દેશના કુલ 13 રાજ્યોમાં 'મહા' વાવાઝોડાની અસર થવાની છે. ભૂમધ્ય સાગરમાં મોજા ઉછળવાના 'મહા' કારણે આવી રહ્યું છે. આ તોફાન દર વર્ષે એપ્રિલ થી મે મહિનાની વચ્ચે આવે છે. આ વર્ષે આ તોફાન નવેમ્બર મહિનામાં આવી રહ્યું છે.
'મહા' વાવાઝોડુ આવવાનું કારણ શું?
જમ્મૂ-કાશ્મીરના 20 હજાર ફુટ ઉંચે સુધીના પહાડો સાથે હવા ટકરાશે
દિલ્હીથી હવાઓ મહારાષ્ટ્ર કર્ણાટક તરફ ફંટાય છે
યૂરોપ-આફ્રિકાના મધ્યમમાં ભૂમધ્ય સાગર સ્થિત છે. સમુદ્રમાં તાપમાન 25 થી 29 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પહોંચી જાય છે. ઉંચા તાપમાનના કારણે ભૂમધ્ય સાગરમાં ઉંચા મોજા ઉછળે છે. ઉંચા મોજાના કારણે મોજા જ સમુદ્રી તોફાન બની જાય છે. 33 હજાર ફુટ સુધી હવાઓ પથરાય છે અને તોફાન બને છે. આ હવા તુર્કી, ઈરાક, ઈરાન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન થઈને ભારત આવે છે.
જમ્મૂ-કાશ્મીરના 20 હજાર ફુટ ઉંચે સુધીના પહાડો સાથે હવા ટકરાશે
જમ્મૂ-કાશ્મીરના 20 હજાર ફુટ ઉંચે સુધીના પહાડો સાથે હવા ટકરાય છે. કાશ્મીરના પહાડો સાથે હવાઓ ટકરાવાના કારણે તેની દિશા બદલાઈ જાય છે. આ હવાઓ ઉત્તર ભારતના પહાડી મેદાનો તરફ વળી જાય છે. રાજસ્થાન, દિલ્હી, હરિયાણા અને ઉત્તર પ્રદેશના હવામાનને બદલે છે.
દિલ્હીથી હવાઓ મહારાષ્ટ્ર કર્ણાટક તરફ ફંટાય છે
હવામાન વિભાગના મતે દિલ્લીથી હવાઓ મહારાષ્ટ્ર, કર્ણાટક તરફ ફંટાય છે. મહારાષ્ટ્ર, કર્ણાટક તરફ જતી વખતે હવાની ગતિ ધીમી થઈ જાય છે. રાજસ્થાન, ગુજરાતમાં ગરમી હોવાના કારણે આ વાવાઝોડુ આવ્યું છે. ગરમ હવા 14 હજાર ફુટ સુધી ઉંચે જાય છે અને પહાડો સાથે ટકરાઈને ભેજ બને છે. ગુજરાતને પણ આ જ લોજીક લાગુ પડે છે અને તેના કારણે વાવાઝોડુ આવ્યું.