ગુજરાત માટે સૌથી મોટી રાહતના સમાચાર છે. વાવાઝોડાની દિશા બદલાતા રાજ્યમાં નૈહિવત અસર વર્તાશે. ગુજરાતમાં મહા વાવાઝોડું નહીં ટકરાય. લગભગ મહા વાવાઝોડું ગુરૂવાર સાંજ સુધીમાં નિષ્ક્રીય થઈ જશે.
ગુરૂવારે વાવાઝોડું સૌરાષ્ટ્ર અને કચ્છને પણ ક્રોસ કરશે
વાવાઝોડાની દિશા બદલાતા 60-65 કિમી સુધી પવન ફૂંકાશે
વાવાઝોડું હિટ ન કરતા ખતરો ટળ્યો છે
હાલમાં મહા વાવાઝોડું વેસ્ટ સાઉથ પોરબંદરથી 400 કિમી દૂર છે. મહા વાવાઝોડું વેસ્ટ વેરાવળથી 440 કિમી દૂર છે. હાલમાં વાવાઝોડું વેસ્ટ દીવથી 490 કિમી દૂર છે. વાવાઝોડાની દિશા બદલાઈને ઈસ્ટ તરફ સક્રિય થઈ રહી છે. વાવાઝોડું હિટ ન કરતા ખતરો ટળ્યો છે
7 નવેમ્બર સાંજ સુધીમાં વાવાઝોડું ડિપ્રેશન થશે
વાવાઝોડાની 7 નવેમ્બરે સૌરાષ્ટ્રમાં અસર નહી દેખાય. 7 નવેમ્બર બપોરે વાવાઝોડું સાઉથ દીવથી 40 કિમી દૂર હશે. ગુરૂવારે બપોરે મહા વાવાઝોડું દીવના દરિયા કિનારાને ક્રોસ કરશે. ગુરૂવારે બપોર સુધીમાં વાવાઝોડું સૌરાષ્ટ્ર અને કચ્છને પણ ક્રોસ કરી જશે.
આજે અમુક જિલ્લામાં થશે ધોધમાર વરસાદ
આજે જૂનાગઢ, ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. દીવ, અમરેલી અને ભાવનગરમાં પણ આજે અતિથી ભારે વરસાદ થશે. ગુરૂવારે ભરૂચ, અમદાવાદ, આણંદમાં ભારે વરસાદની શક્યતા છે. વાવાઝોડાની દિશા બદલાતા પવનની ગતિમાં પણ ઘટાડો થશે. પવનની ગતિ ઘટીને 60-65 કિમી થઈ જશે.