મહારાષ્ટ્રના તટિય વિસ્તારોમાં ચક્રવાતી તૂફાન ક્યારનો ખતરો વધી રહ્યો છે. હવામાન વિભાગે આ કારણે આવનારા 12 કલાક સુધી તટિય જિલ્લા રત્નાગિરિ અને સિંધુદુર્ગમાં પણ ભારે વરસાદની આગાહી આપી છે. સાથે જ અરબ સાગરમાં ઓછા પ્રેશરના કારણે શુક્રવારે સવારે ખતરામાં વધારો નોંધવામાં આવ્યો હતો.
'ક્યાર' સાયક્લોન મહારાષ્ટ્ર નજીક પહોંચ્યું
તટિય વિસ્તારોમાં 12 કલાક સુધી ભારે વરસાદની આશંકા
સિંધુદુર્ગ માટે રેડ એલર્ટ જાહેર
મુંબઈથી 350 કિમી દૂર વાવાઝોડું
ક્યાર ચક્રવાત ઓમાન તટની તરફ જવાની આશંકા
આવનારા 12 કલાકમાં આ ચક્રવાત સશક્ત બનશે અને 24 કલાકમાં સૌથી વધુ શક્તિશાળી બને તેવી શંકા છે. ત્યારબાદ ક્યાર ચક્રવાત ઓમાન તટની તરફ જવાની આશંકા રાખવામાં આવી રહી છે. હવામાન વિભાગે સિંધુદુર્ગ જિલ્લાને માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આજે આ ક્યારની ગતિ 110 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. આ તૂફાનને મહારાષ્ટ્રના રત્નાગિરિ, સિંધુદુર્ગ, રાયગઢ સહિત ગોવા અને ઉત્તર કર્ણાટકના તટીય વિસ્તારોમાં તેની અસર જોવા મળી શકે છે. મુંબઈથી 350 કિમી દૂર છે 'ક્યાર' વાવાઝોડું અને સાથે જ ગુજરાતથી 445 કિમી દૂર છે વાવાઝોડું. જેના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે વરસાદની શક્યતા છે.
#UPDATE India Meteorological Department: Severe cyclonic storm ‘Kyarr’ lay centered at 11:30 pm, yesterday, about 200 km to west of Ratnagiri & 310 km south-southwest of Mumbai. It's very likely to move west-northwest towards the coast of Oman during next 5 days. #CycloneKyarrpic.twitter.com/guDbCDIGkp
ગોવામાં સતત 3 દિવસથી વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે કહ્યું છે કે આ સીઝનમાં હાલમાં રાહત મળવાની કોઈ સંભાવના નથી. પર્યટકોને સલાહ આપવામાં આવી રહી છે કે ઘરની બહાર ન નીકળે અને માછીમારોને પણ સમુદ્રમાં ન જવાની સુચના આપવામાં આવી છે.
ઓડિશામાં વરસાદથી 3ના મોત
બંગાળીની ખાડીમાં ચક્રવાતનું પ્રેશર બની રહેવાના કારણે ઓડિશામાં સતત 3 દિવસ અસર રહેશે. રાજ્યામાં વરસાદને કારણે 3 લોકોના મોત થયા છે અને અન્ય 4 લોકો ઘાયલ થયા છે. રાજધાની ભૂવનેશ્વરમાં વીતેલા 2 દિવસોમાં 253 મીમિ વરસાદ નોંધવામાં આવ્યો છે. હવામાન વિભાગના અનુસાર શનિવાર સુધી વરસાદથી રાહતની કોઈ આશા નથી.