ છે. 2 દિવસ મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી છે. સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ અસર જોવા મળશે. કેટલાક જિલ્લામાં વરસાદ પડશે. સુરત, ભરૂચ, અમરેલીમાં ભારે વરસાદ પડશે. ગીર સોમનાથ, આણંદમાં પણ ભારે વરસાદ થયો છે. આવતીકાલથી વરસાદમાં ઘટાડો થશે. જયારે અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.
ભગવાન સોમનાથ અને દ્વારકાધીશ ગુજરાતની રક્ષા કરે છેઃ મુખ્યમંત્રી રૂપાણી
અરબી સમુદ્રમાં સર્જાયેલુ વાવાઝોડું ગુજરાતમાં ત્રાટકવાનુ નથી. ત્યારે હવે આ મામલે સીએમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રતિક્રિયા આપી છે કે, ભગવાન સોમનાથ અને દ્વારકાધીશ ગુજરાતની રક્ષા કરે છે. મહાદેવ અને દ્વારકાધીશ દરિયાકાંઠે બેઠા છે. ગુજરાતમાં વાવાઝોડું આવી નહીં શકે.
પોરબંદરવાસીઓ માટે સારા સમાચાર
રાજયભરમાંથી મહા વાવાઝોડાનુ સંકટ ટળ્યુ છે. ત્યારે પોરબંદરમાં રહેતા લોકો માટે ખુબ સારા સમાચાર છે. હવામાનની આગાહી પ્રમાણે આજ સાંજ સુધીમાં વાવાઝોડું દરિયામાં વિખેરાય જશે તેવી હવામન વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે. ત્યારે હાલ પોરબંદરમાં વાતાવરણ સામાન્ય બન્યું છે. હાલ દરિયો શાંત જોવા મળી રહ્યો છે.
જામનગરના લોકો માટે સૌથી મોટા ખુશીના સમાચાર
જામનગમાં રહેતા લોકો માટે સૌથી મોટા ખુશીના સમાચાર છે. જામનગર પરથી મહા વાવઝોડાની આફત ટળી છે. ત્યારે જામનગર કલેકટરેના નાગરિકોને ધરપત આપી છે. જેને લઈને વહીવટી તંત્રએ પાકને સલામત સ્થળે લઇ જવા સુચના આપી છે. વાવાઝોડાનો ખતરો ટળી ગયો હોવાના દાવા વચ્ચે બંદરો પરથી 2 નંબરનું સિગ્નલ હટાવી લેવામાં આવ્યું છે. જેની જગ્યાએ ત્રણ નંબરનું સિગનલ લગાવાયું છે. બીજી તરફ NDRFની ટીમને પણ હજુ જીલ્લામાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. આવતા બે દિવસ સુધી દરિયો રફ રહેવાની સંભાવનાને લઈને માંછીમારોને દરિયામાં ન જવાની સુચના આપવામાં આવી છે.