ગાંધીનગર: હવામાન વિભાગે ગુજરાતમાં 12 ઓકટોબર સુધી વરસાદની આગાહી કરી છે. ત્યારે વરસાદની આગાહી સાથે ગુજરાતમાં વાવાઝોડાનો પણ ખતરો મંડરાયો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાત પર લુબાન વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે 12 તારીખ સુધીમાં ગુજરાતમાં તે જ ગતિએ પવન ફુંકાઈ તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે જ 80 કિલોમીટરથી 135 કિલોમીટર સુધીની ઝડપે પવન ફુંકાવાની આશંકાને લઈને માછીમારોને એલર્ટ કરવામાં આવ્યા છે.
ગુજરાત પર લુબાન વાવાઝોડાનું સંકટ મંડરાતું હોવાને કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. આ નેશનલ ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટરે માછીમારોને સૂચના આપીને દરિયાઈ કાંઠા વિસ્તારમાં વસતા લોકોને પણ અત્યારથી જ એલર્ટ કરી દેવામાં આવ્યા છે.
આપને જણાવી દઇએ કે ગતરોજ રાજ્યના હવામાન વિભાગે ભારે પવન સાથે વરસાદની આગી કરી હતી ત્યારે આજરોજ ફરી એકવાર હવામાન વિભાગે લુબાન વાવાઝોડાની ચેતવણી આપી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાત પર લુબાન વાવાઝોડાનો ખતરો મંડરાઇ રહ્યો છે.
આ વાવાઝોડાના ખતરાને કારણે સાગર ખેડૂઓને દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી છે આ સાથે જ દરિયા કાંઠાના વિસ્તારોમાં સ્થાનિક તંત્ર દ્વારા કોઇ દુર્ઘટના ના સર્જાય તે માટે અત્યારથી જ અગમચેતીના પગલા ભરવામાં આવી રહ્યા છે.