એકબાજુ ચક્રવાત 'મહા' માતેલા સાંઢની જેમ દરિયામાં આતંક મચાવી રહ્યુ છે અને નવસારીના દિરાય કિનારે સહેલાણીઓ વેકેશનની મજામાં દરિયામાં ધુબાકા લઈ રહ્યા છે. વાવાઝોડાની આફત વચ્ચે જ્યારે એલર્ટ અપાયા છે વાવાઝોડાની સ્પીડ પણ વધી રહી છે ત્યારે સામાન્ય નાગરિકો દરિયા કિનારે આમ ટહેલી રહ્યા હોય અને અચાનક જો ચક્રવાત ગુજરાતમાં ફંટાઈ જશે તો હજારો જીવના જોખમ ઉપર આવી પડે તેવી પરિસ્થિતિ છે.
નવસારીના 52 કિલોમીટર દરિયાઈ પટ્ટી પર જોવા મળી અસર
વેકેશનની રજાને દિવસે સહેલાણીઓનો મહેરામણ ઉભરાયો
માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
મહા વાવાઝોડાની અસર નવસારી જિલ્લામાં પણ જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક દિવસથી વાતાવરણ પલટાયું છે. જેને લઇ તંત્ર એલર્ટ છે જો કે આ વચ્ચે વેકેશનની મજા માણવા આવેલા સહેલાણીઓ દરિયા મોજ કરી રહ્યાં છે. વાવાઝોડાની આફત છે પરંતુ આ આફત વચ્ચે સહેલાણીઓ કોઇ પણ ડર વિના દરિયામાં મજા માણી રહ્યાં છે.
નવસારીના 52 કિલોમીટર દરિયાઈ પટ્ટી પર જોવા મળી અસર
કુદરતની કુદરત સાથેની છેડછાડ વાતાવરણમાં અનીચ્છનીય ફેરફાર માટે જવાબદાર હોય ત્યારે હાલ થઈ રહેલા ફેરફારો માટે માનવજાત જ જવાબદાર બની રહી છે જેની નિશાની હાલ વાવાઝુડાના રૂપે જોઈ શકાય છે અરબી સમુદ્રના લો-પ્રેશરે ક્યાર બાદ મહા નામના વાવાઝુડાને જન્મ આપયો છે જેના કારણે દરિયાઈમાં તોફાનની શક્યતાને લઈને ગુજરાતના કાંઠા પંથક એલર્ટ મોડ પર આવી ગયો છે જે અસર નવસારીના 52 કિલોમીટર દરિયાઈ પટ્ટી પર જોવા મળી છે
માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
વાવાઝોડાની દહેશત સમગ્ર ગુજરાતના દરિયાઈ વિસ્તારના માથે મંડરાઈ રહી છે ત્યારે નવસારી જિલ્લામાં પણ અસર જોવા મળી રહી છે છેલ્લા કેટલાક દિવસોથી વતવારણમાં પલટા સાથે વરસાદી માહોલ જામ્યો છે જોકે આજે સવારથી વરસાદે વિરામ લીધો છે અને સૂર્યનારાયણના દર્શન થાય છે જોકે કોઈ અનીચ્છનીય બનાવના બને તે માટે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચનાઓ આપવામાં આવી છે
સહેલાણીઓ માટે પણ પ્રતિબંધ જરૂરી
વેકેશનની મજા માણવા આવેલા સહેલાણીઓ દરિયામાં નિર્ભય બની રજાની મોજ માણી રહ્યા છે ત્યારે વહીવટીતંત્ર નો સજ્જ હોવાનો દાવો અહીં ક્યાંક ને ક્યાંક ખટકી રહ્યો હોય એવા દ્રશ્યો કેમેરામાં કેદ થાય છે વાવાઝુડાની આફત આવે તો મજા માણવા આવેલા સહેલાણીઓ માટે તંત્ર શુ કરશે એ પ્રશ્ન માત્ર પ્રશ્ર્ન જ રહ્યો છે